એશિયા કપની ચાલુ મેચમાં બેટિંગ સમયે શ્રીલંકન ખેલાડીને ખબર પડી કે પિતા હવે નથી રહ્યા

લંકાના ઓલરાઉન્ડર દુનિથ વેલ્લાલાગેના પિતાનું અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન નિધન થઈ ગયું હતું. વેલ્લાલાગેને મેચ દરમિયાન જ આ વાતની જાણકારી આપી દેવામાં આવી હતી. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુનિથના પિતા સુરંગા વેલ્લાલાગેને હાર્ટએટેક આવ્યો હતો. અફઘાનિસ્તાન સામેની મેચ પણ વેલ્લાલાગે માટે નિરાશાજનક રહી. તેણે 4 ઓવરમાં 49 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી હતી.

Wellalage2
bollywoodbiography.in

માત્ર એટલું જ નહીં, મોહમ્મદ નબીએ ઇનિંગની અંતિમ ઓવર ફેંકવા આવેલા વેલ્લાલાગે વિરુદ્ધ સતત 5 છગ્ગા ફટકાર્યા હતા. સોશિયલ મીડિયા પર વેલ્લાલાગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટીમ મેનેજર અને સપોર્ટ સ્ટાફ તેને સાંભળતા જોવા મળી રહ્યા છે. જોકે વેલ્લાલાગે પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો છતા તે પેડ અપ થઈને મેદાન પર ઉતરવા તૈયાર હતો.

આ મેચની વાત કરીએ તો શ્રીલંકન ટીમે આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે માત્ર 71 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબીની તોફાની બેટિંગથી અફઘાનિસ્તાને સીમિત 20 ઓવરમાં 169 રનનો સ્કોર ઊભો કારી દીધો હતો. આ સ્કોરના જવાબમાં શ્રીલંકાની ટીમે જોરદાર રમત રમી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 52 બોલમાં 74 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા પણ ફટકાર્યા. આ ઉપરાંત કુસલ પરેરાએ 28 રન અને કામિન્દુ મેન્ડિસે 24 રનનું યોગદાન આપ્યું. આ જીત સાથે શ્રીલંકાએ સુપર-4માં પોતાની જગ્યા બનાવી લીધી, જ્યારે અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગઈ. બાંગ્લાદેશ સુપર-4માં પહોંચનારી આ ગ્રુપની બીજી ટીમ બની.

About The Author

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.