બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કમિન્સ ભારતીય ટીમની વર્લ્ડ કપ જેવી હાલત કરવા માગે છે

પેટ કમિન્સે કેપ્ટન્સી કરતા લગભગ દરેક મોટી સીરિઝ અને ટૂર્નામેન્ટ પોતાના નામે કર્યા છે, પરંતુ છેલ્લા 4 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતીય ટીમનો કબજો છે. તેમાં 2 વખત ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવીને ટ્રોફી ડિફેન્ડ કરી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ 10 વર્ષથી એટલે કે વર્ષ 2014થી ભારતીય ટીમને આ સીરિઝમાં મ્હાત આપી શકી નથી, પરંતુ કેપ્ટન કમિન્સ આ વખત ભારતને હરાવવા માટે ઉત્સુક છે. સીરિઝ હજુ શરૂ પણ થઈ નથી અને તેણે અત્યારથી જ તેવર દેખાડવાના શરૂ કરી દીધા છે.

પેટ કમિન્સે તાજેતરના નિવેદનમાં ભારતની હાલત વન-ડે વર્લ્ડ કપ જેવી કરવા કહ્યું છે. ભારતીય ટીમ 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે જલદી જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને જોતા બંને જ ટીમો માટે આ સીરિઝ ખૂબ મહત્ત્વની રહેવાની છે. કમિન્સે હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન આ સીરિઝને લઈને વાત કરી છે. 22 નવેમ્બરથી શરૂ થનારી મેચ અગાઉ તેમણે ફરી ભારતની હાલત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ જેવી કરવા કહ્યું છે.

પેટ કમિન્સે કહ્યું કે, જ્યારે પણ કોઈ ટીમ દબાવમાં હોય છે, તો તેની વિરુદ્ધ રમવું ખરાબ વાત નથી. તેમણે અગાઉ પણ અહી આવીને સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારું કામ છે અમે તેમને શાંત રાખીએ. પેટ કમિન્સે આ વાત 2023ના વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પણ કહી હતી. ફાઇનલ મેચ અગાઉ તેણે ભારતીય ફેન્સ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક મોટી ભીડને શાંત થતી જોવાથી વધુ સંતોષકારક વાત નહીં હોય શકે. પેટ કમિન્સ અગાઉ જ ઓસ્ટ્રેલિયાને એશેજ સીરિઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વન-ડે વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો છે, પરંતુ તેના નામે અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નસીબ થઈ નથી.

એક ખેલાડી તરીકે તે તેને જીતી શક્યો નથી. એટલે સીરિઝ શરૂ થવા અગાઉ પેટ કમિન્સે કહ્યું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એક એવી મોટી સીરિઝ રહી ગઈ છે, જેને જીતવાની બાકી રહી ગયું છે, કમિન્સના જણાવ્યા મુજબ ઘર પર સતત 2 સીરિઝ હાર્યા બાદ દરેક તેને લઈને સીરિયસ છે અને આગામી સીરિઝ ખૂબ મોટી થવાની છે. આખી ટીમ ખૂબ તૈયારી કરી રહી છે અને સારા પ્રદર્શનની પૂરી આશા છે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.