ધૂમ્મસને કારણે ક્રિકેટ મેચ રદ થઈ જાય તો શું લોકોને પૈસા પાછા મળે? જાણો BCCIના નિયમ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં ચોથી T20I ધુમ્મસને કારણે રદ કરી દેવામાં આવી હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ચોથી T20I મેચમાં એક બૉલ ફેંકાવાની વાત તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. હવે મોટો પ્રશ્ન એ છે કે, દર્શકોના પૈસાનું શું થયું? શું તેમને પૈસા પાછા મળશે કે પછી વેસ્ટ થઇ જશે? આ અંગે BCCIના નિયમો શું છે? લખનૌમાં ધુમ્મસ જતો રહે અને મેચ શરૂ થઇ જાય તેના માટે 3 કલાક રાહ જોવામાં આવી હતી. પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે આખરે મેચ રદ કરી દેવામાં આવી, ત્યારબાદ ફેન્સ નિરાશ થઇને ઘરે જતા રહ્યા.

IND-Vs-SA2
espncricinfo.com

મેચ રદ થવા પર ટિકિટ રિફંડ માટેના નિયમ શું છે?

હવે પ્રશ્ન એ છે કે, ટિકિટના પૈસાના રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે કે નહીં? આ અંગે BCCIના 2 નિયમો છે. પહેલો નિયમ કહે છે કે જો એક પણ બૉલ ફેંક્યા વિના મેચ રદ થઇ જાય છે, તો ટિકિટ બુકિંગ ફી બાદ કરીને બાકીના બધા પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજો નિયમ કહે છે કે જો મેચ શરૂ થઇ જાય અને હવામાનને કારણે પાછળથી રદ થાય છે, તો ટિકિટના પૈસા પાછા આપવામાં નહીં આવે.

ટિકિટ રિફંડ અંગે BCCIના નિયમો જાણ્યા બાદ લખનૌના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાને કારણે નિરાશ હોય, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. વેસ્ટ થયા નથી, કારણ કે લખનૌમાં T20I મેચ એક પણ બોટલ ફેંકાયા વિના રદ થઇ ગઇ હતી. ક્રિકેટ ફેન્સને તેમની ટિકિટના પૈસા ક્યારે પરત મળશે તેને લઇને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સત્તાવાર ટિકિટિંગ ભાગીદાર તરફથી ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે.

IND-Vs-SA1
espncricinfo.com

દક્ષિણ આફ્રિકા સામેની 5  મેચોની T20 સીરિઝ વાત કરીએ તો અત્યાર સુધી સમાયેલી 4 મેચ બાદ ભારત 2-1થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પહેલી T20I જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી T20I જીતીમે સીરિઝમાં વાપસી કરી હતી. તો ભારતે ધર્મશાળામાં ત્રીજી T20Iમાં ફરી જીત હાંસલ કરી હતી. ચોથી T20I રદ થયા બાદ, બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ T20I હવે 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

About The Author

Related Posts

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.