ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ હસીને વાત કરતા હતા તો ગુસ્સે થયા ગંભીર, આપી નાખી આ સલાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ. બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતુષ્ટ થવું પડ્યું. મેચ રદ્દ થયા બાદ ભારત અને પાકિસ્તાનના ખેલાડી એક-બીજા સાથે હસી મજાક કરતા નજરે પડ્યા. જેને જોઈને ગૌતમ ગંભીરનો ગુસ્સે સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરતા બંને ટીમોના ખેલાડીઓને સલાહ આપી નાખી અને કહ્યું કે, ‘મિત્રતા બહાર રહેવી જોઈએ, ભારતીય ટીમ 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને તેમણે સ્ટેડિયમની અંદર મિત્રતાનું એવું પ્રદર્શન ન કરવું જોઈએ.’

તેમણે આગળ કહ્યું કે, એવી લાગણી અને મિત્રતાના બધા અભિનય મેદાન બહાર થવા જોઈએ. જ્યારે તમે નેશનલ ટીમ માટે મેદાનમાં રમો છો તો તમારે મિત્રતા સીમા બહાર છોડી દેવી જોઈએ. ફેસ ગેસ થવી જરૂરી છે. મિત્રતા બહાર રહેવી જોઈએ. બંને ટીમોના ખેલાડીઓની આંખોમાં મેદાન પર આક્રમકતા હોવી જોઈએ. તે 6 કે 7 કલાક બાદ તમે ક્રિકેટ બાદ જેટલા ઈચ્છો મિલનસાર થઈ શકો છો, પરંતુ આ કલાક ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તમે માત્ર પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા નથી. તમે એક અબજ કરતા વધુની વસ્તીવાળા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, હાલના દિવસોમાં તમે પ્રતિદ્વંદ્વી ટીમોના ખેલાડીઓને એક-બીજાની પીઠ થપથાપવાતા અને એક-બીજાને જોઈને જી હુજુરી કરતા જોઈ રહ્યા છો, પરંતુ થોડા વર્ષો અગાઉ તમે એવું ક્યારેય જોયું નહીં હોય. તમે ફ્રેન્ડલી મેચ રમી રહ્યા નથી, જ્યાં સુધી તમે મેદાન પર છો, ત્યાં સુધી તમારે એક-બીજા વિરુદ્ધ આક્રમક થવું પડશે. ગૌતમ ગંભીરે એ સિવાય ક્રિકેટમાં સ્લેજિંગને લઈને પણ વાત કહી. તેમણે કહ્યું કે, ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ સારી છે, તેને ક્યારેય પણ તેન વ્યક્તિગત ન લેવી જોઈએ.

તેમ આમતેમ કરી શકો છો, પરંતુ વ્યક્તિગત ન બનો, તમારે પોતાની સીમાની અંદર રહેવું પડશે. કોઈના પરિવારના સભ્યને સામેલ ન કરો કે અત્યધિક વ્યક્તિગત ન બનો. હસી-મજાક સારા છે, સ્લેજિંગ સારા છે. ગૌતમ ગંભીરે કામરાન અકમલને લઈને પણ વાત કરી કે મારી અને અકમલની મિત્રતા રહી છે. અમે મેદાન પર એક-બીજા વિરુદ્ધ આક્રમક બનીને રહેતા હતા, પરંતુ મેચ બાદ અમારી ખૂબ વાતો થતી હતી. અમે ખૂબ સારા મિત્ર છીએ. વાસ્તવમાં મેં તેને એક બેટ આપી અને તેણે પણ મને એક બેટ આપી. હું એક આખી સીઝન એ બેટથી રમ્યો, જે કામરાને મને આપી હતી. અમે હાલમાં જ એક કલાક સુધી એક-બીજા સાથે વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.