ઇંગ્લિશ કમેન્ટેટર્સે ભારતીય ફેન્સની કરી નિંદા, સુનિલ ગાવસ્કરે લીધા આડે હાથ

ઇંગ્લેન્ડે રવિવારે એશેજ 2023 સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે 3 વિકેટે જીત હાંસલ કરીને વાપસી કરી. હેડિંગ્લે મેદાન પર રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીત માટે 251 રનોનું લક્ષ્ય મળ્યું હતું, જેને ટીમે ચોથા દિવસે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ઇંગ્લિશ કમેન્ટેટર્સને જોરદાર ફટકાર લગાવી હતી. સુનિલ ગાવસ્કરે એશેજ દરમિયાન ભારતીય ફેન્સ પર ટિપ્પણી માટે અંગ્રેજી કમેન્ટેટર્સની નિંદા કરી છે.

ઇંગ્લિશ કમેન્ટેટર્સનું કહેવું છે કે, ભારતીય ફેન્સ પોતાની હોમ ટીમને જ સપોર્ટ કરતા નજરે પડે છે, પરંતુ સુનિલ ગાવસ્કરે કમેન્ટેટર્સની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એવું માત્ર ભારતમાં જ થતું નથી, એવું દરેક દેશમાં થાય છે. સુનિલ ગાવસ્કરે પોતાની મિડ-ડે કોલમમાં લખ્યું કે, ‘એ સ્વાભાવિક છે કે ફેન્સ પોતાની જ ટીમનું સમર્થન કરશે અને વિરોધીઓનો ઉત્સાહ નહીં વધારે, પરંતુ એમ કહેવું કે એ માત્ર ભારતમાં થાય છે, એ યોગ્ય નથી. આ કોઈ ભારતીય ઘટના નથી, પરંતુ દરેક દેશમાં એમ થાય છે જ્યાં ઘરેલુ ફેન્સ ત્યારે ચૂપ રહે છે જ્યારે તેમના બોલરો વિરુદ્ધ બાઉન્ડ્રી લાગે છે કે તેમના બેટ્સમેન આઉટ થાય છે.’

તેમણે આગળ કહ્યું કે, ‘હાલની એશેજ સીરિઝમાં વધુ સ્પષ્ટ ક્યાંય નથી. વિદેશી કમેન્ટેટર્સ જ્યારે તેઓ ભારત આવે છે તો કહેતા રહે છે કે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન આઉટ થઈ જાય છે કે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન ફોર મારે છે તો મેદાન પર ભારતીય ભીડ કેટલી શાંત થઈ જાય છે. એ સિવાય સુનિલ ગાવસ્કરે ઇંગ્લિશ મીડિયા જે પ્રકારે બીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના રનઆઉટ કવર કરી રહી છે, તેની પણ ખૂબ નિંદા કરી હતી.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘સામાન્ય રીતે જ્યારે ક્રિકેટ જગત લૉર્ડમાં બીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોની સ્ટમ્પિન્ગને યોગ્ય અને અયોગ્ય પર ચર્ચા કરવામાં વ્યસ્ત છે. તેનાથી બેન સ્ટૉક્સની અદ્દભુત ઇનિંગ પાછળ છૂટી ગઈ. એ એ વાતનું શાનદાર ઉદાહરણ છે કે એટલી નાની વસ્તુઓ મોટા ભાગે વધુ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર ભારે પડી જાય છે. આ વિદેશી મીડિયા દ્વારા વર્ષોથી ઉપયોગ કરવામાં આવતી રણનીતિ છે. જ્યાં ટીમની મોટી નિષ્ફળતાને છુપાવવા માટે એક નાનકડી ઘટનાને અંજામ આપવામાં આવે છે.

Related Posts

Top News

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.