ઝાડ કાપવા પર દેખાયો ‘ઇસા મસીહ’નો ચહેરો, હેરાન થયા લોકો

તમે એવી ઘટનાઓ વિશે જરૂર સાંભળ્યું હશે કે દીવાલમાં સાઇ બાબાના દર્શન થયા, શાકભાજીમાં કે વૃક્ષમાં ગણપતિ દાદાના દર્શન થયા કે અન્ય દેવી-દેવતાઓના દર્શન થયા. એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક કાપેલા વૃક્ષમાં પ્રભુ ઇસા મસીહનો ચહેરો નજરે પડ્યો. એ જોઇને દરેક અવાચક રહી ગયું. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ કે આ ઘટના ક્યાંની છે, કઇ જગ્યાએ કપાયેલા વૃક્ષમાં ઇસા મસીહનો ચહેરો નજરે પડ્યો છે.

હાલમાં જ આખી દુનિયામાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવ્યો. જેમાં પ્રભુ ઇસા મસીહને યાદ કર્યા, એવામાં એક વૃક્ષને કાપ્યા બાદ 16 વર્ષીય કિશોરને તેના પર ઇસા મસીહનો ચહરો નજરે પડ્યો. વૃક્ષ પર ઇસા મસીહનો ચહેરો જોઇને કિશોર પણ હેરાન રહી ગયો. તેણે આસપાસના લોકોને જણાવ્યું અને જેણે પણ જોયું, તે દંગ રહી ગયું. 13 ફૂટના વૃક્ષને 16 વર્ષીય કલમ જોનસને કાપ્યું હતું. આ વૃક્ષ બ્રિટનના ઓક્સફોર્ડશાયરના વાન્ટેજમાં ઉપસ્થિત બે ઘરો વચ્ચે લાઇટને બ્લોક કરી રહ્યું હતું. આ વૃક્ષ કાપ્યા બાદ જ્યારે કલમ જોનસને ઇસા મસીહનો ચહેરો જોયો તો તેઓ અવાચક રહી ગયો.

જોનસને એક વેબસાઇટને જણાવ્યું કે, જ્યારે મારો સહકર્મી આ વૃક્ષની ડાળીઓ કાપી રહ્યો હતો, તો ઇસા મસીહનો ચહેરો નોટિસ કર્યો. તેણે કહ્યું કે, આ આકૃતિમાં ઇસા મસીહની આંખો અને દાઢી સ્પષ્ટ નજરે પડી રહી હતી. જોનસને કહ્યું કે, આમ તો તે ધાર્મિક નથી, પરંતુ આ ઘટના બાદ તે ધાર્મિક હોવા પર વિચાર કરી શકે છે. તો તેની સાથે કામ કરનારા અન્ય લોકોએ કહ્યું કે, તેઓ 40 વર્ષોથી આ પ્રકારનું કામ કરી રહ્યા છે, પરંતુ તેમણે આવું પહેલા ક્યારેય જોયું નથી. તો કલમ જોનસને કહ્યું કે, બ્રિટનના ઓક્સફોર્ડશાયરમાં ઉપસ્થિત વાન્ટેજ હવે ધાર્મિક જગ્યા બની શકે છે.

થોડા અઠવાડિયા અગાઉ બ્રિટનના આર્ટિસ્ટ કીથે એવો દાવો કર્યો હતો કે તેમના ઘરમાં ઉપસ્થિત એક કલાકૃતિ પર પ્રભુ ઇસા માસિહની તસવીર ઊભરી આવી છે. આ કલાકૃતિને Eli Eli Lama Sabachthani નામ આપવામાં આવ્યું હતું, જેને Tress and Water a Fruitful Freedom નામની પ્રદર્શનીમાં પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2020માં બ્રિટનના ડર્બીશાયરમાં ચેસ્ટરફિલ્ડની 3 વર્ષીય જેમીએ દાવો કર્યો હતો તેના હાથ પર ઇસા મસીહનો ચહેરો ઊભરી આવ્યો. ગયા વર્ષે જ બ્રિટના એસેક્સમાં રહેનારી શૉનેગ રોબર્ટે દાવો કર્યો હતો કે તેને બ્રસલ સ્પ્રાઉટની અંદર ઇસા મસીહ જેવી આકૃતિ દેખાઇ હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.