ભારત ન જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે,ભારત સામે ઝેર ઓકતું મિયાંદાદનું નિવેદન

પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારત સામે ઝેર ઓકતા કહ્યું છે કે, પાકિસ્તાને આ વર્ષના ODI વર્લ્ડ કપ અને અન્ય મેચો માટે પડોશી દેશમાં ન જવું જોઈએ, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પોતાની ટીમને પહેલા આપણા દેશમાં મોકલવા માટે રાજી ન હોય. તેમણે કહ્યું કે, ભારતમાં ન જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે. ICC દ્વારા તૈયાર કરવામાં આવેલા ODI વર્લ્ડ કપના ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાનનો ભારત સામે હાઈ-વોલ્ટેજ મુકાબલો 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે.

જોકે, 66 વર્ષીય પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિયાંદાદનું માનવું છે કે, હવે ભારતનો વારો છે કે તે પાકિસ્તાનનો પ્રવાસ કરે. મિયાંદાદે કહ્યું, 'પાકિસ્તાન 2012 અને ત્યાં સુધી કે 2016માં પણ ભારત ગયું હતું અને હવે અહીં ભારતીયોનો આવવાનો વારો છે. જો મારે નક્કી કરવું હોય તો, હું ક્યારેય પણ કોઈ પણ મેચ રમવા ભારત જઈશ નહીં, ત્યાં સુધી કે વર્લ્ડ કપ પણ નહીં. અમે તેમની (ભારત) સાથે રમવા માટે હંમેશા તૈયાર રહીયે છીએ, પરંતુ તેઓ ક્યારેય સરખી રીતે જવાબ આપતા નથી.'

મિયાંદાદે કહ્યું, 'પાકિસ્તાન ક્રિકેટ મોટું છે... અમે હજુ પણ ગુણવત્તાયુક્ત ખેલાડીઓ પેદા કરી રહ્યા છીએ. તેથી મને નથી લાગતું કે જો અમે ભારત નહીં જઈએ તો તેનાથી અમને કોઈ ફરક પડશે.' ભારત છેલ્લે 50 ઓવરના એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ રમાતી નથી.'

મિયાંદાદનું માનવું છે કે, રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. તેણે કહ્યું, 'મેં હંમેશા કહ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના પાડોશીને સિલેક્ટ કરી શકતો નથી, તેથી એકબીજા સાથે સહકાર કરવો એ વધુ સારું છે. મેં હંમેશા કહ્યું છે કે, ક્રિકેટ એક એવી રમત છે જે લોકોને નજીક લાવે છે અને દેશો વચ્ચેની ગેરસમજ અને ફરિયાદો દૂર કરી શકે છે.'

મિયાંદાદની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનને 'હાઇબ્રિડ મોડલ' હેઠળ આગામી એશિયા કપની યજમાની કરવાની ફરજ પડી રહી છે અને ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે. મિયાંદાદ, જેઓ ભારતના સતત કટ્ટર ટીકાકાર રહ્યા છે, તે આ નિર્ણયથી ખુશ નથી. તેણે કહ્યું, 'એવું માનવામાં આવતું હતું કે, તેઓ એક વખત પણ એશિયા કપ માટે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે, તેથી હવે સમય આવી ગયો છે કે આપણે પણ કડક વલણ અપનાવીએ.'

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.