મહિલાઓએ હિજાબ ન પહેર્યો તો આ દેશમાં કોઈ પણ દયા વિના ચાલશે કેસ

ઇરાનમાં ગયા વર્ષે મહસા અમીનીના મોત બાદ હિજાબ વિરોધી પ્રદર્શનોનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી, તો આ દેશની સરકાર પણ લોકોનો અવાજ દબાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. હવે તો ત્યાં ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ સ્ત્રીઓ અને છોકરીઓ માટે એક નવું ફરમાન બહાર પડ્યું છે. તેમણે કહ્યું  કે, ‘ખુલ્લા માથે રહેવાનું (આપણાં) મૂલ્યો સાથે દુશ્મની સમાન છે.’ હિજાબ ન પહેરનારી સ્ત્રીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીમાં કોઈ દયા નહીં રાખવામાં આવે.

તેમણે કહ્યું કે, જેટલું વધારે મહિલાઓ ઇરાનમાં અનિવાર્ય ડ્રેસ કોડ નહીં માને, તેમના પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઈરાની મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ ધમકી આપી છે કે, જે સ્ત્રીઓ દેશમાં હિજાબ વિના સાર્વજનિક જગ્યાઓ પર દેખાશે, તેમને છોડવામાં નહીં આવે, તેમની વિરુદ્ધ કોઈ દયા વિના કેસ ચલાવવામાં આવશે. ખુલ્લા માથે રહેવું (આપણાં) મૂલ્યો સાથે દુશ્મની કરવા સમાન છે.

આ પ્રકારનું ખરાબ કામ કરનારાઓને સજા આપવામાં આવશે અને સજા બાબતે પૂરી જાણકારી આપી દયા વિના કેસ ચલાવવામાં આવશે. ઇરાનના ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ કહ્યું કે, કાયદાના પ્રવર્તન અધિકારી ધાર્મિક કાયદાઓ વિરુદ્ધ સાર્વજનિક અને ન્યાયિક દાયરામાં થનારા ગુનાઓ પર સખત કાર્યવાહી કરવા માટે બાધ્ય છે. તેમની આ ચેતવણી ઇરાનના આંતરિક મંત્રાલયના અનિવાર્ય સરકારી હિજાબ કાયદાને લાગૂ કર્યા બાદ આવી છે.

આંતરિક મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિજાબ ઈરાની રાષ્ટ્રની સભ્યતાના પાયામાંથી એક છે અને ઇસ્લામી ગણરાજ્યના વ્યવહારિક સિદ્ધાંતોમાંથી એક છે. આ મુદ્દા પર પાછળ હટવા કે સહિષ્ણુતા રાખવાની કોઈ સંભાવના ઉત્પન્ન થતી નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ઘણી ઈરાની મહિલાઓએ સાર્વજનિક રૂપે હિજાબ ન પહેરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગયા વર્ષે હિજાબ સાથે જોડાયેલા નિયમોને ન માનવા પર 22 વર્ષીય મહસા અમીનીની નૈતિકતા પોલીસની કસ્ટડીમાં મોત બાદ જ ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનોનો દોર થોભી રહ્યો નથી.

અમીનીના મોત બાદ મહિલાઓ મોટા પ્રમાણ પર વિરોધ પ્રદર્શનોમાં રસ્તા પર ઉતરી આવી હતી. ત્યારથી જ નૈતિકતા પોલીનો વિરોધ કરવા માટે હિજાબ વિનાની મહિલાઓનો વીડિયોનો સોશિયલ મીડિયા પર પૂર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં મહિલાઓને પોતાના વાળોને હિજાબ અને ઢીલા કપડાથી ઢાંકવા જરૂરી છે. નિયમોનું પાલન ન કરનારી મહિલાઓને સાર્વજનિક ફટકાર, દંડ કે ધરપકડનો સામનો કરવો પડ્યો છે.

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.