બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કમિન્સ ભારતીય ટીમની વર્લ્ડ કપ જેવી હાલત કરવા માગે છે

પેટ કમિન્સે કેપ્ટન્સી કરતા લગભગ દરેક મોટી સીરિઝ અને ટૂર્નામેન્ટ પોતાના નામે કર્યા છે, પરંતુ છેલ્લા 4 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતીય ટીમનો કબજો છે. તેમાં 2 વખત ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવીને ટ્રોફી ડિફેન્ડ કરી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ 10 વર્ષથી એટલે કે વર્ષ 2014થી ભારતીય ટીમને આ સીરિઝમાં મ્હાત આપી શકી નથી, પરંતુ કેપ્ટન કમિન્સ આ વખત ભારતને હરાવવા માટે ઉત્સુક છે. સીરિઝ હજુ શરૂ પણ થઈ નથી અને તેણે અત્યારથી જ તેવર દેખાડવાના શરૂ કરી દીધા છે.

પેટ કમિન્સે તાજેતરના નિવેદનમાં ભારતની હાલત વન-ડે વર્લ્ડ કપ જેવી કરવા કહ્યું છે. ભારતીય ટીમ 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે જલદી જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને જોતા બંને જ ટીમો માટે આ સીરિઝ ખૂબ મહત્ત્વની રહેવાની છે. કમિન્સે હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન આ સીરિઝને લઈને વાત કરી છે. 22 નવેમ્બરથી શરૂ થનારી મેચ અગાઉ તેમણે ફરી ભારતની હાલત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ જેવી કરવા કહ્યું છે.

પેટ કમિન્સે કહ્યું કે, જ્યારે પણ કોઈ ટીમ દબાવમાં હોય છે, તો તેની વિરુદ્ધ રમવું ખરાબ વાત નથી. તેમણે અગાઉ પણ અહી આવીને સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારું કામ છે અમે તેમને શાંત રાખીએ. પેટ કમિન્સે આ વાત 2023ના વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પણ કહી હતી. ફાઇનલ મેચ અગાઉ તેણે ભારતીય ફેન્સ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક મોટી ભીડને શાંત થતી જોવાથી વધુ સંતોષકારક વાત નહીં હોય શકે. પેટ કમિન્સ અગાઉ જ ઓસ્ટ્રેલિયાને એશેજ સીરિઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વન-ડે વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો છે, પરંતુ તેના નામે અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નસીબ થઈ નથી.

એક ખેલાડી તરીકે તે તેને જીતી શક્યો નથી. એટલે સીરિઝ શરૂ થવા અગાઉ પેટ કમિન્સે કહ્યું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એક એવી મોટી સીરિઝ રહી ગઈ છે, જેને જીતવાની બાકી રહી ગયું છે, કમિન્સના જણાવ્યા મુજબ ઘર પર સતત 2 સીરિઝ હાર્યા બાદ દરેક તેને લઈને સીરિયસ છે અને આગામી સીરિઝ ખૂબ મોટી થવાની છે. આખી ટીમ ખૂબ તૈયારી કરી રહી છે અને સારા પ્રદર્શનની પૂરી આશા છે.

Related Posts

Top News

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Copyright (c) Khabarchhe All Rights Reserved.