IPL ઓક્શનમાં કોઈ ટીમે બોલી ન લગાવી ગુસ્સામાં એકલા હાથે 227 રન બનાવી દીધા

આજકાલ, IPLની આગામી સીઝન એટલે કે IPL 2026ને લઈને વાતાવરણ ગરમાયું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં હરાજી થઈ હતી. બધી 10 ટીમોએ 77 ખેલાડીઓ પર 215 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 350થી વધુ ખેલાડીઓ આ હરાજીમાં ઉતર્યા હતા, જેમાંથી ફક્ત 77 વેચાયા હતા, અને બાકીના વેચાયા વગરના રહી ગયા હતા. વેચાયા ન હોય તેવા ખેલાડીઓમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભૂતપૂર્વ સ્ટાર ઓપનર પણ હતો, જેની કોઈપણ ટીમ દ્વારા કોઈ બોલી લગાવવામાં આવી ન હતી અને તે વેચાયો ન હતો. હરાજીના માત્ર બે દિવસ પછી, આ બેટ્સમેને 227 રન ફટકાર્યા અને એ બતાવી દીધું કે, કોઈ ખેલાડીનું દિલ તૂટી જાય છે તો તે કેટલો ખતરનાક થઇ જાય છે.

Devon-Conway1
onecricket.com

આ ડાબા હાથના ઓપનરે તેની 227 રનની ઇનિંગમાં કુલ 31 ચોગ્ગા ફટકાર્યા, અને એક રીતે એ બતાવી દીધું કે, ટીમોએ તેને પસંદ ન કરીને મોટી ભૂલ કરી છે. આ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં ખુબ જ ખતરનાક ઇનિંગ રમી છે. તે પોતાની ટીમ માટે ક્રીઝ પર મજબૂતીથી ઉભો રહ્યો અને વિરોધી બોલરોને પરસેવો પાડી દીધો. એક રીતે બોલરો તેની સામે લાચાર બની ગયેલા નજરે આવ્યા હતા. અહીં જે વ્યક્તિની ચર્ચા થઈ રહી છે, તે બીજું કોઈ નહીં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL રમનાર ડેવોન કોનવે છે, જેને IPL 2026ની હરાજીમાં એક પણ પૈસો મળ્યો ન હતો. 10 ટીમોમાંથી કોઈ પણ ટીમે તેને લેવામાં રસ બતાવ્યો નહીં.

હકીકતમાં, હાલમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે, જેની ત્રીજી મેચ માઉન્ટ મઉંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. કિવીઓએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, અને આ નિર્ણય સાચો સાબિત પણ થયો. ઓપનર ડેવોન કોનવે અને ટોમ લાથમે પ્રથમ વિકેટ માટે 323 રનની રેકોર્ડ ભાગીદારી કરી, જેનાથી ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ. પહેલા દિવસનો સ્કોર 1 વિકેટે 334 રન હતો. ટોમ લાથમે 137 રન બનાવ્યા, જ્યારે કોનવેએ 227 રનની યાદગાર ઇનિંગ રમી.

Devon-Conway2
indiatoday.in

વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે કોનવે અણનમ રહ્યો. ત્યારપછી તેણે બીજા દિવસના પહેલા સત્રમાં શાનદાર બેટિંગ કરી. પહેલા દિવસે તેણે 279 બોલમાં 25 ચોગ્ગા સાથે 178 રન બનાવ્યા હતા. ત્યારપછી, બીજા દિવસે, તેણે તેની બેવડી સદી પૂર્ણ કરી. તે 367 બોલમાં 31 ચોગ્ગા સાથે 227 રન બનાવીને જસ્ટિન ગ્રીવ્સ દ્વારા LBW આઉટ થયો. આ ઇનિંગની ખાસ વાત એ હતી કે, તેણે એકલા હાથે 31 ચોગ્ગા ફટકાર્યા. તેણે એકલા હાથે વેસ્ટ ઈન્ડિઝના બોલરોને ભારે પડ્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી બેવડી સદી હતી. તેણે કિવી ટીમ માટે 32 ટેસ્ટમાં 2433 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી અને 6 સદીનો પણ સમાવેશ થાય છે.

Devon-Conway3
m.rediff.com

ડેવોન કોનવે IPL 2026ની હરાજીમાં રૂ. 2 કરોડ (આશરે 20 મિલિયન ડૉલર)ની બેઝ પ્રાઈઝ સાથે પ્રવેશ કર્યો હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કિવી ઓપનરે IPLમાં કુલ 29 મેચ રમી છે, જેમાં 11 અડધી સદી સહિત 1080 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 92 અણનમ છે. ચાહકોને આશા હતી કે, ચેન્નાઈ સુપર કિંગ્સ તેમને પાછા ખરીદશે, પરંતુ આ વખતે ચેન્નાઈએ યુવા ખેલાડીઓમાં રોકાણ કર્યું છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.