- Sports
- બાંગ્લાદેશ સામે ભારતની જીત પર ગુસ્સે થયા પાકિસ્તાની ફેન્સ, અમ્પાયર્સ પર...
બાંગ્લાદેશ સામે ભારતની જીત પર ગુસ્સે થયા પાકિસ્તાની ફેન્સ, અમ્પાયર્સ પર...
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશી ટીમને 5 રને હરાવી દીધી. એડિલેડમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશી ટીમને 16 ઓવરમાં 151 રનનો સંશોધિત ટારગેટ મળ્યો હતો, પરંતુ તે 6 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ ગયું છે. તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે મુશ્કેલ સમય આવી ગયો છે. ભારતીય ટીમની જીત બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાની ફેન્સ ગુસ્સે ભરાઈ ગયા.

તેમણે ફિલ્ડ અમ્પાયરો પર ભારતીય ટીમ અને BCCIના દબાવમાં ભીના મેદાનમાં મેચ શરૂ કરાવવાનો આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે મેચમાં એક સમયે બાંગ્લાદેશી ટીમે ઓપનર લિટન દાસની વિસ્ફોટક ઇનિંગની મદદથી 7 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવી લીધા હતા. પછી વરસાદના કારણે ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી. જ્યારે બાંગ્લાદેશી ટીમ વરસાદ બાદ બેટિંગ કરવા આવી તો ટીમનું મોમેન્ટ તૂટી ગયું હતું. વરસાદ ગયા બાદ ફરી મેચ શરૂ થવા અગાઉ બાંગ્લાદેશના કેપ્ટન શાકીબ અલ હસન અને અમ્પાયરો વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.
Whether India is playing a match with Pakistan or Bangladesh or any Asian country, the match is decided in favor of India, the umpires also do what ICC says i.e. BCCI. Its mean ICC = BCCI pic.twitter.com/K3EroVeebq
— Usama ?? (@usama_022) November 2, 2022
Totally biased umpiring through out the match. From the on field umpire to the third. Everyone put their efforts to win it for India. Indeed ICC stands for Indian Cricket Council.
— ?? Muhammad Noor ?? (@Noor_Marriii) November 2, 2022
This photo is not just a Meme but reflection of what ICC does. pic.twitter.com/zpiyPjiiuY
બાંગ્લાદેશી ટીમ એ સમય સુધી ડેકવર્થ લૂઇસના નિયમોના આધાર પર 17 રન આગળ હતી. એવામાં શાકીબ અલ હસન ઈચ્છતો હતો કે, જ્યાં સુધી આઉટ ફિલ્ડ સુકાઈ ન જાય ત્યાં સુધી રમત શરૂ કરવામાં ન આવે. જોવા જઈએ તો અમ્પાયરે મેદાન પૂરી રીતે તૈયાર થવા પર જ રમત શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રમત ફરી શરૂ થયા બાદ પહેલા બૉલ પર જ લિટન દાસ લપસી પણ ગયો હતો. ભારતીય ટીમની જીતનો અર્થ છે કે પાકિસ્તાની ટીમની સફર હવે ખૂબ મુશ્કેલ થઈ ચૂકી છે.
Getting runout after slipping due to wet outfield and game is still on? Man, BCCI is really shameless.
— Hassan Cheema (@Gotoxytop1) November 2, 2022
Players are slipping but BCCI is making them play in rain. Next time someone says money doesn’t matter just slap him hard.
— Usama Zafar (@Usama7) November 2, 2022
Players are slipping but BCCI is making them play in rain. Money just buys everything……
— ✨ (@gayomarlic) November 2, 2022
જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશી ટીમ વિરુદ્ધ મેચ જીતી લે છે તો તેના 6 પોઈન્ટ રહેશે. એવામાં પાકિસ્તાન આશા રાખશે કે ઝીમ્બાબ્વે બાંગ્લાદેશને, જ્યારે નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી દે. ત્યારે એવી સ્થિતિમાં તે દક્ષિણ આફ્રિકાને પોઇન્ટના આધાર પર પાછળ છોડી શકે છે કે ભારત સાથે તેનો નેટ રનારેટનો મામલો બની શકે છે. કુલ મળીને કહીએ તો બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની જીતના કારણે પાકિસ્તાની ટીમનું સેમીફાઇનલમાં જવાનું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે.

