ન્યૂક્લિયરને લઇને શાહબાજ શરીફે દેખાડી હેકડી-બોલ્યા- ભારત નહીં નાખી શકે ખરાબ...

પાકિસ્તાની જનતાને એક તરફ ખાવાના ફાફા પડી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાજ શરીફ પરમાણુ બોમ્બને લઇને હેકડી દેખાડી રહ્યા છે. શાહબાજ શરીફે કહ્યું કે, ભારત તેની ન્યૂક્લિયર આર્મ્ડ કન્ટ્રી પર ખરાબ નજર નહીં નાખી શકે કેમ કે આપણી પાસે તેને પગ નીચે કચડવાની તાકત છે. વડાપ્રધાન શાહબાજ શરીફે આ વાત રવિવારે પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર (PoK)માં કહી, જેને ઘણી યુટ્યુબ ચેનલ્સ પર દેખાડવામાં આવી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન એક પરમાણુ શક્તિવાળો દેશ છે અને ભારત આપણને ખરાબ નજરથી નહીં જોઇ શકે.

તેમણે કહ્યું કે, જો એમ થયું તો આપણે તેને પગ નીચે કચડી દેવામાં સક્ષમ છીએ. આ પહેલી વખત નથી જ્યારે ભારત સાથે પોતાની ન્યૂક્લિયર પાવરની હેકડી દેખાડી રહ્યા છે. આ પહેલા પણ ઘણી વખત ઇસ્લામાબાદે સીમા પાર મુદ્દાઓને કંઇક આ રીતે પ્રોત્સાહિક કર્યા છે. પાકિસ્તાન એમ કહેતું રહ્યું છે કે, તેની પરમાણુ શક્તિ ઇન્ટરનેશનલ પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના ઇન્ટરનેશનલ માનાંકોને પૂરા કરે છે. રવિવારની રેલીમાં શાહબાજ શરીફ એમ કહેતા સંભળાઇ રહ્યા છે આ જે મોટી મોટી સરકારો છે, જેમને જમ્હુરિયતના લિબાસા ઓઢી રાખ્યા છે. તો જેની લાઠી તેની ભેંસવાળી વાત છે.

શાહબાજ શરીફે રવિવારે ફરી એ પુનરાવર્તિત કર્યું કે કાશ્મીરીઓને કૂટનૈતિક, રાજનૈતિક અને નૈતિક સમર્થન યથાવત રાખશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કાશ્મીરી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ આત્મ નિર્ણયના અધિકારને પ્રાપ્ત કરી લેતા નથી ત્યાં સુધી તેનું સમર્થન ચાલુ રહેશે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ હેઠળ હંમેશાં જમ્મુ-કશ્મીરના મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન પર ભાર આપ્યો છે. જાતિ આધાર પર પૂર્વી તિમોર, દારફુર અને દુનિયાના અન્ય વિસ્તારોને આઝાદી આપવામાં આવી, પરંતુ એ આધાર જમ્મુ-કાશ્મીર અને ફલસ્તિન પર લાગૂ ન કરવામાં આવ્યા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાનથી ઉત્પન્ન થનારા સીમા પાર આતંકવાદને લઇને તણાવપૂર્ણ રહ્યા છે. ગયા મહિને શાહબાજ શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાને એક પાઠ શીખી લીધો છે અને તે ભારત સાથે શાંતિથી રહેવા માગે છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે, બંને પાડોશીઓએ બોમ્બ અને ગોળા બારૂદ પર પોતાના સંસાધનોને બરબાદ ન કરવા જોઇએ. ભારત સાથે આપણાં 3 યુદ્ધ થયા. તેણે આપણાં લોકો માટે હજુ વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી ઉત્પન્ન કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે આવો આપણે ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા મુદ્દાઓના સમાધાન માટે ગંભીર અને ઇમાનદાર વાતચીત કરીએ.

Related Posts

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.