ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત થઇ ગઇ છે. આ પ્રવાસ આજ વર્ષે ઑગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા વન-ડે સીરિઝનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઑગસ્ટે પહેલી વન-ડે, જ્યારે 20 ઑગસ્ટ અને 23 ઑગસ્ટના રોજ બીજી અને ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્યારબાદ, 26 ઑગસ્ટ, 29 ઑગસ્ટ અને 31 ઑગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય સીરિઝ બંને દક્ષિણ એશિયન પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ પ્રતિદ્વંદ્વિતાને વધુ મજબૂત કરશે.

team india
BCCI

 

આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરેલૂ સત્ર વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્વ 5 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ 4 ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતનું ઘરેલૂ સત્ર ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતનું ઘરેલૂ સત્ર 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝથી શરૂ થશે, ત્યારબાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

ભારત 2 ઘરેલૂ સીરિઝ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 3 વન-ડે અને 5 T20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વન-ડે અને 29 ઓક્ટોબરથી T20 સીરિઝ શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ સીરિઝ 2025

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું શેડ્યૂલ

પહેલી વન-ડે- 17 ઑગસ્ટ, રવિવાર- મીરપુર

બીજી વન-ડે- 20 ઑગસ્ટ, બુધવાર- મીરપુર

ત્રીજી વન-ડે- 23 ઑગસ્ટ, શનિવાર - ચટગાંવ.

team india
BCCI

 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝનું શેડ્યૂલ

પહેલી T20- 26 ઑગસ્ટ, મંગળવાર- ચટગાંવ

બીજી T20- 29 ઑગસ્ટ, શુક્રવાર- મીરપુર

ત્રીજી T20- 31 ઑગસ્ટ, રવિવાર- મીરપુર.

About The Author

Related Posts

Top News

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

મેરઠમાં એક નકલી IAS અધિકારીની ધરપકડથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. નકલી IAS અધિકારી તરીકે ઓળખીને પોલીસે ધરપકડ કરેલા રાહુલ...
National 
નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.