ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 18 માર્ચના રોજ 9 મહિના બાદ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અનુભવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘરે પરત ફરવાનો અનુભવ થતા જ તેઓ પોતાના પરિવારને મળવા ઉત્સુક હતા. અવકાશમાંથી પૃથ્વી પર પરત ફર્યા બાદ સોમવારે વિલિયમ્સે મીડિયાને સંબોધિત કરી હતી. તેમને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની અવકાશ યાત્રા અને પરત ફરવા સાથે જોડાયેલી યાદો પર સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે, જ્યારે તમે પૃથ્વી પર પાછા ફર્યા, ત્યારે તમે સૌથી પહેલા શું કરવા માગતા હતા? 9 મહિના બાદ એવો કોઇક ખોરાક, જેને સૌથી પહેલા ખાવાની ઇચ્છા હતી?

sunita-williams3
businesstoday.in

 

તેનો જવાબ આપતા સુનિતા વિલિયમ્સે કહ્યું કે, હું પોતાના પતિ અને પાળતુ કૂતરાઓને ગળે લગાવવા માગતી હતી. ખોરાક એક એવી વસ્તુ છે, જે આપણને ઘરની યાદ અપાવે છે. મારા પિતા શાકાહારી હતા, તો મેં ઘરે પહોંચવા પર સૌથી પહેલા શાનદાર ગ્રિલ્ડ ચીઝ સેન્ડવીચ ખાધી. તે મને ઘરનો અહેસાસ કરાવે છે.

sunita-williams

તમને જણાવી દઈએ કે, અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યૂમાં સુનિતા વિલિયમ્સે NASA, બોઈંગ, સ્પેસએક્સ અને આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે પૃથ્વી પર પાછા ફર્યા તેને લગભગ 2 અઠવાડિયા થઈ ગયા છે. હવે અમને પૂછવામાં આવી રહ્યું છે કે અમે શું કરી રહ્યા છીએ? તો તમને જણાવી દઉં કે, અમે નવા પડકારો માટે તૈયારી કરી રહ્યા છીએ. નવા મિશનની તૈયારી કરી રહ્યા છીએ. હું ગઈકાલે જ 3 માઈલ દોડી છું, તો પોતાની પીઠ પર થપથપાવી જ શકું છું. અવકાશમાં ફસાયા હોવાને કારણે મીડિયામાં ચાલી રહેલા વિવિધ પ્રકારના નેરેટિવ્સ પર સુનિતા વિલિયમ્સે કહ્યું કે, આ એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ હતો. અમને ખબર હતી કે વસ્તુઓ ખોટી થઈ શકે છે, તો અમે તેના માટે તૈયાર હતા. ઘણા બધા લોકો કાર્યક્રમ પર નજર રાખી રહ્યા હતા. તેમને ખબર હતી કે અમારા પાછા ફરવાનો યોગ્ય સમય કયો છે. અમે એ જ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા, જે એકદમ યોગ્ય છે.

sunita-williams2

તેમણે પોતાની રિકવરી બાબતે બતાવતા કહ્યું કે, એક્સપર્ટ્સ અમારા રિબેબિલિટેશન પર પૂરી રીતે ફોકસ છે. પૃથ્વી પર પાછા આવ્યા ત્યારથી, અમે એક્સપર્ટ્સ દ્વારા બતાવવામાં આવેલા પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છીએ. ધીમે-ધીમે અમારી રિકવરી થઈ રહી છે. સુનિતા વિલિયમ્સ કહે છે કે, અમે અમારા મિશનમાં જે વિલંબ થયો, તેનાથી અમે આશાનો પાઠ શીખ્યા છીએ. અમે દરેક નાની ભૂલમાંથી શીખી રહ્યા છીએ જેથી કરીને અમે આગામી વખત કંઈક સારું કરી શકીએ. વસ્તુઓ આજ રીતે થાય છે, આપણે શીખીને આગળ વધીએ છીએ અને વધુ સારા બનીએ છીએ. તે ખૂબ અદ્વભૂત છે કે, કેવી રીતે તમારું શરીર બધી વસ્તુઓને એડોપ્ટ કરી રહ્યું છે. જ્યારે અમે પહેલી વખત ધરતી પર આવ્યા ત્યારે અમે લડખડાવા લાગ્યા. પરંતુ થોડા કલાકોમાં બદલાવો નજરે પડવા લાગે છે. માણસનું મગજની આસપાસની વસ્તુઓને સમજવા લાગે છે.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.