ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ

ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત થઇ ગઇ છે. આ પ્રવાસ આજ વર્ષે ઑગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે. પહેલા વન-ડે સીરિઝનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ T20 મેચ રમાશે. 17 ઑગસ્ટે પહેલી વન-ડે, જ્યારે 20 ઑગસ્ટ અને 23 ઑગસ્ટના રોજ બીજી અને ત્રીજી વન-ડે મેચ રમાશે. ત્યારબાદ, 26 ઑગસ્ટ, 29 ઑગસ્ટ અને 31 ઑગસ્ટના રોજ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. આ દ્વિપક્ષીય સીરિઝ બંને દક્ષિણ એશિયન પડોશીઓ વચ્ચે વધતી જતી ક્રિકેટ પ્રતિદ્વંદ્વિતાને વધુ મજબૂત કરશે.

team india
BCCI

 

આ પ્રવાસ ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ અને ઘરેલૂ સત્ર વચ્ચે થશે. ભારત જૂન, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્વ 5 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ 4 ઑગસ્ટના રોજ સમાપ્ત થશે. ભારતનું ઘરેલૂ સત્ર ઓક્ટોબર મહિનામાં શરૂ થશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતના પ્રવાસે આવશે. ભારતનું ઘરેલૂ સત્ર 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝથી શરૂ થશે, ત્યારબાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.

ભારત 2 ઘરેલૂ સીરિઝ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં 3 વન-ડે અને 5 T20 મેચ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મહિનાની શરૂઆતમાં સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ઓક્ટોબરથી વન-ડે અને 29 ઓક્ટોબરથી T20 સીરિઝ શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ સીરિઝ 2025

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું શેડ્યૂલ

પહેલી વન-ડે- 17 ઑગસ્ટ, રવિવાર- મીરપુર

બીજી વન-ડે- 20 ઑગસ્ટ, બુધવાર- મીરપુર

ત્રીજી વન-ડે- 23 ઑગસ્ટ, શનિવાર - ચટગાંવ.

team india
BCCI

 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝનું શેડ્યૂલ

પહેલી T20- 26 ઑગસ્ટ, મંગળવાર- ચટગાંવ

બીજી T20- 29 ઑગસ્ટ, શુક્રવાર- મીરપુર

ત્રીજી T20- 31 ઑગસ્ટ, રવિવાર- મીરપુર.

Related Posts

Top News

સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં  નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
Business 
સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં ...
National 
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની...
National 
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ...
Sports 
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.