પાકિસ્તાનમાંથી વિમાનમાં ભરાઇ-ભરાઇને 10 લાખ ભિખારીઓ વિદેશ ગયા છે

પાકિસ્તાન(Pakistan) સરકારની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીમાં ચોંકાવનારી વાત કહેવામાં આવી છે. વિદેશમાં પાકિસ્તાનના નાગરિકો મોટી સંખ્યામાં  ભીખ માંગવામાં વ્યસ્ત છે, જેના કારણે તેમને જેલ પણ જવું પડે છે. વિદેશી દેશોમાં સ્થાયી થયેલા પાકિસ્તાની નાગરિકોના મુદ્દે સેનેટર જીશાન ખાનઝાદાએ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું હતું કે પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિકો વિદેશમાં છે, જેમાંથી મોટી સંખ્યામાં ભીખ માંગવામાં વ્યસ્ત છે અને પાકિસ્તાનથી વિમાનમાં ભરાઇ ભરાઇને ભિખારીઓ વિદેશ જઇ રહ્યા છે.

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ વખતે પોતાના ભિખારીઓને કારણે પાકિસ્તાન ચર્ચામાં છે. જાણવા મળેલી માહિતી મુજબ વિદેશામાં જેટલાં પણ ભિખારીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી 90 ટકા પાકિસ્તાનના ભિખારીઓ હોવાનું સામે આવ્યું છે. ઇરાન અને સાઉદી અરબની જેલોમાં મોટી સંખ્યામાં પાકિસ્તીની ભિખારીઓ બંધ છે.

પાકિસ્તાન સરકારની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો ભીખ માંગવામાં લાગેલા છે, જેના કારણે તેમને જેલમાં જવું પડે છે. ઓવરસીઝ પાકિસ્તાની મંત્રાલયના સચિવ ઝીશાન ખાનઝાદાએ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિકો વિદેશમાં છે, જેમાંથી મોટી સંખ્યામાં ભીખ માંગવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનના આ લોકો વિઝા મેળવીને અન્ય દેશોમાં ભિખ માંગવા પહોંચી જાય છે.

ઝીશાન ખાનઝાદાએ જણાવ્યુ કે અનેક કિસ્સાઓમાં એવું બને છે કે પાકિસ્તાનથી રવાના થતી આખે આખી ફ્લાઇટ ભિખારીઓથી ભરેલી હોય છે. અરબ દેશોમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારી પાકિસ્તાની છે.

ખાનઝાદાએ કહ્યુ કે સઉદી આરબમાં પકડાયેલા ખિસ્સા કાતરું પાકિસ્તાની છે અને સામાન્ય રીતે ઉમરા વિઝા પર સાઉદી અરબમાં ભિખ માંગવા ગયા છે. ઇરાન અને સાઉદી અરબ વિરોધ કરી ચૂક્યા છે કે પાકિસ્તાની ભિખારીઓથી તેમની જેલો ભરાઇ રહી છે.

પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી સ્થિતિ એવી જ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સહિત ઘણા દેશો પાસેથી લોન લેવા છતાં પાકિસ્તાનની હાલત ખરાબ છે. દરમિયાન વિશ્વ બેંકના એક અહેવાલે દેશને વધુ મુશ્કેલીમાં મુકી દીધો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગરીબીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. નબળી આર્થિક સ્થિતિને કારણે 1.25 કરોડથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે અને દેશે નાણાકીય સ્થિરતા હાંસલ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા પડશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.