ગૌતમ ગંભીર બનશે ટીમ ઇન્ડિયાના આગામી મુખ્ય કોચ! BCCI આ દિવસે જાહેરાત કરશે

કોલકાતા નાઈટ રાઈડર્સને IPL 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીરને BCCI મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગૌતમ ગંભીર ભારતના આગામી મુખ્ય કોચ બની શકે છે.

પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 42 વર્ષીય ડાબોડી બેટ્સમેન હાલના કોચ રાહુલ દ્રવિડનું સ્થાન લેશે, જેનો કરાર જૂન 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. રવિવાર (16 જૂન)ના રોજ મીડિયા સૂત્રોના એક અહેવાલ અનુસાર, ગૌતમ ગંભીરની નિમણૂકની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને જૂનના અંત સુધીમાં તેને ભારતના નવા મુખ્ય કોચ તરીકે જાહેર કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના એક અધિકારીએ ગૌતમ ગંભીરની નિમણૂકના સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે યોગ્ય સમયે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગૌતમ ગંભીરે BCCIને તેના સપોર્ટ સ્ટાફને લાવવાની માંગ કરી છે, હાલમાં વિક્રમ રાઠોડ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ છે, જ્યારે પારસ મ્હામ્બરે બોલિંગ કોચ છે. T. દિલીપ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે રાહુલ દ્રવિડના સપોર્ટ સ્ટાફનો એક ભાગ છે.

ગૌતમ ગંભીરે અત્યાર સુધી ક્યારેય કોઈ ટીમને ફુલ ટાઈમ કોચિંગ નથી આપ્યું. પરંતુ તેઓ છેલ્લા ત્રણ વર્ષથી IPL સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે. તે 2022 થી 2023 સુધી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હતો અને તેમને બેક-ટુ-બેક પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. IPL 2024ની શરૂઆત પહેલા ગંભીર KKR સાથે જોડાયો, અને તેની ડેબ્યૂ સિઝનમાં, તેણે KKRને તેનું ત્રીજું IPL ટાઇટલ અપાવ્યું.

રાહુલ દ્રવિડ પછી ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનવાની રેસમાં રિકી પોન્ટિંગ, સ્ટીફન ફ્લેમિંગ, મહેલા જયવર્દને અને જસ્ટિન લેંગર જેવા ઘણા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ હતા. પરંતુ BCCI આ ભૂમિકા માટે ભારતીયની તરફેણમાં હતું. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું પ્રથમ કાર્ય જુલાઈમાં ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ હોવાની શક્યતા છે. અહીં તમને જણાવી દઈએ કે, સંદીપ પાટીલ, મદન લાલ, કપિલ દેવ અને રવિ શાસ્ત્રી પછી ગૌતમ ગંભીર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનનાર પાંચમો વર્લ્ડ કપ વિજેતા બનશે.

About The Author

Related Posts

Top News

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.