ધૂમ્મસને કારણે ક્રિકેટ મેચ રદ થઈ જાય તો શું લોકોને પૈસા પાછા મળે? જાણો BCCIના નિયમ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં ચોથી T20I ધુમ્મસને કારણે રદ કરી દેવામાં આવી હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ચોથી T20I મેચમાં એક બૉલ ફેંકાવાની વાત તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. હવે મોટો પ્રશ્ન એ છે કે, દર્શકોના પૈસાનું શું થયું? શું તેમને પૈસા પાછા મળશે કે પછી વેસ્ટ થઇ જશે? આ અંગે BCCIના નિયમો શું છે? લખનૌમાં ધુમ્મસ જતો રહે અને મેચ શરૂ થઇ જાય તેના માટે 3 કલાક રાહ જોવામાં આવી હતી. પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે આખરે મેચ રદ કરી દેવામાં આવી, ત્યારબાદ ફેન્સ નિરાશ થઇને ઘરે જતા રહ્યા.

IND-Vs-SA2
espncricinfo.com

મેચ રદ થવા પર ટિકિટ રિફંડ માટેના નિયમ શું છે?

હવે પ્રશ્ન એ છે કે, ટિકિટના પૈસાના રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે કે નહીં? આ અંગે BCCIના 2 નિયમો છે. પહેલો નિયમ કહે છે કે જો એક પણ બૉલ ફેંક્યા વિના મેચ રદ થઇ જાય છે, તો ટિકિટ બુકિંગ ફી બાદ કરીને બાકીના બધા પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજો નિયમ કહે છે કે જો મેચ શરૂ થઇ જાય અને હવામાનને કારણે પાછળથી રદ થાય છે, તો ટિકિટના પૈસા પાછા આપવામાં નહીં આવે.

ટિકિટ રિફંડ અંગે BCCIના નિયમો જાણ્યા બાદ લખનૌના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાને કારણે નિરાશ હોય, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. વેસ્ટ થયા નથી, કારણ કે લખનૌમાં T20I મેચ એક પણ બોટલ ફેંકાયા વિના રદ થઇ ગઇ હતી. ક્રિકેટ ફેન્સને તેમની ટિકિટના પૈસા ક્યારે પરત મળશે તેને લઇને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સત્તાવાર ટિકિટિંગ ભાગીદાર તરફથી ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે.

IND-Vs-SA1
espncricinfo.com

દક્ષિણ આફ્રિકા સામેની 5  મેચોની T20 સીરિઝ વાત કરીએ તો અત્યાર સુધી સમાયેલી 4 મેચ બાદ ભારત 2-1થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પહેલી T20I જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી T20I જીતીમે સીરિઝમાં વાપસી કરી હતી. તો ભારતે ધર્મશાળામાં ત્રીજી T20Iમાં ફરી જીત હાંસલ કરી હતી. ચોથી T20I રદ થયા બાદ, બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ T20I હવે 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

About The Author

Related Posts

Top News

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Opinion 
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા...
National 
દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

કલ્પના કરો કે તમે ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતા હોવ, આગળ કંઈ જોઈ શકતા ન હોવ, પરંતુ તમારી કાર...
Tech and Auto 
સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?

કેરળનું પ્રખ્યાત ધાર્મિક મંદિર સબરીમાલા ફરી એકવાર વિવાદમાં ફસાયું છે. આ વખતે વિવાદ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાંથી સોનાની ચોરીનો છે. આ...
National 
સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.