ભારતીય ટીમ માટે ખુશખબરી, બુમરાહ આ વનડે સીરિઝથી ટીમમાં કરશે કમબેક

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સીરિઝ માટે સ્ક્વોર્ડમાં સામેલ કર્યો છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પોતાના જ ઘરમાં ત્રણ T20 અને ત્રણ વનડે મેચોની સીરિઝ રમવાની છે. પહેલા T20ની સીરિઝ રમાશે, જેની પહેલી મેચ મંગળવાર (3 જાન્યુઆરી) ના રોજ રમાશે. ત્યારબાદ ત્રણ વનડે મેચોની સીરિઝ રમવામાં આવશે. આ ત્રણેય વનડે 10, 12 અને 15 જાન્યુઆરીના રોજ રમવામાં આવશે.

29 વર્ષીય જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે સપ્ટેમ્બર 2022થી જ ક્રિકેટિંગ એક્શનથી દૂર હતો. તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડકપમાં પણ રમ્યો ન હતો. તે ત્યારથી જ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ માટે ગયો હતો. પરંતુ, હવે NCAએ તેને ફિટ જાહેર કરી દીધો છે. હવે તે વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ થશે.

જસપ્રીત બુમરાહે છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર, 2022ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈદરાબાદમાં T20 મેચ રમી હતી. આ મેચમાં બુમરાહે 50 રન લુંટાવ્યા હતા અને કોઈ વિકેટ લઈ શક્યો ન હતો. ત્યારબાદ બુમરાહે બેક સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે સૌથી પહેલા એશિયા કપમાંથી બહાર થવુ પડ્યું હતું. ત્યારબાદ તેની ઈજામાંથી થોડી રિકવરી આવતા તેને T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ, છેલ્લાં સમયે તેની ઈજા ફરી ઉભરી આવી, તો તેણે આખા વર્લ્ડકપમાંથી જ બહાર થવુ પડ્યું હતું. ત્યારબાદ તેણે હવે ટીમમાં ફરી કમબેક કર્યું છે. 

View this post on Instagram

A post shared by jasprit bumrah (@jaspritb1)

વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોર્ડ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝનું શિડ્યૂલ

પહેલી વનડે- 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી વનડે- 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી વનડે- 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.