IPLની ટ્રોફી પર સંસ્કૃતમાં લખેલો હોય છે શ્લોક, જાણો તેનો મતલબ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની શરૂઆતમાં માત્ર 2 દિવસનો સમય બચ્યો છે. 16મી સિઝનની પહેલી મેચ 31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. તમામ ટીમોની નજર IPLની ટ્રોફી પર છે. દરેક સિઝનમાં આ ટ્રોફીને મેળવવા માટે તમામ ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. IPLની પહેલી સિઝન વર્ષ 2008માં રમાઇ હતી, તે દરમિયાન ટ્રોફી અત્યારની ટ્રોફી કરતા ઘણી અલગ હતી.

પહેલી સિઝનમાં ટ્રોફીનો આકાર ભારતના નકશાના રૂપમાં હતો. થોડાં વર્ષો બાદ ટ્રોફી ઘણી બદલાઇ ગઈ. ત્યારબાદ સમય-સમય પર ટાઇટલ અને સ્પોન્સર્સ પણ બદલાતા રહ્યા. હાલના સમયમાં ટાટા ટાઇટલ સ્પોનર છે. નવી ટ્રોફી પર સંસ્કૃતમાં એક શ્લોક લખેલો દેખાય છે જે યુવાનોને ખૂબ જ પ્રેરિત કરે છે. ટ્રોફી પર ‘યત્ર પ્રતિભા પ્રાપ્નોતિ’ સંસ્કૃત શ્લોક લખેલો હોય છે. જેનો મતલબ છે કે, જ્યાં પ્રતિભા અને અવસરનું મિલન થાય છે. જોકે, IPL નો મોટો સંસ્કૃત ભાષામાં લખેલો હોય છે, આથી મોટાભાગના લોકોને તેના વિશે ખબર નથી હોતી. પહેલા તો તેને યોગ્યરીતે વાંચી નથી શકતા અને જો વાંચી પણ લે તો તેનો અર્થ સમજી નથી શકતા. જોકે, સંસ્કૃત આપણા દેશ ભારતવર્ષની પુરાતન ભાષા છે, પરંતુ વ્યાપક સ્તર પર પ્રચાર પ્રસારના અભાવમાં આ ભાષા લોકોને નથી આવડતી.

IPLની ટ્રોફી પર જે લખેલું હોય છે, તેને ક્યાંક ને ક્યાંક આ ટૂર્નામેન્ટ સાબિત પણ કરે છે. આજની તારીખમાં ટીમ ઇન્ડિયામાં ઘણા એવા ખેલાડી રમી રહ્યા છે, જે પહેલા IPLમાં રમ્યા અને પોતાની પ્રતિભાને સાબિત કરી અને ત્યારબાદ તેમને ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી. તેનું સૌથી મોટું ઉદાહરણ જસપ્રીત બુમરાહ છે, જે પહેલા IPLમાં જ રમ્યો અને ત્યારબાદ ટીમ ઇન્ડિયામાં સામેલ થયો.

IPLની ટ્રોફીને ઘણી ટીમોએ હજુ સુધી મેળવી નથી. આ ટ્રોફીને સૌથી વધુ વાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઉઠાવી છે. મુંબઈએ રોહિત શર્માની કેપ્ટનશિપમાં તેને પાંચવાર હાંસલ કરી છે. તેમજ, ધોનીની CSKએ પણ IPLમાં ચારવાર ટાઇટલ જીત્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે, 2023 ધોનીની છેલ્લી IPL સિઝન હશે. હવે જોવુ એ રહે છે કે તે પોતાના IPL કરિયર પર ટ્રોફી સાથે ફુલસ્ટોપ લગાવવામાં સફળ થાય છે કે નહીં.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.