CSK કયા 3 ખેલાડીઓને કરશે રિટેન? IPL ઓક્શન અગાઉ અજય જાડેજાએ આપ્યું મોટું નિવેદન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન અગાઉ રિટેન્શનના નિયમ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વખત બધી ટીમો કુલ મળીને 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ કારણે એ વાતની ચર્ચા તેજ થઇ ગઇ છે કે કઇ ટીમ કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને લઇને પણ ખૂબ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ કોને રિટેન કરી શકે છે અને કોને રીલિઝ કરી શકે છે. આ અનુસંધાને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે.

તેમણે કહ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણ ખેલાડીઓને રિટેન કરી શકે છે. IPL 2025 માટે બધી ફ્રેન્ચાઇઝીઓ પાસે મહત્તમ 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ હશે. જો કે, જો કોઇ ફ્રેન્ચાઇઝી પોતાના બધા 6 ખેલાડી રિટેન કરે છે તો પછી મેગા ઓક્શનમાં રાઇટ ટૂ મેચ કાર્ડ નહીં મળે. તો આ 6 ખેલાડીઓમાં મહત્તમ 5 કેપ્ડ અને 2 અનકેપ્ડ ખેલાડી રહી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સમાં મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ખૂબ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેને રિટેન કરવામાં આવશે કે નહીં.

અજય જાડેજાનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઇ સુપર કિંગ્સ જરૂર રિટેન કરશે. તેમણે જિયો સિનેમા પર વાતચીત દરમિયાન કહ્યું કે, ‘ચેન્નાઇ સુપર કિંગ્સ ધોનીને ચોક્કસ રિટેન કરશે. તેમાં કોઇ શંકા નથી કેમ કે હવે તે અનકેપ્ડ ખેલાડી થઇ ગયો છે. તેણે ટીમ માટે ઘણું બધુ કર્યું છે અને તેની અંદર ટીમનો નંબર વન ખેલાડી બનવાની ચાહત નથી. ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેના માટે પાછલું વર્ષ સારું રહ્યું હતું, આજ કારણે તેને પણ રિટેન કરવાની પૂરી સંભાવના છે. રવીન્દ્ર જાડેજાને પણ નહીં છોડી શકાય. એટલે મને લાગે છે કે આ ત્રણ ખેલાડી ચેન્નાઇ સુપર કિંગ્સના રિટેન્શન માટે પરફેક્ટ છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નવો નિયમ લાગૂ કર્યો છે. જે હેઠળ જે ખેલાડી છેલ્લા 5 વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ મેચ ન રમ્યો હોય, તેને અનકેપડ માનવામાં આવશે. આ કારણે ધોની પણ હવે અનકેપ્ડ કેટેગરીમાં આવી ગયો છે. ખેર ઓક્શન અગાઉ બધાને ખબર પડી જ જશે કે કઇ ફ્રેન્ચાઇઝીએ કયા ખેલાડીઓને રિટેન કર્યા છે.

About The Author

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.