પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફની પુત્રી જેલમાંથી છુટી અને તરત ધરપકડ કરી લેવામાં આવી

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટીની નેતા, પૂર્વ આર્મી ચીફની પૌત્રી અને ખુબસૂરત ફેશન ડિઝાઇનર 6 મહિના પછી જેલમાંથી છુટી અને તરત જ પોલીસે ધરપકડ કરી લીધી છે.

પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફની પૌત્રી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના નેતા ખાદીજા શાહ શુક્રવારે જેલમાંથી છૂટ્યા પછી તરત જ લાહોરમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ખાદીજાની 9 મેના રોજ થયેલી હિંસામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. જનરલ આસિફ નવાઝ જંજુઆની પૌત્રી અને ફેશન ડિઝાઈનર ખાદીજાને પંજાબ પ્રાંતમાં સ્થિત લાહોરની કોટ લખપત જેલમાંથી છૂટ્યા બાદ તરત જ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO) ઓર્ડિનન્સ હેઠળ 30 દિવસના સમયગાળા માટે અટકાયતમાં રાખવામાં આવી હતી.

પાકિસ્તાનનીપંજાબ પોલીસે કહ્યું હતું કે, ખાદીજા શાહની મુક્તિથી પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. ખાદીજા 'લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ' પર હુમલાના સંબંધમાં છેલ્લા 6 મહિનાથી જેલમાં હતા. 'લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ' ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના પુત્રની માલિકીની જગ્યા છે.

પાકિસ્તાન તહરીક- એ ઇન્સાફ (PTI) ના ઓછામાં ઓછા 10,000 નેતાઓ અને કાર્યકરોની 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને ફૈસલાબાદ શહેરમાં ISI બિલ્ડીંગ સહિત સરકારી સંસ્થાઓ અને લશ્કરી થાણાઓ પર કથિત રીતે હુમલા અને આગચંપી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની ધરપકડ બાદ PTI કાર્યકરો દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હતો. ખાદીજા શાહને ચારેય આતંકવાદી કેસોમાં જામીન મળી ગયા હતા અને શુક્રવારે લાહોર આતંકવાદ વિરોધી અદાલતે તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

જો કે, ખાદીજા જેલમાંથી બહાર આવી કે તરત જ મોટી સંખ્યામાં પોલીસ દળો કોટ લખપત જેલની બહાર પહોંચી ગયા અને પબ્લિક ઓર્ડર ઓર્ડિનન્સને ટાંકીને તેની ફરી ધરપકડ કરી હતી. લાહોરના ડેપ્યુટી કમિશનરે ખાદીજાને કસ્ટડીમાં લેવાનો આદેશ જારી કર્યો હતો.

ખાદિજા શાહે કહ્યું કે 9 મેના વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા બદલ તેમને ચાર મહિનાથી વધુ સમય માટે જેલમાં રાખવામાં આવી હતી.દરેક PTI મહિલા કેદીએ લાહોરની કોટ લખપત જેલમાં અકલ્પનીય સજા ભોગવી રહી છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.