લગ્ન હતા એ જ દિવસે અચાનક થયું કન્યાનું મોત, આઘાતમાં વરરાજો

લગ્નવાળા દિવસે જ કન્યાનું અચાનક મોત થઇ ગયું. તે લીવર સંબંધિત પરેશાનીઓથી ઝઝૂમી રહી હતી. પહેલા લગ્નથી મહિલાનો એક 10 વર્ષીય દીકરો છે. મહિલાનું શબ સ્વદેશ લાવવા માટે પરિવારજનો હવે પૈસા ભેગા કરી રહ્યા છે, જેથી તેનો અંતિમ સંસ્કાર કરી શકાય. 33 વર્ષીય નાદિયા ગોસિન લંડનની રહેવાસી હતી. તેના લગ્ન ત્રિનિદાદમાં 7 ડિસેમ્બરના રોજ દેવન ગોસિન સાથે થવાના હતા. દેવન ગોસિન સાથે તે 5 વર્ષથી રિલેશનશિપમાં હતી.

જો લીવરની બીમારીના કારણે નાદિયાનું મોત લગ્નવાળા દિવસે જ થઇ ગયું. તો નાદિયાનો 10 વર્ષનો દીકરો એમારી પણ ત્રિનિદાદમાં છે, જેની હાલમાં દેખરેખ દેવન જ કરી રહ્યો છે. નાદિયાની બ્રિટનમાં ઉપસ્થિત બહેન ઇશાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, ‘તેને એ તો ખબર હતી કે તેને (નાદિયા) લીવર સાથે સંબંધિત પરેશાની હતી, પરંતુ તે હંમેશાં ખુશ રહેવા માગતી હતી. તેને ટ્રાવેલ કરવાનું ખૂબ પસંદ હતું. કહેવામાં આવ્યું કે, નાદિયાનો થનાર પતિ પણ તે બીમાર હોવાની વાતથી અજાણ હતો.

તેણે પોતાની મંગેતરના વખાણ કર્યા અને કહ્યું કે, તે ખૂલીને પોતાની જિંદગી જીવતી હતી, પછી તે કોઇ પણ પરિસ્થિતિથી ઝઝૂમી રહી હોય. તે હંમેશાં ખુશ રહેવા માગતી હતી. દેવને કહ્યું કે, જે કંઇ પણ થયું, તેને તેના પર વિશ્વાસ થઇ રહ્યો નથી. તેનો પરિવાર ખૂબ જ ખુશ હતો કેમ કે તેઓ લગ્ન કરી રહ્યા હતા, પરંતુ બધા સપના તૂટી ગયા. નાદિયા મૂળ ઇસ્ટ લંડનના બેક્ટન વિસ્તારની રહેવાસી હતી. તે લગ્ન અગાઉ જ પોતાના દીકરા સાથે ત્રિનિદાદ પહોંચી ગઇ હતી, જ્યાં લગ્નવાળા દિવસે જ આ દુઃખદ અકસ્માત થઇ ગયો.

તો હાલમાં જ એક 20 વર્ષીય છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે પોતાના લગ્ન પર જ ધ્રુસકે-ધ્રુસકે રડતી દેખાઇ રહી છે. છોકરીનું કહેવું છે કે, તે પોતાના પતિને પ્રેમ કરતી નથી અને તેને માત્ર પોતાના માતા-પિતાને સંતુષ્ટ કરવા માટે લગ્ન કર્યા છે. ત્યારબાદ ચીનમાં બળજબરીપૂર્વક લગ્ન કરાવવાના મુદ્દા પર બહેસ છેડાઇ ગઇ છે. છોકરીની ઓળખ યાનના રૂપમાં થઇ છે. તે ગુઇઝોઉ પ્રાંતની રહેવાસી છે. યાને એક ઓનલાઇન પોસ્ટમાં કહ્યું કે, તે લગ્ન કરવા બાબતે વિચારી રહી નહોતી, છતા તેને લગ્ન કરવા પડ્યા. પોતાના પતિ સાથે તે બ્લાઇન્ડ ડેટ પર મળી હતી. યાનનું કહેવું છે કે, તેણે બસ માતા-પિતાની આશાઓ અને સાંસ્કૃતિક માનદંડોને પૂરા કર્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.