બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલમાં NDAની બલ્લેબલ્લે, પણ ક્યાં બદલાઈ શકે છે ખેલ?

બિહાર ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના અનુમાન સામે આવી ગયા છે. અત્યાર સુધીના મોટાભાગના એક્ઝિટ પોલમાં બિહારમાં NDAની સરકારની વાપસી થતી દેખાઈ રહી છે. આ સંદર્ભમાં News18 મેગા એક્ઝિટ પોલના અનુમાનોમાં પ્રદેશવાર ડેટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા અનુસાર, NDA વિવિધ પ્રદેશોમાં, જ્યારે કેટલાક પ્રદેશોમાં મહાગઠબંધન આગળ દેખાય છે. નોં

ધનીય છે કે દરેકનું ધ્યાન ખાસ કરીને શાહબાદ, મગધ અને ભોજપુર પ્રદેશોના પરિણામો પર છે. તો સીમાંચલ, મિથિલા અને પટના-નાલંદા પટ્ટામાં ચૂંટણી પરિણામો કેવા રહેશે તેને લઈને પણ ઉત્સુકતા છે. ભાગલપુર ક્ષેત્રની 27, ભોજપુર ક્ષેત્રની 46, સીમાંચલ ક્ષેત્રની 37, મગધ ક્ષેત્રની 47, મિથિલા ક્ષેત્રની 37 અને તિરહુત ક્ષેત્રની 49 બેઠકોના પૂર્વાનુમાનમાં NDA અને મહાગઠબંધનને વિવિધ પ્રદેશોમાં આગળ બતાવી છે. એવામાં ચાલો પ્રદેશવાર આંકડાઓ પર એક નજર કરીએ.

bihar-Election
zeenews.india.com

સૌથી પહેલા ભાગલપુરથી શરૂઆત કરીએ, જ્યાં NDAને 10-20 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધન પણ મજબૂત સ્થિતિમાં છે, તેને પણ 10-20 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે અન્ય એક બેઠક જીતી શકે છે. તેવી જ રીતે ભોજપુરમાં NDA મહાગઠબંધન સામે મ્હાત ખાઈ ગયું હોય તેવું લાગે છે, તેને 15-25 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે મહાગઠબંધન અહીં સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે, અહી તેને 20-30 બેઠકો મળવાનો અંદાજ છે. જન સુરાજ અહીં એક બેઠક જીતી શકે છે, જ્યારે અન્યને એક બેઠક મળી શકે છે.

સીમાંચલનું ગણિત-ભાગાકાર તમને થોડું આશ્ચર્યચકિત કરી શકે છે. અહીં એક્ઝિટ પોલમાં NDAને 25-35 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનનો આંકડો ગયા વખતની તુલનામાં ઘટી રહ્યો હોય તેવું લાગે છે. સીમાંચલમાં મહાગઠબંધનને 5-10 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્ય પક્ષોને 5 -10 બેઠકો મળી શકે છે. મગધ ક્ષેત્રમાં જોઇએ NDAએ વાપસી કરી છે એટલે કે ગત વખત કરતા વધુ બેઠકો મળી શકે છે, તેને અહી અંદાજિત 25-35 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મહાગઠબંધન 15-25 બેઠકો જીતી શકે છે. તો, જન સુરાજ આ ક્ષેત્રમાં થોડું સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ તેને 0 થી 5 બેઠકો મળવાનો અંદાજ છે.

bihar-Election3
prabhatkhabar.com

મિથિલા ક્ષેત્રની 37 બેઠકો પર NDA સારું પ્રદર્શન કરતું દેખાઈ રહ્યું છે, તેને અંદાજિત 25-35 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 5-15 બેઠકો મળી શકે છે. તો તિરહુત ક્ષેત્રના આંકડા NDA નેતાઓને આશ્ચર્યચકિત કરશે, કારણ કે NDA અહીંની 49 બેઠકોમાંથી 15-25 બેઠકો પર લીડ મળવા રહેવાનો અંદાજ છે. તો મહાગઠબંધન 10-20 બેઠકો જીતી શકે છે, જ્યારે જન સૂરાજ એક બેઠક જીતી શકે છે.

આ આંકડાઓની બીજી એક ખાસ વાત એ છે કે 53 મુસ્લિમ બહુમતીવાળી બેઠકોમાંથી NDA 30-40 બેઠકો પર આગળ રહેવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધન 10-20 બેઠકો પર આગળ છે. તો અન્યના ખાતામાં 3-8 બેઠકો મળવાનો અંદાજ છે. આ ઉપરાંત SIRથી પ્રભાવિત 106 બેઠકોમાંથી NDAને 60-70 બેઠકો મળવાનો અંદાજ છે. આ વિસ્તારોમાં મહાગઠબંધનને 30-40 બેઠકો પર આગળ રહેવાનો અંદાજ છે, જ્યારે અન્યને 3-8 બેઠકો મળવાનો અંદાજ છે.

બિહારના રાજકીય નિષ્ણાતો માને છે કે આ ડેટા એક મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે કે બિહારની રાજનીતિ એકતરફી લહેર નહીં, પરંતુ પ્રાદેશિક સંતુલનને સાધવાની રાજનીતિ છે. NDA જરૂર રાજ્યભરમાં આગળ દેખાઈ રહ્યું છે, પરંતુ મહાગઠબંધને ઘણા જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હવે બધાની નજર 14 નવેમ્બરના મતદાન ગણતરી પર છે, આ દિવસે સ્પષ્ટ થઇ જશે કે આ અંદાજો જમીની વાસ્તવિકતા સાથે કેટલા નજીકથી મેળ ખાય છે. હાલ પૂરતું એ નક્કી છે કે બિહારના રાજકારણમાં સ્પર્ધા રસપ્રદ અને નિર્ણાયક વળાંક પર છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.