સત્તા માટે કંઈ પણ... મહારાષ્ટ્રમાં ગજબનો ખેલ: શિંદેની શિવસેનાએ ભાજપને છોડીને રાજ ઠાકરેની MNS સાથે મળાવ્યો હાથ

મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક નવો ખેલ થઇ ગયો છે. સત્તા માટે હવે ગઠબંધનનું નવું સમીકરણ જોવા મળ્યું છે. મુંબઈના મેયરપદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે ખેચતાણ જોવા મળી છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદેની શિવસેનાએ ભાજપ છોડીને રાજ ઠાકરેની MNS સાથે હાથ મળાવી લીધો છે. આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના 2 કોર્પોરેટરોએ પણ એકનાથ શિંદેની શિવસેનાને ટેકો આપ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ હવે સંખ્યા બળ અને સત્તા નિર્માણનો ખેલ શરૂ થયો છે. શિવસેનાના શિંદે જૂથે, ભાજપની ચાલ ચાલતા સંખ્યામાં ફેરફાર કર્યો છે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં પોતાના મેયર નિયુક્ત કરાવી લીધા. MNSએ પણ શિંદે જૂથને ટેકો આપ્યો છે. એટલે, એવા સંકેતો મળી રહ્યા છે કે કલ્યાણ-ડોમ્બિવલી ચૂંટણીમાં ગઠબંધન કરીને લડનાર ભાજપ માટે વિપક્ષી બેન્ચ પર બેસવાનો સમય આવી ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજકીય ઘટનાક્રમ તેજ થઈ ગયો છે. ઠાકરે જૂથના 4 કાઉન્સિલરો સાથે સંપર્ક થઈ રહ્યો નહોતો. ત્યારબાદ, આજે એક મોટો ઘટનાક્રમ થયો. નવી મુંબઈના કોંકણ ભવનમાં કાઉન્સિલરોના જૂથની નોંધણી કરાવવા આવેલા શિવસેના શિંદે જૂથે એક મોટી ચાલ ચાલી. સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ દાવો કર્યો કે કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના-MNSના  ઉમેદવાર મેયર બનશે.

shiv-sena1
deccanherald.com

શિવસેના શિંદે જૂથે કોંકણ કમિશનર બેઠક પર મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવસેનાના શિંદે જૂથમાં 53 સભ્ય છે, ઠાકરે જૂથના 4 બળવાખોર અને MNSના 5 સભ્યો છે. ઠાકરે જૂટહાના આ 4 બળવાખોરોમાંથી 2 MNSના હતા. તેમણે ઠાકરે જૂથના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી. તો શિંદે જૂથ પાસેથી નામાંકન ન મળ્યા બાદ ઠાકરે જૂથના બે લોકોએ ચૂંટણી લડી અને જીત હાંસલ કરી.

ભાજપ માટે મોટો ઝટકો

શિવસેના-શિંદે જૂથ અને ભાજપે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઠબંધન કર્યું હતું. ભાજપના 50 ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ ભાજપે અઢી વર્ષ માટે મેયર પદની માંગણી કરી હતી. હવે, શિંદે જૂથે MNSના સમર્થનથી બહુમતી મેળવી લીધી છે. આનાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે સત્તાથી બહાર રહેશે.

MNS
moneycontrol.com

કોની પાસે કેટલી બેઠકો છે?

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. શિંદેની શિવસેનાએ સૌથી વધુ 53 બેઠકો જીતી છે. ભાજપ 50 બેઠકો સાથે બીજા નંબરે છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં કુલ 122 બેઠકો છે.

ભાજપ- 50

શિંદેની શિવસેના- 53

કોંગ્રેસ– 2

NCP- 1

ઉદ્ધવનો જૂથ – 2

MNS- 5 (2 બેઠકો ઉદ્ધવની શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર લડી હતી).

About The Author

Related Posts

Top News

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.