ભારતના જ પૂર્વ ક્રિકેટર બોલ્યા- ‘ભારત એશિયા કપ જીતી લેશે પણ વર્લ્ડ કપ નહીં જીતે'

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી મદન લાલે કહ્યું કે, આગામી એશિયા કપમાં તો ભારતીય ટીમ જીતી લેશે, પરંતુ વન-ડે વર્લ્ડ કપ 2023ને લઈને કઇ કહી શકાય નહીં. મદન લાલના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપમાં 6 ટીમોમાંથી કોઈ પણ ટીમ જીત હાંસલ કરી શકે છે. એશિયા કપ માટે સિલેક્ટર્સે ભારતની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓનું પુનરાગમન થયું છે. હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તિલક વર્માને પણ ટીમમાં જગ્યા મળી છે.

મદન લાલના જણાવ્યા મુજબ, એશિયા કપમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ વર્લ્ડ કપમાં કંઇ કહી શકાય નહીં. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ‘મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય ટીમ એશિયા કપમાં જીત હાંસલ કરશે, પરંતુ વર્લ્ડ કપમાં કોઈ પણ 6 ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકામાંથી કોઈ પણ જીત હાંસલ કરી શકે છે. બધા પાસે ચાંસ છે. આપણે પોતાના ઘરમાં રમી રહ્યા છીએ તો તેનું એડવાન્ટેજ મળશે.

તેમણે એમ પણ કહ્યું કે, દબાવના કારણે તેનું નુકસાન પણ થઈ શકે છે. સારી વાત એ છે કે બધા ખેલાડી ખૂબ અનુભવી છે અને પ્રેશરમાં રમવાનું જાણે છે. મારી ચિંતા ખેલાડીઓની ફિટનેસને લઈને છે અને એ સિવાય બીજું કંઇ નથી. ખેલાડીઓ પાસે અનુભવ છે અને ખૂબ એક્સપોઝર છે. આ અગાઉ મદન લાલ એશિયા કપ જેવા ટૂર્નામેન્ટમાં ટીમના સિલેક્ટર્સ પર ખુશ નજરે પડ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટને અત્યારે પણ વિશ્વાસ છે કે કે.એલ. રાહુલ ફિટ છે કે નહીં? કઇ ઇજા કે ઘા? તેમણે એ સ્પષ્ટ કરવું જોઈતું હતું.

તેમણે શ્રેયસ ઐય્યરને રાખ્યો છે. અત્યારે પણ તેની ફિટનેસ બાબતે કોઈ ગેરંટી નથી. તેને કોઈ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમી નથી. તેને પોતાની મેચ ફિટનેસ સાબિત કર્યા બાદ સિલેક્ટ કરવો જોઈતો હતો. નેટ્સમાં બેટિંગ કરવી અને મેચમાં બેટિંગ કરવી બે અલગ-અલગ વસ્તુ છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમની મેચોની વાત કરીએ તો ભારતીય ટીમ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ચેન્નાઈમાં રમાશે. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં ભારતીય ટીમ પોતાની મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની મેચ જેની રાહ દરેક ફેન કાગડોળે જોઈ રહ્યા છે તે મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમશે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.