બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં NDAની બલ્લેબલ્લે, પણ ક્યાં બદલાઈ શકે છે ખેલ?

બિહાર ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના અનુમાન સામે આવી ગયા છે. અત્યાર સુધીના મોટાભાગના એક્ઝિટ પોલમાં બિહારમાં NDAની સરકારની વાપસી થતી દેખાઈ રહી છે. આ સંદર્ભમાં News18 મેગા એક્ઝિટ પોલના અનુમાનોમાં પ્રદેશવાર ડેટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા અનુસાર, NDA વિવિધ પ્રદેશોમાં, જ્યારે કેટલાક પ્રદેશોમાં મહાગઠબંધન આગળ દેખાય છે. નોં

ધનીય છે કે દરેકનું ધ્યાન ખાસ કરીને શાહબાદ, મગધ અને ભોજપુર પ્રદેશોના પરિણામો પર છે. તો સીમાંચલ, મિથિલા અને પટના-નાલંદા પટ્ટામાં ચૂંટણી પરિણામો કેવા રહેશે તેને લઈને પણ ઉત્સુકતા છે. ભાગલપુર ક્ષેત્રની 27, ભોજપુર ક્ષેત્રની 46, સીમાંચલ ક્ષેત્રની 37, મગધ ક્ષેત્રની 47, મિથિલા ક્ષેત્રની 37 અને તિરહુત ક્ષેત્રની 49 બેઠકોના પૂર્વાનુમાનમાં NDA અને મહાગઠબંધનને વિવિધ પ્રદેશોમાં આગળ બતાવી છે. એવામાં ચાલો પ્રદેશવાર આંકડાઓ પર એક નજર કરીએ.

bihar-Election
zeenews.india.com

સૌથી પહેલા ભાગલપુરથી શરૂઆત કરીએ, જ્યાં NDAને 10-20 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધન પણ મજબૂત સ્થિતિમાં છે, તેને પણ 10-20 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે અન્ય એક બેઠક જીતી શકે છે. તેવી જ રીતે ભોજપુરમાં NDA મહાગઠબંધન સામે મ્હાત ખાઈ ગયું હોય તેવું લાગે છે, તેને 15-25 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે મહાગઠબંધન અહીં સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે, અહી તેને 20-30 બેઠકો મળવાનો અંદાજ છે. જન સુરાજ અહીં એક બેઠક જીતી શકે છે, જ્યારે અન્યને એક બેઠક મળી શકે છે.

સીમાંચલનું ગણિત-ભાગાકાર તમને થોડું આશ્ચર્યચકિત કરી શકે છે. અહીં એક્ઝિટ પોલમાં NDAને 25-35 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનનો આંકડો ગયા વખતની તુલનામાં ઘટી રહ્યો હોય તેવું લાગે છે. સીમાંચલમાં મહાગઠબંધનને 5-10 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્ય પક્ષોને 5 -10 બેઠકો મળી શકે છે. મગધ ક્ષેત્રમાં જોઇએ NDAએ વાપસી કરી છે એટલે કે ગત વખત કરતા વધુ બેઠકો મળી શકે છે, તેને અહી અંદાજિત 25-35 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મહાગઠબંધન 15-25 બેઠકો જીતી શકે છે. તો, જન સુરાજ આ ક્ષેત્રમાં થોડું સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ તેને 0 થી 5 બેઠકો મળવાનો અંદાજ છે.

bihar-Election3
prabhatkhabar.com

મિથિલા ક્ષેત્રની 37 બેઠકો પર NDA સારું પ્રદર્શન કરતું દેખાઈ રહ્યું છે, તેને અંદાજિત 25-35 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 5-15 બેઠકો મળી શકે છે. તો તિરહુત ક્ષેત્રના આંકડા NDA નેતાઓને આશ્ચર્યચકિત કરશે, કારણ કે NDA અહીંની 49 બેઠકોમાંથી 15-25 બેઠકો પર લીડ મળવા રહેવાનો અંદાજ છે. તો મહાગઠબંધન 10-20 બેઠકો જીતી શકે છે, જ્યારે જન સૂરાજ એક બેઠક જીતી શકે છે.

આ આંકડાઓની બીજી એક ખાસ વાત એ છે કે 53 મુસ્લિમ બહુમતીવાળી બેઠકોમાંથી NDA 30-40 બેઠકો પર આગળ રહેવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધન 10-20 બેઠકો પર આગળ છે. તો અન્યના ખાતામાં 3-8 બેઠકો મળવાનો અંદાજ છે. આ ઉપરાંત SIRથી પ્રભાવિત 106 બેઠકોમાંથી NDAને 60-70 બેઠકો મળવાનો અંદાજ છે. આ વિસ્તારોમાં મહાગઠબંધનને 30-40 બેઠકો પર આગળ રહેવાનો અંદાજ છે, જ્યારે અન્યને 3-8 બેઠકો મળવાનો અંદાજ છે.

બિહારના રાજકીય નિષ્ણાતો માને છે કે આ ડેટા એક મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે કે બિહારની રાજનીતિ એકતરફી લહેર નહીં, પરંતુ પ્રાદેશિક સંતુલનને સાધવાની રાજનીતિ છે. NDA જરૂર રાજ્યભરમાં આગળ દેખાઈ રહ્યું છે, પરંતુ મહાગઠબંધને ઘણા જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હવે બધાની નજર 14 નવેમ્બરના મતદાન ગણતરી પર છે, આ દિવસે સ્પષ્ટ થઇ જશે કે આ અંદાજો જમીની વાસ્તવિકતા સાથે કેટલા નજીકથી મેળ ખાય છે. હાલ પૂરતું એ નક્કી છે કે બિહારના રાજકારણમાં સ્પર્ધા રસપ્રદ અને નિર્ણાયક વળાંક પર છે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.