આ બૉલરે જણાવ્યું- કોહલી અને ધોની વચ્ચેનું અંતર, સંભળાવ્યો 10 વર્ષ જૂનો કિસ્સો

મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે, જેની કેપ્ટન્સી હેઠળ ભારતે 2 વર્લ્ડ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) અને એક ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી હતી. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ પ્રભાવિત કર્યા, તેને આ ફોર્મેટને જીવંત રાખવાનો શ્રેય પણ આપવામાં આવે છે. વન-ડે ક્રિકેટમાં બંનેએ 10,000થી વધુ રન બનાવ્યા છે. જોકે, એ માનવું પડશે કે ટેસ્ટમાં વિરાટનું પલડું ભારે છે. ધોનીએ ક્યારેય પણ ટેસ્ટમાં સદી ફટકારી નથી, જ્યારે વિરાટની 30 ટેસ્ટ સદીઓમાંથી 14 વિદેશી ધરતી પર આવી છે.

જોકે, શરૂઆતમાં આવું નહોતું. કોહલીના ટેસ્ટ કરિયરના શરૂઆતના દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની વિદેશી ધરતી પર કોહલી કરતા વધુ સારો હતો, ખાસ કરીને SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર નીલ વેગનેરે જણાવ્યું કે કેવી રીતે વર્ષ 2014માં એક ટેસ્ટ દરમિયાન તે પોતાની રણનીતિથી કોહલીને પરેશાન કરવામાં સફળ રહ્યો હતો જ્યારે ધોની તેને સારી રીતે રમ્યો હતો.

Neil-Wagner3
hindustantimes.com

વેગનરે રેડ ઇન્કર ક્રિકેટ પોડકાસ્ટમાં કહ્યું કે, મને યાદ છે કે આ ટેસ્ટ મેચમાં વિકેટ એકદમ સપાટ હતી, પરંતુ પીચ પર ગતિ અને ઉછાળ હતી. સીધી રેખામાં ઇડન પાર્કનું મેદાન ખૂબ નાનું છે, પરંતુ ચોરસ બાઉન્ડ્રી મદદરૂપ છે. મને યાદ છે કે મેં કેટલાક બાઉન્સર બૉલ ફેંક્યા હતા અને તેઓ તેને કેવી રીતે રમ્યા. ખાસ કરીને વિરાટ કોહલી થોડો અસ્થિર લાગી રહ્યો હતો. તે સમજી શકતો નહોતો કે તેણે આ બૉલ કેવી રીતે રમવા જોઈએ. રમવા જોઈએ કે આ બૉલ છોડી દેવા જોઈએ.

તેણે આગળ કહ્યું કે, મેં એમ વિચાર્યું હતું કે બૉલને ક્રોસ કરીને આંખોની દિશાથી આઉટસાઇડ ફેંકવામાં આવે. વિરાટ કોહલીએ પુલ કરતા ફ્રન્ટ ઓફ સ્ક્વેર પર મારવાનો પ્રયાસ કર્યો કેમ કે ત્યાં કોઈ ફિલ્ડર નહોતો. આ પ્રયાસમાં બૉલ તેના પગના અંગૂઠામાં વાગ્યો, જે બિજે વોટલિંગ પાસે ગયો.

Neil-Wagner1
hindustantimes.com

વેગનર જે મેચની વાત કરી રહ્યો છે તે ફેબ્રુઆરી 2014માં ઓકલેન્ડમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ચોથી ઇનિંગમાં ભારત માટે 407 રનનો ટારગેટ રાખ્યો હતો. વિરાટ કોહલીએ 67 રનની સારી ઇનિંગ રમી હતી, શિખર ધવને પણ સદી ફટકારીને સારી શરૂઆત આપી હતી. ધવને 115 રન બનાવ્યા હતા. ધોનીએ 39 રન બનાવ્યા હતા. ધોની અને કોહલીને નીલ વેગનરે આઉટ કર્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચ 40 રનથી જીતી હતા. ભારતે 270 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા અને ધોની વચ્ચે 54 રનની ભાગીદારીએ ભારતની જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ જોડી તૂટી ગયા બાદ પરિસ્થિતિ ફરી બદલાઈ ગઈ.

વેગનરે આગળ કહ્યું કે, પછી એવું લાગી રહ્યું હતું કે ધોની અને જાડેજા આ લક્ષ્યનો પીછો કરીને એક શાનદાર ઇનિંગ રમશે. એવું લાગતું નહોતું કે ધોનીને અમારા બૉલ રમવામાં વધારે મુશ્કેલી પડી રહી છે. હું એવું વિચારી રહ્યો હતો કે હું ધોનીને ધીમો બાઉન્સર બૉલ ફેંકીશ. મેં આમ કર્યું અને તેણે તેને જે પ્રકારે આગળ વધાર્યો, હું તેનાથી હેરાન રહી ગયો.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.