ધીમી બેટિંગ, ડેથ ઓવર્સ... ભારતીય ટીમની હારના કારણો

રાજકોટમાં ન્યૂઝીલેન્ડે જે રીતે ભારતને 7 વિકેટથી હરાવ્યું, તેનાથી ન માત્ર શ્રેણી બરાબર થઈ ગઈ, પરંતુ ભારતીય ટીમના વન-ડે મેનેજમેન્ટમાં છુપાયેલી રણનીતિક ખામીઓ પણ છતી થઇ ગઇ. જાણે કે 285 રનનો લક્ષ્યાંક કિવીઓ માટે ઓપન નેટ સેશન હોય. ડેરિલ મિશેલ (131*) અને વિલ યંગ (87) વચ્ચેની 162 રનની ભાગીદારી સામે ભારતીય બોલિંગ બિનઅસરકારક સાબિત થઈ, અને ન્યૂઝીલેન્ડે 47.3 ઓવરમાં મેચ પૂર્ણ કરી દીધી. કહાની ફક્ત હારની નથી, પરંતુ આ મેચે 3 મુખ્ય ક્રૂર વાસ્તવિકતાઓ ઉજાગર કરી દીધી છે.

ભારતની ધીમી બેટિંગ...

ભારતીય બેટિંગ હવે એક સેટ પેટર્નને અનુસરતી હોય તેવું લાગે છે- પાવરપ્લેમાં સારી શરૂઆત, વચ્ચેની ઓવરોમાં ટેસ્ટ-મેચ જેવી ગતિ અને પછી અંતે કોઈ ચમત્કારની આશા. રાજકોટમાં પણ આ જ કહાનીનું પુનરાવર્તન થયું. વચ્ચેની ઓવરોમાં સ્ટ્રાઇક રોટેશન અને આક્રમક ઇરાદાના અભાવે સ્કોરિંગ ગતિને દબાવી દીધી, જેના પરિણામે 285 રનનો સ્કોર આજના 300+ યુગમાં સામાન્ય સાબિત થયો. આવા લક્ષ્ય આધુનિક વન-ડે માહોલમાં પ્રતિદ્વંદ્વી પર દબાણ લાવતા નથી, પરંતુ તેમને શરૂઆતથી જ લય અને આઝાદી આપે છે.

Team India
BCCI

ભારતીય બોલિંગ: નામોની ભીડ, ધારનો અભાવ

રાજકોટમાં ભારતીય બોલરો પાસે ન તો પ્લાન-A હતો કે ન તો પ્લાન-B. સ્પિનરો પાસે ન તો ટર્ન હતું કે ન તો વિકેટ લેવાની ચપળતા; ફાસ્ટ બોલરો પાસે ન તો લેન્થનું અનુશાસન હતું કે ન તો વેરિયેશનની અસર. પરિણામે કિવી બેટિંગ ક્યારેય દબાણમાં ન આવી. મિશેલે હાર્ડ લેન્થ પર રમવાનું શીખવ્યું, અને યંગે ક્રીઝ પર રહેવાનું મહત્ત્વ બતાવ્યું.

પહેલું રહસ્ય: નીતિશ કુમાર રેડ્ડી-ઓલરાઉન્ડરનો ભ્રમ

નીતિશ કુમાર રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે ફિટ કરવાનો પ્રયાસ ભારતીય વન-ડે વિચારસરણીમાં સૌથી જટિલ કોયડો છે. તે બે ઓવરથી વધુ બોલિંગ કરતો નથી અને 7 નંબર પર એવી બેટિંગ કરે છે, જેમાં ન તો ફિનિશિંગ ક્ષમતા દેખાય છે કે ન તો ફ્લોટિંગ ભૂમિકા. વન-ડેમાં આ સ્લોટમાં 6-8 ઓવર માટે સ્થિર બોલિંગ જોઈએ અથવા ડેથ ફિનિશિંગ. ટીમને બંને જ મળી રહ્યા નથી, જેના કારણે ટીમના સંતુલન પર સીધી અસર પડી રહી છે.

