વર્લ્ડ કપમાં અશ્વિનને સ્થાન મળશે કે નહીં? સ્પિનરે આપ્યો આ જવાબ

વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમમાં અશ્વિનને જગ્યા મળશે કે નહીં, તેને લઇ હજુ પણ ચર્ચા ચાલી રહી છે. ઘણાં દિગ્ગજોનું માનવું છે કે અશ્વિન ટીમનો હિસ્સો રહેશે નહી. કારણ કે ટીમની પાસે ખાસ કરીને નાના ફોર્મેટમાં ઘણાં એવા સ્પિનરો છે જે વનડે અને ટી20માં પ્રભાવ છોડી શકે છે. તો બીજી બાજુ અશ્વિને પોતે તેના સિલેક્શનને લઇ વાત કહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અશ્વિને વર્લ્ડ કપમાં પોતાના સિલેક્શનને લઈ વાત કહી છે.

અશ્વિને કહ્યું કે, મેં ઘણાં સમય પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે હું તે બાબતે વિચારીશ નહીં જે મારા હાથમાં જ નથી. પ્રામાણિકતાથી કહું તો હું મારા જીવન અને પોતાના ક્રિકેટના મામલામાં ઘણી સારી સ્થિતિમાં છું અને હું મારી વિચાર પ્રક્રિયાથી નકારાત્મક વાતોથી દૂર રહેવાની કોશિશ કરું છું.

રિપોર્ટ અનુસાર, એશિયા કપ પછી ભારતીય ટીમનું એલાન વર્લ્ડ કપ માટે થઇ શકે છે. એશિયા કપ માટે ટીમની જાહેરાત 20 ઓગસ્ટના રોજ થઇ શકે છે. દિગ્ગજ સ્પિનર આગળ કહે છે કે, મને લાગે છે કે તમે બે બાબતોને સાથે જોડી રહ્યા છો. ઈંજરીને લઇ મેં નિવૃત્તી વિશે વિચાર્યું નથી... કદાચ એ પણ એક કારણ હતું અને મને વિશ્વાસ નહોતો કે હું તેમાંથી કઇ રીતે બહાર આવીશ. કારણ કે હું મારા શરીરનો વિશેષજ્ઞ નથી. પછી મારા કરિયરને લઇ અમુક અનિશ્ચિતતાઓ હતી અને હું આવું જ વિચારી રહ્યો હતો...નકારાત્મક વિચારવું ઘણું સરળ છે.

ભારતીય ટીમના ઓફ સ્પિનરે પોતાની વાત આગળ રાખતા કહ્યું કે, એક ક્ષણ એવી પણ આવી હતી જ્યારે હું વિચારી રહ્યો હતો કે હું આમાંથી પાછો ફરી શકીશ કે નહીં. આ માત્ર એક વિચાર હતો અને હું માત્ર આના પર સ્પષ્ટીકરણ આપવા માગું છું. પણ હાલમાં મને લાગે છે કે હું ખરેખર સારી બોલિંગ અને બેટિંગ કરી રહ્યો છું. સાથે જ મારી પાસે ખાસ્સો અનુભવ છે. હું એક સમયમાં એક દિવસ લઇ રહ્યો છું.

જણાવીએ કે, એશિયા કપની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થવા જઇ રહી છે. તો વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજથી થશે. ભારતની આ ટૂર્નામેન્ટની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ત્યાર પછી પાકિસ્તાન સામે ભારત મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન સામેની ભારતની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.