પાક.માં રહેવું જેલમાં રહેવા જેવું, આ દિગ્ગજ ક્રિકેટરને ઘણા દિવસ ભૂખુ રહેવુ પડ્યુ

ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી સાયમન ડૂલ હવે કમેન્ટરની ભૂમિકામાં જ નજરે પડે છે. તેઓ સતત કોઈક ને કોઈ કારણે ચર્ચામાં બન્યા રહે છે. હાલમાં જ તેમણે લાઈવ કમેન્ટ્રી દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની સ્ટ્રાઈક રેટની નિંદા કરી હતી. ત્યારબાદ તેમની પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આમિર સોહેલ સાથે બહેસ પણ થઈ ગઈ હતી. હવે ફરી એક વખત સાયમન ડૂલ ચર્ચામાં છે. આ વખત તેમણે ફરીથી પાકિસ્તાન પર જ મોટી કમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેવું જેલમાં રહેવા જેવું જ છે.

એક વખત તેઓ પાકિસ્તાનમાં ફસાઈ ગયા તો તેમને ઘણા દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું. સાયમન ડૂલે જણાવ્યું કે, બાબર આઝમના ફેન્સ તેમની રાહ જો રહ્યા હતા, આ કારણે તેઓ જઈ પણ રહ્યા નહોતા. પછી તેમણે ભગવાનનો આભાર માનતા કહ્યું કે, કોઈક પ્રકારે તે પાકિસ્તાનથી નીકળી આવ્યા. સાયમન ડૂલે જણાવ્યું કે, પાકિસ્તાનમાં તેમને માનસિક રીતે ખૂબ ટૉર્ચર ઝીલવું પડ્યું.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સાયમન ડૂલે જણાવ્યું કે, પાકિસ્તાનમાં રહેવું જેલમાં રહેવા જેવું છે. મને બહાર જવાની મંજૂરી નહોતી કેમ કે બાબર આઝમના ફેન્સ મારી રાહ જોઈ રહ્યા હતા. મને પાકિસ્તાનમાં ઘણા દિવસો સુધી કંઈ ખાધા-પીધા વિના રહેવું પડ્યું હતું. હું માનસિક રૂપે ખૂબ પરેશાન થઈ ગયો હતો, પરંતુ ભગવાનનો આભાર છે કે હું કોઈક પ્રકારે પાકિસ્તાનથી નીકળી આવ્યો. આ સમયે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. અહી બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની મહત્ત્વની સીરિઝ રમવાની છે.

સીરિઝની પહેલી મેચ શુક્રવારે એટલે કે 14 એપ્રિલના રોજ લાહોરમાં રમાશે. સીરિઝની શરૂઆતી ત્રણ T20 મેચ લાહોર અને બાકી 2 રાવલપિંડીમાં રમાશે. T20 બાદ પાકિસ્તાનમાં જ ન્યૂઝીલેન્ડે 5 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. આ સીરિઝની શરૂઆતી 2 વન-ડે રાવલપિંડી અને બાકી ત્રણ મેચ કરાચીમાં હશે. સીરિઝની પહેલી વન-ડે મેચ 27 એપ્રિલના રોજ થશે. આ બંને સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડના આ દિગ્ગજનું આ નિવેદન સામે આવવાથી પાકિસ્તાની ફેન્સમાં નિરાશા જરૂર છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.