ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતાનું નિધન, કોલસાની ખાણમાં કરતા હતા કામ

ભારતીય ટીમના ફાસ્ટ બોલ ઉમેશ યાદવના પિતાનું બુધવારે નિધન થઈ ગયું હતું. પોતાના જમાનાના પહેલવાન રહેલા તિલક યાદવ લાંબા સમયથી બીમાર હતા. તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર થઈ રહ્યો નહોતો. આ કારણે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હાલમાં તેઓ પોતાના ઘર પર જ હતા. નાગપુરની ખાનગી હૉસ્પિટલમાં સવાર દરમિયાન તિલક યાદવની હાલત સ્થિર હતી. ત્યારબાદ બુધવારે, 23 ફેબ્રુઆરીના રોજ સાંજે ઉમેશ યાદવના પિતાનું નિધન થઈ ગયું હતું.

ઉમેશ યાદવ સાથે સાથે તેમના ભાઈ-બહેન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ઉમેશ યાદવના ભાઇનું નામ કમલેશ અને રમેશ છે. ત્રણેયએ નાગપુરની કોલાર નદીના કિનારે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યો. ઉમેશ યાદવના પિતા તિલક યાદવ પોતાના સમયના એક જાણીતા પહેલવાન હતા. ઉમેશ યાદવના પિતા તિલક યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના પડરોના જિલ્લામાં થયો હતો અને પોતાના સમયમાં પહેલવાની કરતા તેમણે ખૂબ નામના મેળવી હતી. ઉમેશ યાદવના પિતાના નિધનના સમાચાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

ટ્વીટમાં લખ્યું કે, ‘અમારી સંવેદના તમારી સાથે છે, સહયોગ બન્યો રહેશે અને દિલથી આ ક્ષતિ પર સંવેદના પર કરીએ છીએ. ઉમેશ યાદવ ઈશ્વર દુઃખના સમયમાં તમને અને તમારા પરિવારને હિંમત આપે. જીવનના આ મુશ્કેલ સમયમાં અમે બધા તમારી સાથે છીએ. વેસ્ટર્ન કોલ્ડ ફિલ્ડ્સમાં નોકરીના કારણે તિલક નાગપુર આવી ગયા હતા. તેઓ ખાપરખેડાની વલની ખાણમાં સપરિવાર રહેતા હતા. અહી રહેતા ઉમેશ યાદવે ક્રિકેટ રમવાની શરૂ કરી દીધી અને આગળ જઈને ભારતીય ટીમમાં જગ્યા બનાવી.

35 વર્ષીય ઉમેશ યાદવ ટેસ્ટ ટીમનો નિયમિત હિસ્સો છે, પરંતુ હાલના દિવસોમાં તેને વધારે ચાંસ મળ્યો નથી. ઉમેશ યાદવે અત્યાર સુધી ભારત માટે 54 ટેસ્ટ, 75 વન-ડે અને 9 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં ઉમેશ યાદવે 30.20ની એવરેજથી 165 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 88 રન આપીને 6 વિકેટ રહી છે. એ સિવાય ઉમેશ યાદવે વન-ડે ઇન્ટરનેશનલમાં 106 અને T20 ઇન્ટરનેશનલ મેચમાં 12 વિકેટ લીધી છે. ઉમેશ યાદવે ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.