સુનિલ ગાવસ્કરે રોહિત શર્મા વિશે કહ્યું- તેને IPLની થોડી મેચમાંથી આરામ લઈને...

ભારતીય લીજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની કેપ્ટન્સી સંભાળી રહેલા રોહિત શર્મા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. IPL બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં જ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ રમવાની છે. એવામાં સુનિલ ગાવસ્કરે રોહિત શર્માને આરામ કરવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ફ્રેશ થઈને ફરવાની સલાહ આપી છે.

સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, રોહિત શર્માએ થોડો આરામ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ફિટ રહેવું જોઈએ. આરામ કરીને રોહિત શર્મા IPLના અંતમાં 2-3 મેચ રમીને ફ્રેશ રહેવું જોઈએ. મુંબઈ ઇન્ડિયન્સના IPL પ્લેઓફમાં પહોંચાવને લઈને સુનિલ ગાવસ્કરે કહ્યું કે, એમ થાય છે તો એ ચમત્કારિક હશે. તે ચોથા નંબરે રહી શકે છે, પરંતુ તેણે બોલિંગ અને બેટિંગમાં અસાધારણ પ્રદર્શન કરવું પડશે. મુંબઈ ઇન્ડિયન્સે IPLમાં અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી 3 મેચમાં જીત મળી છે અને 4 મેચમાં હાર. એવામાં ટીમ 6 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે.

રોહિત શર્માએ અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 181 રન બનાવ્યા છે. તેમાં એક અડધી સદી સામેલ છે. તેની એવરેજ  25.86 અને સ્ટ્રાઈક રેટ 135.07 છે. IPLની 35મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે 55 રને મેચ જીતી લીધી હતી. આ વર્ષ 2017 બાદ રનોના હિસાબે મુંબઈની સૌથી મોટી હાર હતી. રોહિત શર્મા આ મેચમાં 8 બૉલમાં માત્ર 2 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના ‘ધ ઓવલ’ સ્ટેડિયમમાં 7 જૂનથી રમાશે. આ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા 152 પોઇન્ટ્સ સાથે અને ભારત 127 પોઇન્ટ્સ સાથે ફાઇનલમાં પહોંચી છે. હવે બંને ટીમોમાંથી જે પણ આ મેચ જીતશે તે દુનિયાની ટેસ્ટ ચેમ્પિયન બનશે. આ સતત બીજી વખત છે જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.