ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત થઇ ગઇ છે. આ પ્રવાસ આજ વર્ષે ઑગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા વન-ડે સીરિઝનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઑગસ્ટે પહેલી વન-ડે, જ્યારે 20 ઑગસ્ટ અને 23 ઑગસ્ટના રોજ બીજી અને ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્યારબાદ, 26 ઑગસ્ટ, 29 ઑગસ્ટ અને 31 ઑગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય સીરિઝ બંને દક્ષિણ એશિયન પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ પ્રતિદ્વંદ્વિતાને વધુ મજબૂત કરશે.

team india
BCCI

 

આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરેલૂ સત્ર વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્વ 5 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ 4 ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતનું ઘરેલૂ સત્ર ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતનું ઘરેલૂ સત્ર 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝથી શરૂ થશે, ત્યારબાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

ભારત 2 ઘરેલૂ સીરિઝ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 3 વન-ડે અને 5 T20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વન-ડે અને 29 ઓક્ટોબરથી T20 સીરિઝ શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ સીરિઝ 2025

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું શેડ્યૂલ

પહેલી વન-ડે- 17 ઑગસ્ટ, રવિવાર- મીરપુર

બીજી વન-ડે- 20 ઑગસ્ટ, બુધવાર- મીરપુર

ત્રીજી વન-ડે- 23 ઑગસ્ટ, શનિવાર - ચટગાંવ.

team india
BCCI

 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝનું શેડ્યૂલ

પહેલી T20- 26 ઑગસ્ટ, મંગળવાર- ચટગાંવ

બીજી T20- 29 ઑગસ્ટ, શુક્રવાર- મીરપુર

ત્રીજી T20- 31 ઑગસ્ટ, રવિવાર- મીરપુર.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

ગુજરાત સરકાર 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોરનું નિર્માણ કરવા જઇ રહી છે.સરકારે ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ...
Governance  Gujarat 
ગુજરાતમાં બનશે 2 એક્સપ્રેસ વે અને 12 હાઇસ્પીડ કોરીડોર, ટુરિઝમ વધશે

પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને...
National 
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ...
Business 
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ...
Gujarat 
સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.