કેવિન પીટરસને કોહલીને RCB છોડવાની આપી સલાહ, આ ટીમમાં રમવા માટે કહ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ ગુજરાત ટાઈટન્સ (GT) સામે હારીને પ્લેઓફની રેસથી બહાર થઈ ગઈ. આ હાર સાથે જ વિરાટ કોહલીનું IPL ટ્રોફી જીતવાનું સપનું પણ ફરી એક વખત તૂટી ગયું. તેને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી કેવિન પીટરસને પણ એક ટ્વીટ કરી છે, જે આ સમયે ચર્ચાઓની વિષય બની છે. ફેન્સ પણ આ ટ્વીટ પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કેવિન પીટરસને શું ટ્વીટ કરી છે.

IPLના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી એક વખત પણ ટ્રોફી પોતાના નામે કરી શકી નથી. આ વર્ષે ફેન્સને આશા હતી કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અંતિમ લીગ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે, પરંતુ તેમની આશાઓ પર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. એવામાં ફેન્સ વિરાટ કોહલી માટે વધારે દુઃખી છે, જેના ભરપૂર પ્રયાસો બાદ પણ ટીમને ઈચ્છા મુજબ પરિણામ મળી રહ્યું નથી. આ દરમિયાન કેવિન પીટરસનની ટ્વીટ ફેન્સના નજરમાં આવી ગઈ છે.

કેવિન પીટરસને વિરાટ કોહલીને બીજી IPL ટીમમાં જવાની સલાહ આપી નાખી છે. તેમણે આ ટ્વીટ દ્વારા વિરાટ કોહલીને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં સામેલ થવા માટે કહ્યું છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે વિરાટ કોહલી RCB છોડીને કેપિટલ્સની ટીમમાં જાય. કેવિન પીટરસનની આ ટ્વીટ પર ફેન્સ ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે વિરાટ કોહલી પોતાની ટીમ માટે ખૂબ વફાદાર છે અને એવું બની નહીં શકે કે તે માત્ર ટ્રોફી માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છોડી દે.

તો વધુ એક ફેને લખ્યું કે, જો વિરાટ કોહલી બીજી ટીમમાં જવા માગે છે, તો તેણે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં જવું જોઈએ. મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ આ ટીમની કેપ્ટન્સી સંભાળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી વર્ષ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયો હતો અને વર્ષ 2013થી તેણે બેંગ્લોરની કેપ્ટન્સી સંભાળી હતી. ગયા વર્ષે તે કેપ્ટન્સીમાંથી હટી ગયો હતો અને તેની જગ્યાએ ફાફ ડુ પ્લેસીસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે પણ ફેન્સ બેંગ્લોરની ટીમને કોહલીના નામ સાથે જ જોડે છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.