એશિયા કપ પર ભારત-પાકિસ્તાન વચ્ચે વાકયુદ્ધ, અશ્વિને મિયાદાદને આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી જ્યારથી એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જવાની ના પાડી છે ત્યારથી પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કાલે પાકિસ્તાની ક્રિકેટર મિયાદાદે BCCIને લઇને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તો હવે રવિચંદ્રન અશ્વિને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ ભારતે ત્યાં જવાની ના પાડી દીધી.

ભારતે કહ્યું કે વેન્યૂ ચેન્જ થવા પર જ તે એશિયા કપ રમશે. એવું ઘણી વખત થાય છે જ્યારે આપણે ત્યાં રમવા નહીં જઈએ તો પણ તેઓ કહે છે કે તેઓ રમવા નહીં આવે, પાકિસ્તાને પણ કહ્યું કે વર્લ્ડ કપ રમવા નહીં આવે, પરંતુ એ સંભવ નથી. એશિયા કપનું આયોજન થઈ શકે છે. શ્રીલંકામાં કરાવવામાં આવે. જો ત્યાં થાય છે તો મને ખુશી થશે. ઉલ્લેખનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI સચિવ જય શાહે ભારતની સ્થિતિને સ્પષ્ટ કરી હતી.

BCCIએ કહ્યું કે, સુરક્ષાના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, જો એશિયા કપ ત્યાંથી શિફ્ટ થતો નથી તો ભારતીય ટીમ તેમાં હિસ્સો નહીં લે. તેના જવાબમાં પાકિસ્તાન તરફથી ધમકી આપવામાં આવી છે, જો ભારતીય ટીમ પાકિસ્તાન આવતી નથી તો પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. આ નિવેદનબાજી દરમિયાન જાવેદ મિયાદાદે કહ્યું હતું કે, અમારી ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે, જો ભારત પાકિસ્તાન આવતું નથી તો આપણે ત્યાં પણ ન જવું જોઇએ.

પાકિસ્તાને તેની ક્રિકેટમાં મળી રહી છે એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો. કહ્યું કે, ICCએ બધા ટીમો માટે નિયમ બનાવવો જોઇએ, જ્યાં જો કોઇ ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેતી નથી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભારતનું ક્રાઉડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જો તેની ટીમ હારે છે તો ક્રાઉદ બેકાબૂ થઇ જાય છે. તેમણે કહ્યું કે આવીને રમો, રમતા કેમ નથી. ભાગો છો, તેમને મુશ્કેલી થઇ જાય છે ભાગે છે.

ભારતીય ટીમ લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી નથી કેમ કે ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક સંબંધ અત્યારે સારી નથી, એવામાં બંને દેશો વચ્ચે ક્રિકેટ પણ ઘણી હદ સુધી રોકાયેલી છે. અત્યારે બંને ટીમો માટે ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એક-બીજા વિરુદ્ધ રમે છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 આ વખત પાકિસ્તાનમાં થવાનો છે, પરંતુ ભારતીય ટીમે ત્યાં જવાની ના પાડી દીધી છે.

Top News

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

શું વિજય રૂપાણીની અંતિમ વિદાયનો ખર્ચ ભાજપે તેમના પરિવાર પર નાખી દીધો તે યોગ્ય છે?

અમદાવાદ- લંડનની ફલાઇટમાં 12 જૂને થયેલા અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતં અને 16 જૂને રાજ્યની પ્રજાએ...
Gujarat 
શું વિજય રૂપાણીની અંતિમ વિદાયનો ખર્ચ ભાજપે તેમના પરિવાર પર નાખી દીધો તે યોગ્ય છે?

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.