કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી ગઈ છે, અને તેઓ નેતૃત્વથી નાખુશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બજેટ સત્ર અંગે, મંગળવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાન, 10 જનપથ ખાતે કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપની બેઠક યોજાઈ હતી. તેઓ ફરીથી આ બેઠકમાં ગેરહાજર રહ્યા. થરૂર સિવાય પક્ષના લગભગ તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ વખતે થરૂરે તેમણે ગેરહાજરી પાછળ મુસાફરીને કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ દુબઈથી દિલ્હી આવી રહ્યા હતા અને હાલમાં ફ્લાઇટમાં છે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘હું દુબઈથી દિલ્હીની ફ્લાઇટમાં છું, જે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ઉતરશે. મારી ઓફિસે પાર્ટીમાં દરેકને આ વિશે જાણ કરી દીધી હશે. આ પહેલી વાર નથી; આ અગાઉ પણ થરૂર આવું કરી ચૂક્યા છે.

Shashi-Tharoor1
facebook.com/ShashiTharoor

શું શશિ થરૂર કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે?

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસ પાર્ટીમાં શશિ થરૂરને લઈને સ્થિતિ સારી ચાલી રહી નથી. આવું એટલે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમની અને હાઈકમાન્ડ વચ્ચે બાબતો સારી ચાલી રહી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે થરૂર કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. તાજેતરના દિવસોમાં, થરૂરે પાર્ટીની ઘણી મહત્ત્વપૂર્ણ બેઠકોમાંથી પોતાને દૂર રાખ્યા છે. તેમની આ ઉદાસીનતાને કારણે વિવિધ અટકળો શરૂ થઈ છે.

પ્રશ્ન એ છે કે શું શશિ થરૂરે ખરેખર કોંગ્રેસ પાર્ટીથી દૂરી બનાવી લીધી છે? બજેટ સત્રને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવાની સતત યોજના બનાવી રહ્યો છે, અને થરૂરને તેનાથી કોઈ મતલબ નથી. તેઓ તેનાથી માઈલો દૂર હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસની બેઠક યોજાય છે, ત્યારે થરૂર હાજરી આપતા નથી. આ દરમિયાન, તેઓ ક્યારેક અન્ય કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે અથવા મુસાફરી કરતા હોય છે.

Shashi-Tharoor
facebook.com/ShashiTharoor

બેઠકમાં કોણે-કોણે હાજરી આપી?

બજેટ સત્રને લઈને સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપની બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, પી ચિદમ્બરમ, પ્રમોદ તિવારી, મનીષ તિવારી, રજની પાટિલ, મણિકમ ટાગોર, તારિક અનવર અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

ઈરાન સહિત મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષના કારણે વૈશ્વિક વેપાર માટે બીજો એક મહત્વપૂર્ણ ખતરો ઉભો થઇ રહ્યો છે. ઈરાન...
World 
હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે, વિશ્વના ઘણા ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા...
National 
શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.