સત્તા માટે કંઈ પણ... મહારાષ્ટ્રમાં ગજબનો ખેલ: શિંદેની શિવસેનાએ ભાજપને છોડીને રાજ ઠાકરેની MNS સાથે મળાવ્યો હાથ

મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક નવો ખેલ થઇ ગયો છે. સત્તા માટે હવે ગઠબંધનનું નવું સમીકરણ જોવા મળ્યું છે. મુંબઈના મેયરપદ માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે ખેચતાણ જોવા મળી છે. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદેની શિવસેનાએ ભાજપ છોડીને રાજ ઠાકરેની MNS સાથે હાથ મળાવી લીધો છે. આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના 2 કોર્પોરેટરોએ પણ એકનાથ શિંદેની શિવસેનાને ટેકો આપ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ હવે સંખ્યા બળ અને સત્તા નિર્માણનો ખેલ શરૂ થયો છે. શિવસેનાના શિંદે જૂથે, ભાજપની ચાલ ચાલતા સંખ્યામાં ફેરફાર કર્યો છે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં પોતાના મેયર નિયુક્ત કરાવી લીધા. MNSએ પણ શિંદે જૂથને ટેકો આપ્યો છે. એટલે, એવા સંકેતો મળી રહ્યા છે કે કલ્યાણ-ડોમ્બિવલી ચૂંટણીમાં ગઠબંધન કરીને લડનાર ભાજપ માટે વિપક્ષી બેન્ચ પર બેસવાનો સમય આવી ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કલ્યાણ-ડોમ્બિવલીમાં રાજકીય ઘટનાક્રમ તેજ થઈ ગયો છે. ઠાકરે જૂથના 4 કાઉન્સિલરો સાથે સંપર્ક થઈ રહ્યો નહોતો. ત્યારબાદ, આજે એક મોટો ઘટનાક્રમ થયો. નવી મુંબઈના કોંકણ ભવનમાં કાઉન્સિલરોના જૂથની નોંધણી કરાવવા આવેલા શિવસેના શિંદે જૂથે એક મોટી ચાલ ચાલી. સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ દાવો કર્યો કે કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના-MNSના  ઉમેદવાર મેયર બનશે.

shiv-sena1
deccanherald.com

શિવસેના શિંદે જૂથે કોંકણ કમિશનર બેઠક પર મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવસેનાના શિંદે જૂથમાં 53 સભ્ય છે, ઠાકરે જૂથના 4 બળવાખોર અને MNSના 5 સભ્યો છે. ઠાકરે જૂટહાના આ 4 બળવાખોરોમાંથી 2 MNSના હતા. તેમણે ઠાકરે જૂથના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી. તો શિંદે જૂથ પાસેથી નામાંકન ન મળ્યા બાદ ઠાકરે જૂથના બે લોકોએ ચૂંટણી લડી અને જીત હાંસલ કરી.

ભાજપ માટે મોટો ઝટકો

શિવસેના-શિંદે જૂથ અને ભાજપે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઠબંધન કર્યું હતું. ભાજપના 50 ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ ભાજપે અઢી વર્ષ માટે મેયર પદની માંગણી કરી હતી. હવે, શિંદે જૂથે MNSના સમર્થનથી બહુમતી મેળવી લીધી છે. આનાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે સત્તાથી બહાર રહેશે.

MNS
moneycontrol.com

કોની પાસે કેટલી બેઠકો છે?

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. શિંદેની શિવસેનાએ સૌથી વધુ 53 બેઠકો જીતી છે. ભાજપ 50 બેઠકો સાથે બીજા નંબરે છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં કુલ 122 બેઠકો છે.

ભાજપ- 50

શિંદેની શિવસેના- 53

કોંગ્રેસ– 2

NCP- 1

ઉદ્ધવનો જૂથ – 2

MNS- 5 (2 બેઠકો ઉદ્ધવની શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર લડી હતી).

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.