CSK કયા 3 ખેલાડીઓને કરશે રિટેન? IPL ઓક્શન અગાઉ અજય જાડેજાએ આપ્યું મોટું નિવેદન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન અગાઉ રિટેન્શનના નિયમ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વખત બધી ટીમો કુલ મળીને 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ કારણે એ વાતની ચર્ચા તેજ થઇ ગઇ છે કે કઇ ટીમ કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને લઇને પણ ખૂબ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ કોને રિટેન કરી શકે છે અને કોને રીલિઝ કરી શકે છે. આ અનુસંધાને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે.

તેમણે કહ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણ ખેલાડીઓને રિટેન કરી શકે છે. IPL 2025 માટે બધી ફ્રેન્ચાઇઝીઓ પાસે મહત્તમ 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ હશે. જો કે, જો કોઇ ફ્રેન્ચાઇઝી પોતાના બધા 6 ખેલાડી રિટેન કરે છે તો પછી મેગા ઓક્શનમાં રાઇટ ટૂ મેચ કાર્ડ નહીં મળે. તો આ 6 ખેલાડીઓમાં મહત્તમ 5 કેપ્ડ અને 2 અનકેપ્ડ ખેલાડી રહી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સમાં મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ખૂબ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેને રિટેન કરવામાં આવશે કે નહીં.

અજય જાડેજાનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઇ સુપર કિંગ્સ જરૂર રિટેન કરશે. તેમણે જિયો સિનેમા પર વાતચીત દરમિયાન કહ્યું કે, ‘ચેન્નાઇ સુપર કિંગ્સ ધોનીને ચોક્કસ રિટેન કરશે. તેમાં કોઇ શંકા નથી કેમ કે હવે તે અનકેપ્ડ ખેલાડી થઇ ગયો છે. તેણે ટીમ માટે ઘણું બધુ કર્યું છે અને તેની અંદર ટીમનો નંબર વન ખેલાડી બનવાની ચાહત નથી. ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેના માટે પાછલું વર્ષ સારું રહ્યું હતું, આજ કારણે તેને પણ રિટેન કરવાની પૂરી સંભાવના છે. રવીન્દ્ર જાડેજાને પણ નહીં છોડી શકાય. એટલે મને લાગે છે કે આ ત્રણ ખેલાડી ચેન્નાઇ સુપર કિંગ્સના રિટેન્શન માટે પરફેક્ટ છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નવો નિયમ લાગૂ કર્યો છે. જે હેઠળ જે ખેલાડી છેલ્લા 5 વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ મેચ ન રમ્યો હોય, તેને અનકેપડ માનવામાં આવશે. આ કારણે ધોની પણ હવે અનકેપ્ડ કેટેગરીમાં આવી ગયો છે. ખેર ઓક્શન અગાઉ બધાને ખબર પડી જ જશે કે કઇ ફ્રેન્ચાઇઝીએ કયા ખેલાડીઓને રિટેન કર્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.