‘ભારતે બૉલ પર વેસેલિન લગાવીને ચમકાવ્યો!’, પૂર્વ ક્રિકેટરનો લવારો

ન વિરાટ કોહલી, ન રોહિત શર્મા અને ન તો રવિચંદ્રન અશ્વિનનો અનુભવ. છતા, શુભમન ગિલ કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડ સાથે સીરિઝ ડ્રો કર્યા બાદ ભારત પરત ફર્યો છે. ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજની એ શાનદાર સ્પેલ, જેના કારણે ભારતીય ટીમ હારી ગયેલી મેચ જીતી ગઈ. હવે ભારતના તે ઐતિહાસિક જીત બાદ, પાકિસ્તાનીઓને મરચું લાગ્યું છે. આમ પણ ભારત ઉપલબ્ધિ હાંસલ કરે એ પાકિસ્તાનીઓને ક્યાંથી પચે છે. એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે.

Shabbir-Ahmed2
freepressjournal.in

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શબ્બીર અહમદે X પર પોસ્ટ કરતા લખ્યું કે-મને લાગે છે કે ભારતીય ટીમે વેસેલિનનો ઉપયોગ કર્યો હતો. 80 ઓવર બાદ પણ બોલ નવા જેવો ચમકતો હતો. અમ્પાયરોએ તે બોલને તપાસ માટે લેબ મોકલવો જોઈએ.’ આ વિવાદાસ્પદ નિવેદન માટે સોશિયલ મીડિયા યુઝર્સે શબ્બીર અહમદને ખૂબ જ ટ્રોલ કર્યો છે.

એક વ્યક્તિએ તે તસવીર શેર કરી છે જેમાં શાહિદ આફ્રિદી દાંત વડે બૉલ ચાવતો જોવા મળે છે. તો, એક વ્યક્તિએ કહ્યું કે, શબ્બીર અહમદે આ વાત વકાર યુનિસ અને વસીમ અકરમને જઈને પૂછવી જોઈએ કે શું તેઓ પણ ચીટિંગ કરીને જૂના બૉલને સ્વિંગ કરાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે મોહમ્મદ સિરાજના શાનદાર પ્રદર્શનની દુનિયાભરમાં પ્રશંસા થઈ. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 35 રન બનાવવાની જરૂરિયાત હતી. પ્રસિદ્ધ કૃષ્ણા એક એન્ડથી બોલિંગ કરી રહ્યા હતા, જ્યારે પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ બીજા એન્ડથી બોલિંગ કરી રહ્યા હતા. સિરાજે પાંચમા દિવસે 25 બૉલ ફેંક્યા અને તેણે બૉલમાં આખી મેચ પલટી નાખી. આ 25 બૉલમાં તેણે માત્ર 9 રન આપ્યા અને 4 કિંમતી વિકેટ લીધી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.