ધૂમ્મસને કારણે ક્રિકેટ મેચ રદ થઈ જાય તો શું લોકોને પૈસા પાછા મળે? જાણો BCCIના નિયમ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં ચોથી T20I ધુમ્મસને કારણે રદ કરી દેવામાં આવી હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ચોથી T20I મેચમાં એક બૉલ ફેંકાવાની વાત તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. હવે મોટો પ્રશ્ન એ છે કે, દર્શકોના પૈસાનું શું થયું? શું તેમને પૈસા પાછા મળશે કે પછી વેસ્ટ થઇ જશે? આ અંગે BCCIના નિયમો શું છે? લખનૌમાં ધુમ્મસ જતો રહે અને મેચ શરૂ થઇ જાય તેના માટે 3 કલાક રાહ જોવામાં આવી હતી. પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે આખરે મેચ રદ કરી દેવામાં આવી, ત્યારબાદ ફેન્સ નિરાશ થઇને ઘરે જતા રહ્યા.

IND-Vs-SA2
espncricinfo.com

મેચ રદ થવા પર ટિકિટ રિફંડ માટેના નિયમ શું છે?

હવે પ્રશ્ન એ છે કે, ટિકિટના પૈસાના રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે કે નહીં? આ અંગે BCCIના 2 નિયમો છે. પહેલો નિયમ કહે છે કે જો એક પણ બૉલ ફેંક્યા વિના મેચ રદ થઇ જાય છે, તો ટિકિટ બુકિંગ ફી બાદ કરીને બાકીના બધા પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજો નિયમ કહે છે કે જો મેચ શરૂ થઇ જાય અને હવામાનને કારણે પાછળથી રદ થાય છે, તો ટિકિટના પૈસા પાછા આપવામાં નહીં આવે.

ટિકિટ રિફંડ અંગે BCCIના નિયમો જાણ્યા બાદ લખનૌના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાને કારણે નિરાશ હોય, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. વેસ્ટ થયા નથી, કારણ કે લખનૌમાં T20I મેચ એક પણ બોટલ ફેંકાયા વિના રદ થઇ ગઇ હતી. ક્રિકેટ ફેન્સને તેમની ટિકિટના પૈસા ક્યારે પરત મળશે તેને લઇને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સત્તાવાર ટિકિટિંગ ભાગીદાર તરફથી ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે.

IND-Vs-SA1
espncricinfo.com

દક્ષિણ આફ્રિકા સામેની 5  મેચોની T20 સીરિઝ વાત કરીએ તો અત્યાર સુધી સમાયેલી 4 મેચ બાદ ભારત 2-1થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પહેલી T20I જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી T20I જીતીમે સીરિઝમાં વાપસી કરી હતી. તો ભારતે ધર્મશાળામાં ત્રીજી T20Iમાં ફરી જીત હાંસલ કરી હતી. ચોથી T20I રદ થયા બાદ, બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ T20I હવે 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.