જુઓ મુંબઈની હાર બાદ રોહિત શર્માએ કોના પર ફોડ્યો ઠીકરો

હાલમાં દુનિયાની સૌથી મોંઘી અને મોટી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચાલી રહી છે. ભારતમાં તેને એક ઉત્સવની જેમ જોવામાં આવે છે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયન (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 31મી મેચ રમાઈ હતી, જેને પંજાબ કિંગ્સે 13 રને જીતી હતી. નિરાશાજનક હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા નિરાશ નજરે પડ્યો. આવો તો આ આર્ટિકલમાં જાણીએ કે મુંબઈની હાર બાદ રોહિત શર્માએ શું કહ્યું.

આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી. મુંબઈ ઇન્ડિયન્સ આ મેચ જીતી શકતી હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો. નિરાશાજનક હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ખૂબ દુઃખી નજરે પડ્યો.

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન તેણે કહ્યું કે, ખૂબ નિરાશ છું. કેટલીક ભૂલો થઈ. સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીન સારું રમ્યા. ટીમની ડેથ બોલિંગ પર રોહિત શર્માએ કહ્યું કે, હા થોડી નિરાશા થઈ, અમે મેદાન પર કેટલીક ભૂલો કરી, જે થઈ શકતી હતી, અમે તેના પર વધારે ધ્યાન નહીં આપીએ. બસ પોતાનું માથું ઊંચું રાખો. અમે 3 મેચ જીતી છે અને 3 હારી છે. આ સમયે ખૂબ ઇવન-સ્ટીવન્સ છે. ટૂર્નામેન્ટમાં ખૂબ સમય બચ્યો છે. આપણે નીચે નહીં જોઈ શકીએ અને વસ્તુઓ બાબતે ચિંતા કરવાનું શરૂ કરી દઈએ છીએ.

તેણે આગળ કહ્યું કે, હા અમે આજે ટોપ પર ન આવ્યા. અમે કેટલીક ભૂલો કરી, પરંતુ પાછળ જઈને જોવા માટે કશું જ નથી. (કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવ) એ બંને ખેલાડીઓએ આજે જે પ્રકારની બેટિંગ કરી, તેનાથી ખૂબ ખુશ છું અને તેમણે અમને અંત સુધી રમતમાં બનાવી રાખ્યા. અર્શદીપે અંતિમ ઓવરોમાં જે પ્રકારની બોલિંગ કરી, તેનો શ્રેય જાય છે. રોહિત શર્માએ ઇશારાઓ ઇશારામાં બોલરો પર ઠીકરો ફોડ્યો છે. અર્જૂન તેંદુલકરે સૌથી વધુ 48 રન આપ્યા, જેમાંથી 31 રન તો તેણે એક જ ઓવરમાં આપી દીધા. એ સિવાય મુખ્ય બોલર જોફ્રા અર્ચર, ગ્રીન અને જેસને પણ 40થી વધારે રન ખર્ચ કર્યા.

About The Author

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.