ખાડો કે ઊંઘનું ઝોકું? રિષભ પંતના અકસ્માત પર ઉત્તરાખંડ સરકાર-NHAIના સામ-સામે

કાર અકસ્માત બાદ વિકેટકીપર રિષભ પંતની ઉત્તરાખંડના દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. મેક્સ હોસ્પિટલમાં રિષભની સારવાર ચાલી રહી છે, ક્રિકેટ ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન રિષભ પંતનો અકસ્માત કેવી રીતે થયો તેની પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે અત્યાર સુધી અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે, સાથે જ રાજ્ય સરકાર અને NHAIના નિવેદનો વચ્ચેનો તફાવત પણ દેખાઈ રહ્યો છે.

અકસ્માત પછી સૌથી પહેલું નિવેદન રિષભ પંતનું આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે ઊંઘનું ઝોકુ આવવાને કારણે તેની કારનું સંતુલન બગડ્યું હતું. જોકે, બાદમાં ડીડીસીએના અધિકારીઓએ કહ્યું કે રસ્તા પર ખાડો આવી ગયો હતો, તેનાથી બચવાના પ્રયાસમાં રિષભની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે રિષભ પંત સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પુષ્કર સિંહ ધામીએ પણ ખાડા વાળી થિયરી વિશે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે રિષભ પંતે વાતચીતમાં કહ્યું હતું કે રસ્તા પર ખાડા જેવું કંઈક આવ્યું હતું, જેનાથી બચવાનો પ્રયાસ કરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

રિષભ પંતના અકસ્માત બાદ કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાં હાઈવે પર ખાડાઓ ભરવામાં આવી રહ્યા હતા અને તોડફોડને સરખું કરવામાં આવી રહ્યુ હતું. જોકે, ખાડાઓની આ થિયરી સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)નું નિવેદન પણ આવ્યું છે, જેમાં ખાડાઓની વાતને નકારી કાઢવામાં આવી છે.

આજતક સાથેની વાતચીતમાં NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએસ ગુસાઈને જણાવ્યું હતું કે રજવાહા (નહેર)ના કારણે વારંવાર હાઈવે પર પાણી આવી જાય છે, આ રોડ પર કોઈ ખાડા નથી, પરંતુ પેચ વર્ક્સ થતા રહે છે કારણ કે કેનાલના પાણીને કારણે હાઈવે-રોડ ખરાબ થઈ જાય છે.

NHAI અધિકારીએ કહ્યું કે અમે કોઈ ખાડા પૂર્યા નથી, પરંતુ હાઈવે પર થયેલા નુકસાનનું સમારકામ કર્યું છે. આ વિસ્તાર રોડ સેફ્ટીની દૃષ્ટિએ સારો નથી કારણ કે આગળ રજવાહાને કારણે રસ્તો પાતળો થઈ જાય છે. સિંચાઈ વિભાગ સમક્ષ આ બાબત સતત ઉઠતી રહી છે.

30 ડિસેમ્બરે રિષભ પંતનો અકસ્માત થયો હતો, જ્યારે તે દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો. વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. રિષભને કાંડા, કમર, ઘૂંટણ અને માથામાં ઈજા થઈ છે, તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે.

BCCIની મેડિકલ ટીમ પણ રિષભ પંત પર નજર રાખી રહ્યા છે અને કેટલાક રિપોર્ટ આવ્યા બાદ તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે આ ઈજાના કારણે રિષભ પંત લગભગ 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે.

Top News

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય...
National 
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ અગાઉ એક હેરાન કરી દેનારો નજારો જોવા મળ્યો હતો. આ મેચ...
Sports 
મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

અમેરિકા ઘણા વર્ષોથી વિદેશી વિદ્યાર્થીઓ માટે ર્સ્વગ ગણાતું હતું, 2023-24માં અમેરિકામાં 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ...
Education 
અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા
Copyright (c) Khabarchhe All Rights Reserved.