ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત થઇ ગઇ છે. આ પ્રવાસ આજ વર્ષે ઑગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા વન-ડે સીરિઝનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઑગસ્ટે પહેલી વન-ડે, જ્યારે 20 ઑગસ્ટ અને 23 ઑગસ્ટના રોજ બીજી અને ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્યારબાદ, 26 ઑગસ્ટ, 29 ઑગસ્ટ અને 31 ઑગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય સીરિઝ બંને દક્ષિણ એશિયન પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ પ્રતિદ્વંદ્વિતાને વધુ મજબૂત કરશે.

team india
BCCI

 

આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરેલૂ સત્ર વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્વ 5 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ 4 ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતનું ઘરેલૂ સત્ર ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતનું ઘરેલૂ સત્ર 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝથી શરૂ થશે, ત્યારબાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

ભારત 2 ઘરેલૂ સીરિઝ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 3 વન-ડે અને 5 T20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વન-ડે અને 29 ઓક્ટોબરથી T20 સીરિઝ શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ સીરિઝ 2025

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું શેડ્યૂલ

પહેલી વન-ડે- 17 ઑગસ્ટ, રવિવાર- મીરપુર

બીજી વન-ડે- 20 ઑગસ્ટ, બુધવાર- મીરપુર

ત્રીજી વન-ડે- 23 ઑગસ્ટ, શનિવાર - ચટગાંવ.

team india
BCCI

 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝનું શેડ્યૂલ

પહેલી T20- 26 ઑગસ્ટ, મંગળવાર- ચટગાંવ

બીજી T20- 29 ઑગસ્ટ, શુક્રવાર- મીરપુર

ત્રીજી T20- 31 ઑગસ્ટ, રવિવાર- મીરપુર.

About The Author

Related Posts

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.