‘જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન ન હોત તો તેના ખાતામાં..’ આ શું બોલી ગયા ગંભીર

ભારતીય ક્રિકેટ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ઘણી સીરિઝ અને ટ્રોફી જીતી છે, તેમાં 3 ICC ટ્રોફી પણ સામેલ છે. વર્ષ 2004માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2007માં ભારતીય ટીમનો કેપ્ટન બની ગયો હતો અને ત્યારબાદ તેણે જે પ્રકારે ભારતીય ક્રિકેટને આગળ વધારી, તે સરાહનીય હતું. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ખૂલીને પોતાના વિચાર રાખવા માટે જાણીતા છે અને તેઓ કંઈક એવા નિવેદન આપી ચૂક્યા છે જેથી લાગે છે કે તે ધોની અને વિરાટ કોહલીથી વધારે ખુશ રહેતા નથી.

એવામાં ગૌતમ ગંભીરના મોઢે મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ સાંભળીને ફેન્સ થોડા હેરાન જરુર થઈ જાય છે. એશિયા કપ 2023માં ભારતીય ટીમની 10 વિકેટે શાનદાર જીત બાદ ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોની બાબતે જે વાતો કહી તે તમારું દિલ જીતી લેશે. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, ‘જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન ન હોત, તો તે પોતાના આખા કરિયરમાં નંબર-3 પર જ બેટિંગ કરતો અને કરિયરમાં ઘણા બધા રન બનાવતો. તેણે ટીમ માટે અને ટીમને ટ્રોફી જીતાડવા માટે પોતાના રનોનું બલિદાન આપ્યું.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 15 એવા બેટ્સમેન છે, જેમણે વન-ડે ઇન્ટરનેશનલમાં 10 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. તેમાં મોટા ભાગના ખેલાડીઓએ ટોપ ઓર્ડર પર જ બેટિંગ કરી છે. મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કર્યા બાદ સૌથી વધુ વન-ડે ઇન્ટરનેશનલ રન મહેન્દ્ર સિંહ ધોનીના નામ પર જ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે કરિયરની શરૂઆતમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી હોય, પરંતુ ત્યારબાદ તે પાંચમા, છઠ્ઠા કે સાતમા નંબર પર બેટિંગ કરતો રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ, વર્ષ 2011માં વન-ડે કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારથી ભારત ICC ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખત વન-ડે વર્લ્ડ કપ 2023 ભારતની મેજબનીમાં રમાવાનો છે, જેમાં ફરી એક વખત ભારત પાસે ટ્રોફી જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. વર્લ્ડ કપ અગાઉ ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એશિયા કપ 2023ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.