‘એશિયન ગેમ્સથી બહાર કરવા પર હેરાન હતો..’ સામે આવ્યું ધવનનું રીએક્શન

બાંગ્લાદેશ વિરુદ્ધ ડિસેમ્બર 2022માં રમાયેલી વન-ડે સીરિઝ બાદ ભારતીય ટીમના સ્ટાર ઑપનર શિખર ધવન ટીમથી બહાર છે. ત્યારબાદ ફરી એક વખત પણ ટીમમાં સિલેક્ટ થયો નથી. તો શુભમન ગિલે સતત શાનદાર પ્રદર્શન કરતા રોહિત શર્મા સાથે ઓપનિંગ સ્લોટ પર કબજો કરી લીધો છે. શુભમન ગિલ જ નહીં ઇશાન કિશને પણ આ સ્લોટ પર સતત સારું પ્રદર્શન કરીને દાવેદારી ઠોકી દીધી છે. એવામાં 37 વર્ષીય શિખર ધવન માટે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે.

હવે આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ માટે પણ તેની વાપસીની આશા લગભગ ન બરાબર છે. અહીં સુધી કે તેને એશિયન ગેમ્સ માટે પસંદ કરેલી B ટીમમાં પણ જગ્યા મળી નથી તેને લઈને શિખર ધવનનું સૌથી જોરદાર રીએક્શન સામે આવ્યું છે શિખર ધવને જણાવ્યું કે, ભારતીય ટીમના સીનિયર ખેલાડી એશિયન ગેમ્સની ટીમથી બહાર કરવાથી થોડો હેરાન હતો. પરંતુ અત્યારે પણ વાપસીની આશા છોડી નથી અને તે નજીકના ભવિષ્યમાં નેશનલ ટીમમાં વાપસી કરવા માટે આશા લગાવી બેઠો છે.

જો કે, ધવન અત્યારે પણ ભારતીય ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે. ભારતીય ટીમના બધા ખેલાડી વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત છે અને વર્લ્ડ કપ અને હાઉઝોઉ એશિયન ગેમ્સની તારીખો ક્લેશ થવાના કારણે આશા હતી કે ધવનને એશિયન ગેમ્સ માટે ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ધવન એમ કરતો પણ આવી રહ્યો હતો. આ વખત કદાચ સિલેક્ટર્સે કંઈક અલગ કરવાનું મન બનાવી લીધું હતું. જ્યારે ટીમ સામે આવી તો દરેક હેરાન હતું. કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી અને શિખર ધવનને ટીમમાં સિલેક્ટ ન કરવામાં આવ્યો.

તેને લઈને ધવને ગુરુવારે કહ્યું કે, જ્યારે મારું નામ એશિયન ગેમ્સ માટે તેમાં નહોતું, હું થોડો હેરાન હતો, પરંતુ મને લાગ્યું કે તેમની વિચારવાની પ્રક્રિયા અલગ હશે, તમારે તેને સ્વીકારવું પડશે. ખુશ છું કે ઋતુ ટીમની આગેવાની કરશે. તેમાં બધા યુવા ખેલાડી છે, મને પૂરો વિશ્વાસ છે કે તેઓ સારું કરશે. એટલું જ નહીં, ધવને પોતાની વાપસીની આશા છોડી નથી અને કહ્યું કે હું નિશ્ચિત રૂપે વાપસી કરવા માટે તૈયાર રહીશ. એટલે હું પોતાને ફિટ રાખીને છું.

હંમેશાં અવસર રહે છે, ભલે એક ટકા હોય કે પછી 20 ટકા, મને અત્યારે પણ ટ્રેનિંગમાં મજા આવે છે અને મને રમવામાં આનંદ મળે છે, આ વસ્તુ મારા નિયંત્રણમાં છે. જે પણ નિર્ણય થયો, હું તેનો સન્માન કરું છું. શિખર ધવન છેલ્લા એક દશકથી ભારતીય ટીમના સૌથી સફળ વન-ડે બેટ્સમેનોમાંથી એક છે. ખાસ કરીને ICC ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન પ્રશંસાપાત્ર રહ્યું છે. તેણે વર્ષ 2015 અને વર્ષ 2019 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી. એ સિવાય વર્ષ 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતીય ટીમની બેટિંગના હીરો હતો.

તેના નામ 167 વન-ડે મેચોમાં 6793 રન નોંધાયેલા છે જેમાં 17 સદી અને 39 અડધી સદી સામેલ છે. તો તેણે ભારત માટે 34 ટેસ્ટમાં 2,315 અને 38 T20 ઇન્ટરનેશનલમાં 1,759 રન બનાવ્યા છે. આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ જેવા મોટા ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને શિખર ધવન જેવા ખેલાડીના અનુભવની અછત જરૂર વર્તાશે. હવે જોવાનું એ રહેશે કે શુભમન ગિલ અને ઇશાન કિશન જેને પણ અવસર મળશે, તે આ કમીને કઈ હદ સુધી દૂર કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.