આ કોઈ રીત નથી, રિપોર્ટરના બૂમ પાડવા પર બાબર આઝમે આપ્યું ખતરનાક રિએક્શન

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. પાકિસ્તાન ટીમે મેચનૈ રિઝલ્ટ માટે ઘણી કોશિશ કરી પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. પાકિસ્તાને પાંચમાં દિવસના ત્રીજા સેશનમાં ન્યુઝીલેન્ડને 137 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મહેમાન ટીમે 1 વિકેટ પર 61 રન બનાવી લીધા હતા પરંતુ ખરાબ લાઈટીંગના કારણે આગળની રમત રમાઈ ન હતી અને મેચ ડ્રો થઈ હતી. મેચ પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા.

બાબરે એક તરફ પત્રકરોના સવાલ પર સહજ થઈને જવાબ આપ્યો તો બીજી તરફ તેણે એક રિપોર્ટરને ખતરનાક રિએક્શન આપ્યું હતું. તેના રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અસલમાં બાબર જ્યારે પ્રેસ રૂમથી જવાનો હતો તો રિપોર્ટરે બૂમ પાડી કે આ કોઈ રીત નથી. અહીં સવાલ માટે તમને ઈશારા કરી રહ્યા છીએ અને તમે જઈ રહ્યા છો. જેના પછી બાબરે કોઈ જવાબ આપ્યો નહીં અને રિપોર્ટરને થોડા સમય સુધી ઘુરીને જોયા કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બાબરે આ રિએક્શન એટલા માટે આપ્યો કારણ કે આ રિપોર્ટરે થોડા દિવસો પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં અસહજ કરનારો સવાલ પૂછ્યો હતો.

મતલબ છે કે બાબરના નેતૃત્વવાળી પાકિસ્તાની ટીમ માટે ટેસ્ટનું વર્ષ 2022 માટે સારું થયું ન હતું. પાકિસ્તાનના સ્થાનિક જમીન પર સાત ટેસ્ટ રમી અને એક પણ મેચ જીતી નથી. પાકિસ્તાનને ચાર ટેસ્ટમાં હાર મેળવવી પડી છે અને ત્રણ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. પાકિસ્તાનને હાલમાં જ ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં સૂપડો સાફ કરી દીધો અને હવે તે ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે મેચની ટેસ્ટ સીરિઝમાં આમને-સામને છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 2 જાન્યુઆરીના કરાચીમાં રમાશે.

બાબર આઝમે પણ બેઝબોલના અંદાજમાં રિઝલ્ટ મેળવવા માટે ઈનિંગ જાહેર કરી, પરંતુ તેનો આ નિર્ણય ટીમ પર ભારે પડતો જોવા મળ્યો હતો. પાકિસ્તાને ન્યુઝીલેન્ડની સામે જીતવા માટે 15 ઓવરમાં 138 રનનો લક્ષ્ય રાખ્યો હતો, તો ખરાબ રોશનીએ મેજબાનોને બચાવી લીધા નહીં તો ન્યુઝીલેન્ડ લક્ષ્ય હાંસલ કરવાના પૂરા મૂડમાં હતી. ખરાબ લાઈટના લીધે દિવસની રમત ખતમ થવા સુધીમાં કીવી ટીમે 7.3 ઓવરમાં 61 રન બોર્ડ પર બનાવી દીધા હતા.

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.