ઇંગ્લિશ કમેન્ટેટર્સે ભારતીય ફેન્સની કરી નિંદા, સુનિલ ગાવસ્કરે લીધા આડે હાથ

ઇંગ્લેન્ડે રવિવારે એશેજ 2023 સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે 3 વિકેટે જીત હાંસલ કરીને વાપસી કરી. હેડિંગ્લે મેદાન પર રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે 251 રનોનું લક્ષ્ય મળ્યું હતું, જેને ટીમે ચોથા દિવસે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ઇંગ્લિશ કમેન્ટેટર્સને જોરદાર ફટકાર લગાવી હતી. સુનિલ ગાવસ્કરે એશેજ દરમિયાન ભારતીય ફેન્સ પર ટિપ્પણી માટે અંગ્રેજી કમેન્ટેટર્સની નિંદા કરી છે.

ઇંગ્લિશ કમેન્ટેટર્સનું કહેવું છે કે, ભારતીય ફેન્સ પોતાની હોમ ટીમને જ સપોર્ટ કરતા નજરે પડે છે, પરંતુ સુનિલ ગાવસ્કરે કમેન્ટેટર્સની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એવું માત્ર ભારતમાં જ થતું નથી, એવું દરેક દેશમાં થાય છે. સુનિલ ગાવસ્કરે પોતાની મિડ-ડે કોલમમાં લખ્યું કે, ‘એ સ્વાભાવિક છે કે ફેન્સ પોતાની જ ટીમનું સમર્થન કરશે અને વિરોધીઓનો ઉત્સાહ નહીં વધારે, પરંતુ એમ કહેવું કે એ માત્ર ભારતમાં થાય છે, એ યોગ્ય નથી. આ કોઈ ભારતીય ઘટના નથી, પરંતુ દરેક દેશમાં એમ થાય છે જ્યાં ઘરેલુ ફેન્સ ત્યારે ચૂપ રહે છે જ્યારે તેમના બોલરો વિરુદ્ધ બાઉન્ડ્રી લાગે છે કે તેમના બેટ્સમેન આઉટ થાય છે.’

તેમણે આગળ કહ્યું કે, ‘હાલની એશેજ સીરિઝમાં વધુ સ્પષ્ટ ક્યાંય નથી. વિદેશી કમેન્ટેટર્સ જ્યારે તેઓ ભારત આવે છે તો કહેતા રહે છે કે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન આઉટ થઈ જાય છે કે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન ફોર મારે છે તો મેદાન પર ભારતીય ભીડ કેટલી શાંત થઈ જાય છે. એ સિવાય સુનિલ ગાવસ્કરે ઇંગ્લિશ મીડિયા જે પ્રકારે બીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના રનઆઉટ કવર કરી રહી છે, તેની પણ ખૂબ નિંદા કરી હતી.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘સામાન્ય રીતે જ્યારે ક્રિકેટ જગત લૉર્ડમાં બીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોની સ્ટમ્પિન્ગને યોગ્ય અને અયોગ્ય પર ચર્ચા કરવામાં વ્યસ્ત છે. તેનાથી બેન સ્ટૉક્સની અદ્દભુત ઇનિંગ પાછળ છૂટી ગઈ. એ એ વાતનું શાનદાર ઉદાહરણ છે કે એટલી નાની વસ્તુઓ મોટા ભાગે વધુ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર ભારે પડી જાય છે. આ વિદેશી મીડિયા દ્વારા વર્ષોથી ઉપયોગ કરવામાં આવતી રણનીતિ છે. જ્યાં ટીમની મોટી નિષ્ફળતાને છુપાવવા માટે એક નાનકડી ઘટનાને અંજામ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.