વિજયના શપથ ગ્રહણ સમારોહમાં બે વાર વંદે માતરમ્' ગવાયું, જાણો શું છે કારણ

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહની શરૂઆત એક વિશિષ્ટ રીતે થઈ હતી. આ દરમિયાન, 'વંદે માતરમ' અંગે કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આ ગીત વગાડવામાં આવ્યું નહોતું. આજે ચેન્નાઈમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી અને વિજય એક સાથે હાજર રહ્યા હતા. ત્યાં, રાષ્ટ્રગાન પહેલાં આખું 'વંદે માતરમ' ગવાયું હતું. ત્યારબાદ, કાર્યક્રમના સમાપન સમયે તમિલનાડુનું રાજ્ય ગીત, 'તમિલ થાઈ વલથુ' પણ વગાડવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ વર્ષના જાન્યુઆરીમાં, નરેન્દ્ર મોદી સરકારે એક નવા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 28 જાન્યુઆરીના રોજ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિર્દેશ હેઠળ, સરકારી કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ના શરૂઆતી 2 છંદને બદલે બધા 6 છંદના ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

vijay2
hindustantimes.com

ગૃહ મંત્રાલયે તેના નિર્દેશમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સમકક્ષ દરજ્જો આપ્યો હતો. એવામાં, વિજયના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રગાન પહેલા 'વંદે માતરમ'ના બધા 6 છંદ વગાડવામાં આવ્યા હતા; ત્યારબાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યા અને સત્તાવાર સમારોહ રીતે શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને TMC'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન સમકક્ષ દરજ્જો આપવાના નિયમ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ફેબ્રુઆરીમાં, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પગલાને રવિન્દ્રનાથ ટાગોરનું અપમાન ગણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે કે ટાગોર દ્વારા લખાયેલા રાષ્ટ્રગીતમાં આવા કોઈ ફેરફાર ન કરવા જોઈએ.

તેનાથી વિપરીત, કોંગ્રેસનું કહેવું હતું કે, 1937માં રવિન્દ્રનાથ ટાગોરની સલાહ પર જ 'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે શ્લોક અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તમામ સમુદાયોની લાગણીઓનો આદર કરી શકાય. ભાજપ પર કટાક્ષ કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ટિપ્પણી કરી હતી કે જો આજે પોતાને રાષ્ટ્રવાદના રક્ષક બની રહ્યા છે તેમણે ક્યારેય 'વંદે માતરમ' ગાયું નથી.

vijay2
hindustantimes.com

TVKના 9 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા

વિજય ઉપરાંત, TVK પાર્ટીના 9 નેતાઓએ પણ આજે મંત્રી તરીકે શપથ લીધા. તેમાં થિરુ એન. આનંદ, સી.ટી.આર. નિર્મલ કુમાર, અરુણ રાજ, આધવ અર્જૂન, કીર્થના, રાજમોહન, વેંકટરામન અને સેનગોટૈયાનનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

TVKના 93 નેતાઓ પહેલી વાર બન્યા ધારાસભ્ય, 40 પર ફોજદારી કેસ; જાણો CM વિજયના MLA વિશે

અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના શપથ ગ્રહણ અંગેનો સસ્પેન્સ સમાપ્ત થયો છે. તમિલગા વેત્રી કઝગમ (TVK)ને રવિવારે શપથ લેવા...
National 
TVKના 93 નેતાઓ પહેલી વાર બન્યા ધારાસભ્ય, 40 પર ફોજદારી કેસ; જાણો CM વિજયના MLA વિશે

વિજયના શપથ ગ્રહણ સમારોહમાં બે વાર વંદે માતરમ્' ગવાયું, જાણો શું છે કારણ

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહની શરૂઆત એક વિશિષ્ટ રીતે થઈ હતી. આ દરમિયાન, 'વંદે માતરમ' અંગે...
Politics 
વિજયના શપથ ગ્રહણ સમારોહમાં બે વાર વંદે માતરમ્' ગવાયું, જાણો શું છે કારણ

પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાઇ હતી 6 ટ્રક; ₹1.5 કરોડની LPG ધીમે-ધીમે થઇ ગઇ ગાયબ, ફૂડ ઓફિસર નીકળ્યો માસ્ટરમાઇન્ડ

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં સામે આવેલો LPG કૌભાંડ ચોંકાવનારો છે. LPG ભરેલા 6 ટ્રક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પાર્ક કરવામાં આવ્યા હતા....
National 
પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાઇ હતી 6 ટ્રક; ₹1.5 કરોડની LPG ધીમે-ધીમે થઇ ગઇ ગાયબ, ફૂડ ઓફિસર નીકળ્યો માસ્ટરમાઇન્ડ

‘હું વકીલ છું; ખુલ્લેઆમ લડીશ’, ભાજપ સામે મમતા બેનર્જીની મોટી જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રમાં શાસક ભાજપ સામે બ્યૂગલ ફૂંકી દીધું છે. રવિન્દ્રનાથ ટાગોરની...
Politics 
‘હું વકીલ છું; ખુલ્લેઆમ લડીશ’, ભાજપ સામે મમતા બેનર્જીની મોટી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.