શું T20 વર્લ્ડ કપમાં પાક. ખેલાડીઓ સાથે ‘નો હેન્ડશેક’ ચાલુ રહેશે? સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કરવાનું વલણ અપનાવીને વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો હતો. તેના આ વલણને કેટલાક લોકોએ સમર્થન આપ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી. તો સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કરવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ટીમના દરેક સભ્યનો નિર્ણય હતો. આપણે બધાએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. અમે અમારા નિર્ણય પર અડગ છીએ અને તેના પર ગર્વ અનુભવીએ છીએ.

SKY2
livemint.com

તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પાકિસ્તાની ખેલાડીઓ સાથે નો હેન્ડશેકની નીતિ ભવિષ્યમાં ચાલુ રહેશે. ભારતીય કેપ્ટને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સૂર્યાએ સ્વીકાર્યું કે તેને ખબર નથી કે ભવિષ્ય શું થશે, પરંતુ પરિસ્થિતિ ગમે તે હોય, તે પોતાના વલણ પર અડગ છે. સૂર્યાએ કહ્યું કે, મને ખબર નથી કે આગળ શું થશે... દિલ્હી હજી દૂર છે. મને ખબર નથી કે આગામી મેચમાં પાકિસ્તાન સાથે શું થશે. આમ પણ અમે માત્ર બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ રમીએ છીએ, પરંતુ તે સમયે જે કંઈ થશે તે જોવાઇ જશે. આજ તે ક્ષણ છે જેનો અમે આનંદ માણવા માગીએ છીએ.

NDTV સાથે વાત કરતા સૂર્યાએ મેચના ટર્નિંગ પોઈન્ટ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, જ્યારે પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટે 113 રન હતો, ત્યારે અમારા સ્પિનરોએ જે રીતે બોલિંગ કરી તેનાથી મેચ બદલાઈ ગઈ. સૂર્યાએ કહ્યું કે, સ્કોર 113/1 હતો અને ત્યાંથી તેઓ 146 રનમાં ઓલઆઉટ થઈ ગયા. અને પછી અમારી બેટિંગના સમયે તિલક અને સંજૂ અને તિલક અને દુબે વચ્ચેની ભાગીદારી. પરંતુ જો મારે એક વાત કહેવાની હોય તો બોલરોએ વાપસી કરાવી. 12-13 ઓવરમાં સ્કોર 113/1 હતો, ત્યારબાદ તેઓ 146 રનમાં ઓલઆઉટ થઈ ગયા. તેનો શ્રેય બોલરોને જાય છે.

SKY1
outlookindia.com

આગામી વર્ષે T20 વર્લ્ડ કપ આવવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં આમને-સામને થશે. 2026 વર્લ્ડ કપમાં જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે નો હેન્ડશેકની ચાલુ રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. આ પ્રશ્નનો જવાબ ભવિષ્યના ઊંડાણમાં રહેલો છે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.