સત્તા માટે કંઈ પણ... મહારાષ્ટ્રમાં ગજબનો ખેલ: શિંદેની શિવસેનાએ ભાજપને છોડીને રાજ ઠાકરેની MNS સાથે મળાવ્યો હાથ

મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક નવો ખેલ થઇ ગયો છે. સત્તા માટે હવે ગઠબંધનનું નવું સમીકરણ જોવા મળ્યું છે. મુંબઈના મેયરપદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે ખેચતાણ જોવા મળી છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદેની શિવસેનાએ ભાજપ છોડીને રાજ ઠાકરેની MNS સાથે હાથ મળાવી લીધો છે. આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના 2 કોર્પોરેટરોએ પણ એકનાથ શિંદેની શિવસેનાને ટેકો આપ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ હવે સંખ્યા બળ અને સત્તા નિર્માણનો ખેલ શરૂ થયો છે. શિવસેનાના શિંદે જૂથે, ભાજપની ચાલ ચાલતા સંખ્યામાં ફેરફાર કર્યો છે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં પોતાના મેયર નિયુક્ત કરાવી લીધા. MNSએ પણ શિંદે જૂથને ટેકો આપ્યો છે. એટલે, એવા સંકેતો મળી રહ્યા છે કે કલ્યાણ-ડોમ્બિવલી ચૂંટણીમાં ગઠબંધન કરીને લડનાર ભાજપ માટે વિપક્ષી બેન્ચ પર બેસવાનો સમય આવી ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજકીય ઘટનાક્રમ તેજ થઈ ગયો છે. ઠાકરે જૂથના 4 કાઉન્સિલરો સાથે સંપર્ક થઈ રહ્યો નહોતો. ત્યારબાદ, આજે એક મોટો ઘટનાક્રમ થયો. નવી મુંબઈના કોંકણ ભવનમાં કાઉન્સિલરોના જૂથની નોંધણી કરાવવા આવેલા શિવસેના શિંદે જૂથે એક મોટી ચાલ ચાલી. સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ દાવો કર્યો કે કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના-MNSના  ઉમેદવાર મેયર બનશે.

shiv-sena1
deccanherald.com

શિવસેના શિંદે જૂથે કોંકણ કમિશનર બેઠક પર મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવસેનાના શિંદે જૂથમાં 53 સભ્ય છે, ઠાકરે જૂથના 4 બળવાખોર અને MNSના 5 સભ્યો છે. ઠાકરે જૂટહાના આ 4 બળવાખોરોમાંથી 2 MNSના હતા. તેમણે ઠાકરે જૂથના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી. તો શિંદે જૂથ પાસેથી નામાંકન ન મળ્યા બાદ ઠાકરે જૂથના બે લોકોએ ચૂંટણી લડી અને જીત હાંસલ કરી.

ભાજપ માટે મોટો ઝટકો

શિવસેના-શિંદે જૂથ અને ભાજપે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઠબંધન કર્યું હતું. ભાજપના 50 ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ ભાજપે અઢી વર્ષ માટે મેયર પદની માંગણી કરી હતી. હવે, શિંદે જૂથે MNSના સમર્થનથી બહુમતી મેળવી લીધી છે. આનાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે સત્તાથી બહાર રહેશે.

MNS
moneycontrol.com

કોની પાસે કેટલી બેઠકો છે?

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. શિંદેની શિવસેનાએ સૌથી વધુ 53 બેઠકો જીતી છે. ભાજપ 50 બેઠકો સાથે બીજા નંબરે છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં કુલ 122 બેઠકો છે.

ભાજપ- 50

શિંદેની શિવસેના- 53

કોંગ્રેસ– 2

NCP- 1

ઉદ્ધવનો જૂથ – 2

MNS- 5 (2 બેઠકો ઉદ્ધવની શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર લડી હતી).

About The Author

Related Posts

Top News

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.