કેપ્ટનને સવાલ કેમ પૂછવામાં આવી રહ્યા નથી? ગાવસ્કરની રોહિતને લઈને પ્રતિક્રિયા

ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં મળેલી હાર બાદ સતત ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરેક પોત પોતાના મંતવ્યો રાખી રહ્યું છે, તો પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કેપ્ટન રોહિત શર્માને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કેમ દરેક ખેલાડીને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ કેપ્ટન ઉપર સવાલ કેમ ઉઠાવી રહ્યું નથી. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, શું સિલેક્ટર્સે મેચ બાદ મીટિંગ કરીને રોહિત શર્માને સવાલ કર્યા?

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, તેમણે રોહિત શર્માને હારના કારણો બાબતે પૂછવું જોઈતું હતું. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને રમતના છેલ્લા દિવસે 209 રનથી હરાવી દીધી હતી. કોઈ પણ બેટ્સમેન ટકીને લાંબી ઇનિંગ ન રમી શક્યો અને તેની સાથે જ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, હાર બાદ કોઈની પણ જવાબદારી કેમ નક્કી ન કરવામાં આવી.

એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, ‘હું એ પૂછવા માગું છું કે, શું કોઈ જવાબદારી કોઇની નથી? શું તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ મીટિંગ કરી, જ્યાં તમે કેપ્ટનની નિમણૂક બાબતે ચર્ચા કરતા. અમારા જમાનામાં સિલેક્શન મીટિંગ થતી હતી, જ્યાં કેપ્ટનની નિમણૂક કરવામાં આવતી હતી અને ટીમ સિલેક્શનમાં તે પોતાના મંતવ્ય આપતો હતો. જો કે છેલ્લા 10-12 વર્ષથી આપણી ક્રિકેટમાં એમ થઈ રહ્યું નથી.

તેમણે આગળ કહ્યું કે, જો કોઈ એક વખત કેપ્ટન બની ગયો, તો પછી તે પછી હારે કે જીતે, તેને હટાવવામાં આવતો નથી. જ્યાં સુધી પોતાનું પ્રદર્શન સારું રહે છે તેની કેપ્ટન્સી બનેલી રહેશે. જો કોઈ મજબૂત સિલેક્ટર હોત તો રોહિત શર્માને પૂછત કે રવિચંદ્રન અશ્વિનને કેમ પસંદ ન કરવામાં આવ્યો? ટ્રેવિસ હેડ વિરુદ્ધ નાના બૉલ નાખવાની રણનીતિ મોડેથી કેમ અપનાવવામાં આવી? આ સવાલ ખૂબ જરૂરી છે. તમે ભલે તેને કેપ્ટન બનાવી રાખો, પરંતુ જવાબદારી નક્કી હોવી જોઈએ.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.