સૌરવ ગાંગુલીના મતે રિષભ પંત આટલા સમયમાં ટીમમાં કમબેક કરી શકે છે

ગયા વર્ષના અંતમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇને બહાર થનારા રિષભ પંતને લઇને બધાના મનમાં સવાલ છે કે, આ યુવા વિકેટકીપર બેટ્સમેન ભારતીય ટીમમાં ક્યારે વાપસી કરશે. આ સવાલનો જવાબ પૂર્વ ભારતીય કેપ્ટન, પૂર્વ BCCI અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ આપ્યો છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, રિષભ પંતને ભારત માટે ફરી રમવામાં કદાચ 2 વર્ષનો સમય લાગી શકે છે. એક ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ (DC)માં રિષભ પંતની કમી પૂરી કરવાનું મુશ્કેલ હશે અને હાલમાં ટીમે અત્યારે રિપ્લેસમેન્ટને લઇને છેલ્લો નિર્ણય લીધો નથી.

તેમણે જણાવ્યું કે, ડાબા હાથના ખેલાડી રિષભ પંતના અકસ્માત બાબતે તેઓ ઘણી વખત તેની સાથે વાતચીત કરી ચૂક્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મેં તેની સાથે ઘણી વખત વાત કરી છે કે તે ઇજા અને સર્જરીના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને હું તે સારો થવાની કામના કરું છું. એક વર્ષમાં કે કેટલાક વર્ષમાં, તે ભારત માટે પાછો રમશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીથી રુડકી જતી વખત રિષભ પંતની ગાડીનો ભીષણ અકસ્માત થઇ ગયો ગયો હતો.

આ અકસ્માત બાદ તે ગમે તેમ કાર બહાર આવી ગયા બાદ કારમાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં તેની સારવાર થઇ રહી હતી અને પછી તેને મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ જ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે સ્ટીકના સહારે ચાલતો નજરે પડી રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ એવી પણ જાણકારી આપી કે, ટીમે અત્યાર સુધી રિષભ પંતના રિપ્લેસમેન્ટના રૂપમાં કોઇ નામ ફાઇનલ કર્યું નથી. આ રેસમાં અભિષેક પેરોલ, શેલ્ડન જેક્સનનું નામ સામે આવી રહ્યી છે. તેમણે કહ્યું કે, અમને અત્યારે પણ થોડા સમયની જરૂરિયાત છે. આગામી કેમ્પ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે કોલકાતામાં 3 દિવસીય કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં પૃથ્વી શૉ, ઇશાંત શર્મા, ચેતન સકારિયા, મનીષ પાંડે સિવાય અન્ય ઘરેલુ ખેલાડી નજરે પડ્યા હતા.

Top News

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
World 
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા,  CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ

દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો...
Business 
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.