PSLમાં હોબાળો, બાબર આઝમની કરતૂત આવી સામે, માલિકે જણાવ્યું કેમ ટીમમાંથી બહાર કાઢી મૂકેલો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમનો સમય સારો ચાલી રહ્યો નથી. બેટથી રન આવી રહ્યા નથી અને પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવ્યા છે, જેણે હોબાળો મચાવી દીધો છે. બાબર આઝમ હાલમાં PSL 2025ની સીઝનમાં પેશાવર જાલ્મી ફ્રેન્ચાઇઝીની કેપ્ટન્સી કરી રહ્યો છે. તે વર્ષ 2017 થી વર્ષ 2022 સુધી કરાચી કિંગ્સ માટે રમ્યો હતો. 6 સીઝન રમ્યા બાદ કિંગ્સે બાબરને છોડવાનો નિર્ણય લીધો, તેને લઈને ટીમના માલિકે એક મોટો ખુલાસો કર્યો છે.

Ranveer-Allahbadia1
newindianexpress.com

 

તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં, કરાચી કિંગ્સના માલિક સલમાન ઇકબાલે બાબર આઝમને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ફ્રેન્ચાઇઝીએ PSL 2023ની સીઝન અગાઉ બાબરને કેમ રીલિઝ કર્યો હતો. સલમાને ખુલાસો કર્યો કે, ફ્રેન્ચાઇઝીએ બાબર આઝમને બેટિંગ ઓર્ડરમાં અસહમતિને કારણે રીલિઝ કરવાનો નિર્ણય લીધો. ઇકબાલે કહ્યું કે, ફ્રેન્ચાઇઝી ઇચ્છતી હતી કે બાબર ત્રીજા નંબરે બેટિંગ કરે, પરંતુ તે પોતાની ઓપનિંગ પોઝિશન છોડવા તૈયાર નહોતો. અમે ઇચ્છતા હતા કે બાબર ત્રીજા નંબરે બેટિંગ કરે, પરંતુ તે પોતાની ભૂમિકા બદલવા તૈયાર નહતો.

Dolo-6502
tv9marathi.com

 

બાબર આઝમે પોતાના કરિયરમાં મોટાભાગે PSL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન માટે ઓપનિંગમાં બેટિંગ કરી છે. તેના હાલના પ્રદર્શન પર સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. તેણે ઘરેલુ વન-ડે ટ્રાઇ સીરિઝ અને આ વર્ષની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પરિણામ એ આવ્યું કે ટીમ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. PSLની વર્તમાન સીઝનમાં પણ બાબર આઝમના બેટથી રન બનાવ્યા નથી. પેશાવર જાલ્મી માટે ઓપનરના રૂપમાં 2 ઇનિંગ્સમાં માત્ર એક રન બનાવ્યો છે. નોંધનીય છે કે, બાબર આઝમે વર્ષ 2020માં કરાચી કિંગ્સના PSL જીતનારી ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે એ ટૂર્નામેન્ટમાં 11 ઇનિંગ્સમાં 473 રન બનાવ્યા હતા અને ફાઇનલમાં મેચ-વિનિંગ નોટ આઉટ 63 રન બનાવ્યા હતા.

Related Posts

Top News

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Gujarat 
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Copyright (c) Khabarchhe All Rights Reserved.