સૂર્યકુમાર એટલો શાંત કેમ રહે છે? પોતે ખોલ્યું રહસ્ય, ધોની સાથે છે ખાસ કનેક્શન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝ પૂરી થઇ ગઇ છે. T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 13 બૉલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ પણ તેણે સારી ઇનિંગ્સ રમી છે. પોતાની મહત્ત્વપૂર્ણ ઇનિંગ બાદ સૂર્યકુમાર યાદવે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાને શાંત બનાવી રાખવા માટે મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો હતો.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુંબઇના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે ઘરેલુ ક્રિકેટે કયા પ્રકારે રમતને સુધારવામાં મદદ કર છે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘T20 સીરિઝ રાંચીથી શરૂ થઇ હતી, તો શાંતિ એટીટ્યુડ એ તરફથી જ આવ્યો છે, પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ અગાઉ મેં જે ઘરેલુ ક્રિકેટ રમી તેનાથી મને ખૂબ મદદ મળી કેમ કે, ત્યાં જે અમારી પાસે છે, અમે પડકારપૂર્ણ ટ્રેક પર રમીએ છીએ અને તમારે પોતે જ શીખવાનું હોય છે એટલે મેં ત્યાં જે કંઇ પણ શીખ્યું તેને લઇને અહીં આવ્યો છું.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, બાકી મેં જે કંઇ શીખ્યું છે તે સીનિયર ખેલાડીઓને જોઇને અને તેમની સાથે વાત કરીને શીખ્યું છે કે તેઓ અલગ-અલગ મુશ્કેલ પરિસ્થિતિઓને કઇ રીતે હેંન્ડલ કરે છે. સૂર્યકુમાર યાદવ પોતાની આ વાતચીતમાં મહેન્દ્ર સિંહ ધોનીના શાંત વિચારની વાત કરી રહ્યો હતો કેમ કે રાંચી ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ગૃહનગર છે. સૂર્યકુમાર યાદવ વર્તમાનમાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે ICC પુરુષોની T20 ઇન્ટરનેશનલમાં બેટિંગ રેન્કિંગમાં ટોપ સ્થાન હાંસલ કર્યું હતું. હાલમાં T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં તે ટોપ પર છે.

જો સીરિઝની વાત કરીએ તો ભારતીય ટીમે 3 મેચોની T20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. પહેલી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે જીત હાંસલ કરી હતી, ત્યારે બાકી બનેલી બંને મેચ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળીભારતીય ટીમે જીતી છે. ત્રીજી T20 મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને શુભમન ગિલ નોટઆઉટ 126 અને રાહુલ ત્રિપાઠીની 44 રનોની ઇનિંગની મદાદારગુ 234 રન બનાવ્યા હતા. 235 રનના લક્ષણો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રન પર જ ઢેર થઇ ગઇ હતી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.