ધૂમ્મસને કારણે ક્રિકેટ મેચ રદ થઈ જાય તો શું લોકોને પૈસા પાછા મળે? જાણો BCCIના નિયમ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનૌમાં ચોથી T20I ધુમ્મસને કારણે રદ કરી દેવામાં આવી હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ચોથી T20I મેચમાં એક બૉલ ફેંકાવાની વાત તો દૂર, ટોસ પણ થઈ શક્યો નહોતો. હવે મોટો પ્રશ્ન એ છે કે, દર્શકોના પૈસાનું શું થયું? શું તેમને પૈસા પાછા મળશે કે પછી વેસ્ટ થઇ જશે? આ અંગે BCCIના નિયમો શું છે? લખનૌમાં ધુમ્મસ જતો રહે અને મેચ શરૂ થઇ જાય તેના માટે 3 કલાક રાહ જોવામાં આવી હતી. પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે આખરે મેચ રદ કરી દેવામાં આવી, ત્યારબાદ ફેન્સ નિરાશ થઇને ઘરે જતા રહ્યા.

IND-Vs-SA2
espncricinfo.com

મેચ રદ થવા પર ટિકિટ રિફંડ માટેના નિયમ શું છે?

હવે પ્રશ્ન એ છે કે, ટિકિટના પૈસાના રિફંડનું શું? શું ફેન્સને તેમના પૈસા મળશે કે નહીં? આ અંગે BCCIના 2 નિયમો છે. પહેલો નિયમ કહે છે કે જો એક પણ બૉલ ફેંક્યા વિના મેચ રદ થઇ જાય છે, તો ટિકિટ બુકિંગ ફી બાદ કરીને બાકીના બધા પૈસા ક્રિકેટ ફેન્સને પરત કરવામાં આવશે. બીજો નિયમ કહે છે કે જો મેચ શરૂ થઇ જાય અને હવામાનને કારણે પાછળથી રદ થાય છે, તો ટિકિટના પૈસા પાછા આપવામાં નહીં આવે.

ટિકિટ રિફંડ અંગે BCCIના નિયમો જાણ્યા બાદ લખનૌના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી. ભલે તેઓ મેચ ન જોઈ શકવાને કારણે નિરાશ હોય, પરંતુ તેમના પૈસા સુરક્ષિત છે. વેસ્ટ થયા નથી, કારણ કે લખનૌમાં T20I મેચ એક પણ બોટલ ફેંકાયા વિના રદ થઇ ગઇ હતી. ક્રિકેટ ફેન્સને તેમની ટિકિટના પૈસા ક્યારે પરત મળશે તેને લઇને સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સત્તાવાર ટિકિટિંગ ભાગીદાર તરફથી ટૂંક સમયમાં માહિતી શેર કરવામાં આવશે.

IND-Vs-SA1
espncricinfo.com

દક્ષિણ આફ્રિકા સામેની 5  મેચોની T20 સીરિઝ વાત કરીએ તો અત્યાર સુધી સમાયેલી 4 મેચ બાદ ભારત 2-1થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પહેલી T20I જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી T20I જીતીમે સીરિઝમાં વાપસી કરી હતી. તો ભારતે ધર્મશાળામાં ત્રીજી T20Iમાં ફરી જીત હાંસલ કરી હતી. ચોથી T20I રદ થયા બાદ, બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ T20I હવે 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

About The Author

Related Posts

Top News

તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

જો તમારા રસોડાના બજેટમાં રક્ષાબંધન અને તહેવારોની મોસમ પહેલા બગાડ થતો હોય તેવું લાગે છે, તો તેનું સૌથી મોટું...
Business 
તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

વારાણસીમાં 22 વર્ષની શ્રેયા ઉપાધ્યાયની દર્દનાક હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતની તપાસમાં પોલીસ તેને પાગલ પ્રેમીનું કૃત્ય...
National 
પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી...
National 
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.