ટીમ ઈન્ડિયા માટે બોજ બન્યો વિરાટ, 3 વર્ષથી ટેસ્ટમાં એક પણ સદી નથી ફટકારી

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિક્રેટમાં સદીની વાત તો છોડો, હાફ સેન્ચુરી માર્યાને પણ એક વર્ષથી વધારે સમય થઇ ગયો . કોહલીએ પોતાની છેલ્લી ટેસ્ટ સેન્ચુરી સાઉથ આફ્રીકા સામે ફટકારી હતી. તે વખતે કોહલી કેપ્ટન તરીકેની છેલ્લી મેચ રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની હાલની 4 મેચોની ટેસ્ટ સીરિઝની 5 ઇનિંગ્સમાં કોહલી ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિક્રેટમાં સેન્ચુરી ફટકાર્યાને લાંબો સમય થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆતની 3 ટેસ્ટ મેચોમાં વિરાટ ફ્લોપ રહ્યો. વિરાટ પાસે એવી અપેક્ષા હતી કે છેલ્લાં 3 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી તો આ વખતે તો કોહલી ઝળકશે. પરંતુ હાલની આ ટેસ્ટ સીરિઝમાં કોહલી હાફ સેન્ચુરી પણ મારી શક્યો નથી. વિરાટે ગયા વર્ષે જાન્યુઆરી 2022માં સાઉથ આફ્રીકા સામેની મેચમાં હાફ સેન્ચુરી મારી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની  ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીએ 5 ઇનિંગ્સમાં કુલ 111 રન બનાવ્યા છે. આ 5 મેચમાં કોહલીની એવરેજ 22.20 રનની રહી. ગયા વર્ષે કોહલીએ જ્યારે 1021 દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાં સેન્ચુરી મારી ત્યારે બધાને એમ થયું હતું કે કોહલી ફરી તેના અસલ મૂડમાં આવી ગયો છે. તે વખતે તેણે એશિયા કપ T-20માં અફઘાનિસ્તાનની સામે શાનદાર 122 રન બનાવ્યા હતા. ઇન્ટરનેશનલ T-20માં કોહલીની એ પહેલી સદી હતી. એ પછી કોહલીએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં 3 વન-ડે સદી મારીને પોતાની ઇન્ટરનેશનલ સેન્ચુરીનો આંકડો 74 પર પહોંચી ગયો હતો. આ જોઇને એવું લાગતું હતું કે કોહલીનો ખરાબ સમય પુરો થઇ ગયો છે, પરંતુ ટેસ્ટ કિક્રેટમાં હજુ કોહલી સંઘર્ષ કરી રહ્યો છે.

હાલની ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં માત્ર 12 રન બનાવ્યા હતા. જો કે દિલ્હી ટેસ્ટમાં તેના પહેલી ઇનિંગમાં 44 અને બીજી ઇનિંગમાં 20 રન બન્યા હતા. ઇંદોર ટેસ્ટમાં પણ કોહલી પહેલી ઇનિંગમાં 13 અને બીજી ઇનિંગમાં 22 જ રન બનાવી શક્યો હતો.

વર્ષ 2019 પછી વિરાટ કોહલીના બેટીંગમાંથી રનની ગતિમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો છે. તેણે 23 નવેમ્બર 2019ના દિવસે કોલકાત્તાના ઇડન ગાર્ડન મેદાન પર બાંગ્લાદેશની સામે પિંક બોલ ટેસ્ટ મેચમાં 136 રનની ઇનિંગ રમી હતી. એ પછી કોહલી 24 ટેસ્ટની 41 ઇનિંગ્સમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.

વિરાટે વર્ષ 2019 પછી 23 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના રનની એવરેજ 25.7ની રહી છે. આટલી ટેસ્ટમાં તેણે 1028 રન બનાવ્યા હતા. વર્ષ 2011માં ટેસ્ટ કેરિયરમાં ડેબ્યૂ કરનારા વિરાટે વર્ષ 2019 સુધી 84 ટેસ્ટમાં 54થી વધારેની એવરેજથી રન કર્યા હતા.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.