પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો

વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં જ પોતાના ચાહકોને સૌથી મોટી ખુશી આપી છે. તેમણે ચાહકોના મન અને દિલમાં રહેલા સૌથી મોટા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. મતલબ કે હવે કોઈ શંકા નથી કે કોઈ સવાલ ઉભો થઇ શકે. તમે વિચારતા હશો કે વિરાટ કોહલીએ એવું તે શું કહ્યું કે શું કર્યું? હકીકતમાં, તે તેની નિવૃત્તિ સાથે સંબંધિત નથી પરંતુ 2027 વર્લ્ડ કપમાં રમવા કે ન રમવા સાથે સંબંધિત છે. વિરાટ કોહલીએ ફક્ત 15 સેકન્ડમાં આ મુદ્દા પર જે કહ્યું છે તે અદ્ભુત છે. ચાલો જાણી લઈએ કે તેણે શું કહ્યું...

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાન પર જોવા માટે ચાહકો ઘણીવાર ઉત્સુક હોય છે. વિરાટે બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. હવે કોહલીના નામે બે ICC ટ્રોફીનો ટેગ પણ જોડાયેલો છે. 2024માં, તેઓએ T20 વર્લ્ડ કપ જીત્યો અને ગયા મહિને, તેઓએ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. પરંતુ વાસ્તવિક મિશન હજુ આવવાનું બાકી છે, જેના માટે કોહલી એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. કોહલીએ પોતે આ વાતની જાહેરાત કરી છે.

Virat Kohli
threads.net

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ પહેલા, રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના નિવૃત્તિ અંગે પણ ચર્ચાઓ જોવા મળી રહી હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા પછી પોતાની નિવૃત્તિ અંગેની અટકળોનો અંત લાવ્યો. હવે વિરાટ કોહલીએ જણાવ્યું કે તેમનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના આગામી મોટા પગલા વિશે વાત કરતો જોવા મળે છે.

વિરાટ અને રોહિત આગામી ODI વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ રહી નહોતી, પરંતુ કોહલીએ તેના આગળના મોટા પગલાં અંગે સીધી જીત માટે તૈયારી બતાવી હતી. તેણે એક શો દરમિયાન કહ્યું હતું કે, તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેની જાહેરાત પછી, ચારે બાજુ એક પડઘો પડ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

Virat Kohli
threads.net

ટીમ ઈન્ડિયા 2023ના ODI વર્લ્ડ કપમાં ખિતાબ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને આ હારનો બદલો લીધો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, કોહલી પોતાના આ નિર્ણય પર અડગ રહે છે કે નહીં.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.