ભારતને તેના ઘરમાં હરાવવું અશક્ય, પાકિસ્તાની ટીમ પર ગુસ્સે થયા રમીઝ રાજા

ભારતીય ટીમે શ્રીલંકા પછી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ વન-ડે સીરિઝમાંથી બે મેચમાં જીત મેળવીને સીરિઝ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાયેલી મેચમાં છેલ્લા 34 વર્ષથી ટીમ ઈન્ડિયા એક પણ વન-ડે સીરિઝ હારી નથી. ભારતની પોતાના ઘરે આ સતત સાતમી વન-ડે સીરિઝમાં જીત છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ઘણું જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાના પાકિસ્તાની પ્લેયર્સ પણ વખાણ કરી રહ્યા છે. હવે પાકિસ્તાના ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ભારતની જીત પર મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે.

 

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અને PCBના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ યુટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે, ભારતને ભારતમાં હરાવવું ઘણું અઘરું છે. આ પાકિસ્તાન સહિત ઉપમહાદ્વીપની અન્ય ટીમો માટે શીખવા જેવી વાત છે. પાકિસ્તાન પાસે પૂરતી ક્ષમતા છે, પરંતુ સીરિઝ જીતવાના મામલામાં સ્થાનિક પ્રદર્શન ટીમ ઈન્ડિયા જેવું નથી. વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. ન્યૂઝીલેન્ડ એક ખરાબ ટીમ નથી. તે રેન્કિંગમાં ટોપની ટીમ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની ગેમમાં ફસાઈ ગઈ કારણ કે તેમની બેટિંગમાં આત્મવિશ્વાસ અને લય ન હતો.

ભારતીય બોલરો માટે રમીઝ રાજાએ કહ્યું હતું કે ભારતના બોલર્સ પાસે ભલે વધારે સ્પીડ ના હોય, પરંતુ તેમની પાસે ક્વોલિટી છે. તેમણે પરફેક્ટ બોલ ફેંકવાની આદત બનાવી લીધી છે. તે ફીલ્ડના હિસાબે બોલિંગ કરે છે. તેમની સીમા કમાલની હતી. તેમણે સ્લીપથી જે દબાવ બનાવ્યો, તે જોવામાં શાનદાર હતો. સ્પીનર્સ પણ જીતમાં યોગદાન આપતા રહે છે. 

ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર ન્યૂઝીલેન્ડે બીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 110 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો હતો. ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝે કમાલનું પ્રદર્શન કર્યું. આ સિવાય રોહિત શર્માએ પણ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતીને પહેલા બેટિંગ કે ફિલ્ડીંગ કરવી તે માટેનો નિર્ણય લેવા માટે મેદાન પર બે ઘડી વિચાર કરતો જોવા મળ્યો હતો અને અંતે તેણે પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો હતો અને પહેલી 10 ઓવર સુધીમાં ઈન્ડિયન બોલરોએ કીવીની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.