બાળપણમાં પિતાને ગુમાવ્યા, હવે 18 વર્ષની ઉંમરે ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો

ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા વતી એક ખેલાડી પણ રમી રહી હતી, જેણે નાનપણમાં જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા અને તેના ભાઈનું પણ સાપ કરડવાથી મોત થઈ ગયું હતું. જાણો આ મુશ્કેલીઓ બાદ પણ તે અહી સુધી કેવી રીતે પહોંચી..

ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ભારતની ટીમો વચ્ચે રમાઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ એકતરફી જીતી લીધી હતી. આ વર્લ્ડ કપમાં 18 વર્ષની એક ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. તેણીએ બાળપણમાં તેના પિતાને ગુમાવ્યા હતા અને સાપના ડંખને કારણે તેના ભાઈનું પણ મૃત્યુ થયું હતું, પરંતુ તે વિશ્વ ચેમ્પિયન ખેલાડી બનવામાં સફળ રહી છે.

ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં સામેલ અર્ચના દેવીનું જીવન સંઘર્ષમય રહ્યું છે. ફાઈનલ મેચમાં અર્ચના દેવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 ઓવર બોલિંગ દરમિયાન માત્ર 17 રન જ આપ્યા અને 2 વિકેટ પોતાના નામે કરી. અર્ચના દેવીએ આ ટુર્નામેન્ટમાં ભારત માટે ઘણા મેચ વિનિંગ સ્પેલ ફેંક્યા હતા.

અર્ચના દેવીએ વર્ષ 2007માં જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. તો 6 વર્ષ પહેલા જ તેના નાના ભાઈનું પણ અવસાન થયું હતું. તેનો નાનો ભાઈ સાપ કરડવાથી મૃત્યુ પામ્યો હતો. આટલી મુશ્કેલીઓ બાદ આજે અર્ચના દેવીના ઘરમાં ખુશીઓ આવી છે.

અર્ચનાની માતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું, 'મેં મારા 1 એકરના ખેતરમાં કામ કર્યું અને જીવવા માટે મારી બે ગાયનું દૂધ વેચ્યું. લોકો મને ટોણા મારતા હતા કારણ કે મેં અર્ચનાને ઘરથી દૂર ગંજ મુરાદાબાદની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા મોકલી હતી. ત્યાં પ્રવેશ મેળવતા પહેલા રોજનું 30 રૂપિયાનું બસ ભાડું પણ મુશ્કેલીથી મેનેજ થતું હતું.

આ ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડની ટીમને 17.1 ઓવરમાં 68 રનના સ્કોર પર પાડી દીધી હતી. ભારત તરફથી અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા અને તિતાસ સાધુએ 2-2 વિકેટ લીધી છે. મન્નત કશ્યપ, સોનમ યાદવ અને શેફાલી વર્માને એક-એક વિકેટ મળી હતી. ભારતીય અંડર-19 મહિલા ટીમે આ લક્ષ્યાંક 14 ઓવરમાં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.