બીજું રહસ્ય: અર્શદીપ-ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ, છતા બહાર

ભારતીય પસંદગીમાં અર્શદીપને વારંવાર બહાર રાખવાની નીતિ સમજણથી બહાર છે. જો તર્ક એ હોય કે તેને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવી રહ્યો છે, તો હર્ષિત રાણાને પણ આવો જ આરામ કેમ નહીં? લેફ્ટ આર્મ એંગલ, નવો બૉલ અને ડેથ-ઓવર નિયંત્રણ ધરાવતો બૉલર વન-ડેમાં એક દુર્લભ પૂંજી છે. તેને સતત બેન્ચ પર રાખવાથી પસંદગીની ફિલોસોફી પર પ્રશ્નો ઉભા થાય છે.

sambhal
bhaskar.com

ત્રીજું રહસ્ય: રવિન્દ્ર જાડેજા- વરિષ્ઠ ઓલરાઉન્ડરનું આઉટપુટ ઓછું

જાડેજાનો અનુભવ, ક્લાસ અને ફિલ્ડિંગ ટોચના સ્થાને છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં બેટિંગ અને બૉલિંગ બંનેમાં તેનું વન-ડે આઉટપુટ ઘટ્યું છે. ન તેની ફિનિશિંગ વેલ્યૂ પહેલા જેટલી સારી છે, કે ન તો બોલિંગની અસર પહેલા જેટલી પ્રભાવશાળી છે. અહીં સુધી કે તેની રોકેટ થ્રૉથી વિકેટ લેવાની ક્ષમતા પણ પાછળ છૂટી ગઈ છે.

ઓલરાઉન્ડરની શોધનું ઝનૂન

ભારત વન-ડેમાં મજબૂત 6+1 સંયોજનને બદલે ફેન્સી ઓલરાઉન્ડર મોડેલને પકડીને બેઠું છે. આ મોડેલથી અધૂરી બેટિંગ, નબળી બોલિંગ, અસ્તવ્યસ્ત ડેથ ઓવર અને બેન્ચ પર અયોગ્ય ખેલાડીઓની ભરમાર દેખાય છે. વન-ડે એક સંતુલન આધારિત ફોર્મેટ છે, જ્યાં એક સ્લોટનું મિસમેનેજમેન્ટ પણ સમગ્ર માળખું ધરાશાયી કરી શકે છે. રાજકોટ તેનું ઉત્તમ ઉદાહરણ હતું.

વિશ્વની સૌથી મજબૂત વન-ડે ટીમો ઘણીવાર 6-બેટ્સમેન + 1 વિકેટકીપર + 4 વિશેષજ્ઞ બોલર અથવા 5 બોલર + 1 ઓલરાઉન્ડર મોડેલ સાથે રમે છે. ભારત ઘણીવાર વધારાનનો ઓલરાઉન્ડર શોધવાના પ્રયાસમાં વન-ડેને T20 જેવી સંરચનામાં નાખી દે છે, જેનાથી બંને વિભાગો અધૂરા થઈ જાય છે. ભારતમાં ઓલરાઉન્ડરની શોધનો ટ્રેન્ડ, હાર્દિક/જાડેજા/અક્ષર/શાર્દુલ/વોશિંગ્ટન/નીતિશ સાથે પ્રયોગ... સ્લોટ 7 પર આધારિત હાફ-બેટ્સમેન-હાફ-બોલર પ્રકારના ખેલાડીઓના પ્રયોગથી ફિનિશિંગ અને બોલિંગ બંને પ્રભાવિત થાય છે.

Team India
BCCI

ન્યૂઝીલેન્ડ વર્સિસ ભારત: માનસિકતાનો ફરક

ન્યૂઝીલેન્ડે લક્ષ્ય તોડ્યું, રન-રેટ સંભાળી, વિકેટ બચાવી અને યોજનાથી મેચ રમી. ભારતે લક્ષ્યનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, રણનીતિમાં ભૂલ કરી, દબાણમાં ભાંગી પડ્યું અને આશા પર રમતું રહ્યું. હાર ફક્ત મેદાન પર જ નહીં, પણ માનસિકતામાં પણ હતી.

શ્રેણીની ફાઇનલ રવિવારે ઇન્દોરમાં છે, પરંતુ વાસ્તવિક પડકાર તેનાથી મોટો છે. વન-ડેમાં ભૂમિકાઓ સ્પષ્ટ કરી, ટીમનું સંતુલન સ્થાપિત કરવું અને સ્વીકારવું કે વન-ડે, T20નું નાનું નહીં, પરંતુ એક અલગ વિજ્ઞાન છે. રાજકોટે એક વાત સ્પષ્ટ કરી દીધી કે, મેચ હારી શકાય છે, પરંતુ માનસિકતા ગુમાવવી ન જોઈએ.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.