શોએબ અખ્તરે જણાવ્યું વિરાટ કોહલી પોતાના કરિયરમાં કુલ કેટલી સદી બનાવશે

પાકિસ્તાની પૂર્વ દિગ્ગજ બોલર શોએબ અખ્તરે પોતાના નિવેદન વચ્ચે પોતે લાઇમલાઇટ મેળવે છે. હવે શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઇને ભવિષ્યવાણી કરી છે અને જણાવ્યું છે કે પોતાના કરિયરમાં વિરાટ કોહલી કુલ કેટલી સદી બનાવશે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર 186 રનની ઇનિંગ રમી હતી અને પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 75 સદી પૂરી કરી લીધી છે. એવામાં શોએબ અખ્તરે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા વિરાટ કોહલીની સદીઓને લઇને પોતાની વાત રાખી અને આશા વ્યક્ત કરી કે, જ્યારે વિરાટ કોહલી પોતાનું કરિયર સમાપ્ત કરશે તો તેની પાસે 110 સદી હશે.

શોએબ અખ્તરે પોતાની વાત આગળ રાખતા કહ્યું કે, વિરાટ કોહલીએ ફોર્મમાં કમબેક કરવાનું હતું, એટલે મારા માટે આ કોઇ નવી વાત નથી. તેના પર કેપ્ટન્સીનો દબાવ હતો, આખરે હવે તે માનસિક રૂપે આઝાદ છે. હવે તે ફોકસ સાથે રમી રહ્યો છે અને આગળ પણ રમતો રહેશે. મને પૂરો ભરોસો છે કે, તે 110 સદી લગાવશે અને સચિન તેંદુલકરના 100 ઇન્ટરનેશનલ સદીઓના રેકોર્ડને તોડી દેશે. હવે તેની પાસે કેપ્ટન્સીનો ભાર નથી અને તે એક વર્લ્ડ ક્રિકેટનો કિંગ બનીને રમતો રહેશે.

વર્લ્ડ ક્રિકેટમાં સચિન તેંદુલકર સૌથી વધુ સદી બનાવનારા એકમાત્ર બેટ્સમેન છે. સચિન તેંદુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી બનાવી છે. વિરાટ કોહલી હવે આ સમયે 75 સદી બનાવીને બીજા નંબર છે. જો વિરાટ કોહલી આ જ પ્રકારે સદી બનાવતો રહેશે તો એ દિવસ દૂર નથી, જ્યારે સચિનના રેકોર્ડને તોડી દેશે. એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન વિરુદ્ધ T20માં વિરાટ કોહલીએ સદી બનાવીને ફોર્મમાં વાપસી કરી હતી. ત્યારબાદથી અત્યાર સુધી તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 5 સદી બનાવી ચૂક્યો છે. વન-ડેમાં 3, T20 અને ટેસ્ટમાં અત્યાર સુધી ઓગસ્ટ 2022થી લઇને 15 માર્ચ 2023 વચ્ચે 1-1 સદી બનાવી ચૂક્યો છે.

આ પહેલા ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહ પણ વિરાટ કોહલીની સદી પર વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, એ સંભવ છે કે વિરાટ કોહલી હવે સચિન તેંદુલકરની 100 ઇન્ટરનેશનલ સદીઓનો રેકોર્ડ તોડી શકે છે. આ સમયે વિરાટ કોહલીની ઉંમર અને ફિટનેસને જોતા મને લાગી રહ્યું છે કે તે 100 કરતા પણ વધુ સદી લગાવી શકે છે. તેમણે આગળ કહ્યું કે, તે અત્યારે માત્ર 34 વર્ષનો છે, પરંતુ તેની ફિટનેસ કોઇ 24 વર્ષીય ખેલાડી જેવી છે. તે પહેલા જ 75 સદી લગાવી ચૂક્યો છે અને જેવી રીતે તે રમી રહ્યો છે, મને લાગે છે કે તે ઓછામાં ઓછી 50 સદી વધુ બનાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.