મહિલાઓએ હિજાબ ન પહેર્યો તો આ દેશમાં કોઈ પણ દયા વિના ચાલશે કેસ

ઇરાનમાં ગયા વર્ષે મહસા અમીનીના મોત બાદ હિજાબ વિરોધી પ્રદર્શનોનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી, તો આ દેશની સરકાર પણ લોકોનો અવાજ દબાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. હવે તો ત્યાં ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ સ્ત્રીઓ અને છોકરીઓ માટે એક નવું ફરમાન બહાર પડ્યું છે. તેમણે કહ્યું  કે, ‘ખુલ્લા માથે રહેવાનું (આપણાં) મૂલ્યો સાથે દુશ્મની સમાન છે.’ હિજાબ ન પહેરનારી સ્ત્રીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીમાં કોઈ દયા નહીં રાખવામાં આવે.

તેમણે કહ્યું કે, જેટલું વધારે મહિલાઓ ઇરાનમાં અનિવાર્ય ડ્રેસ કોડ નહીં માને, તેમના પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઈરાની મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ ધમકી આપી છે કે, જે સ્ત્રીઓ દેશમાં હિજાબ વિના સાર્વજનિક જગ્યાઓ પર દેખાશે, તેમને છોડવામાં નહીં આવે, તેમની વિરુદ્ધ કોઈ દયા વિના કેસ ચલાવવામાં આવશે. ખુલ્લા માથે રહેવું (આપણાં) મૂલ્યો સાથે દુશ્મની કરવા સમાન છે.

આ પ્રકારનું ખરાબ કામ કરનારાઓને સજા આપવામાં આવશે અને સજા બાબતે પૂરી જાણકારી આપી દયા વિના કેસ ચલાવવામાં આવશે. ઇરાનના ન્યાયપાલિક પ્રમુખ ગોલેમહોસિન મોહસેની એજેએ કહ્યું કે, કાયદાના પ્રવર્તન અધિકારી ધાર્મિક કાયદાઓ વિરુદ્ધ સાર્વજનિક અને ન્યાયિક દાયરામાં થનારા ગુનાઓ પર સખત કાર્યવાહી કરવા માટે બાધ્ય છે. તેમની આ ચેતવણી ઇરાનના આંતરિક મંત્રાલયના અનિવાર્ય સરકારી હિજાબ કાયદાને લાગૂ કર્યા બાદ આવી છે.

આંતરિક મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિજાબ ઈરાની રાષ્ટ્રની સભ્યતાના પાયામાંથી એક છે અને ઇસ્લામી ગણરાજ્યના વ્યવહારિક સિદ્ધાંતોમાંથી એક છે. આ મુદ્દા પર પાછળ હટવા કે સહિષ્ણુતા રાખવાની કોઈ સંભાવના ઉત્પન્ન થતી નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ઘણી ઈરાની મહિલાઓએ સાર્વજનિક રૂપે હિજાબ ન પહેરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગયા વર્ષે હિજાબ સાથે જોડાયેલા નિયમોને ન માનવા પર 22 વર્ષીય મહસા અમીનીની નૈતિકતા પોલીસની કસ્ટડીમાં મોત બાદ જ ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનોનો દોર થોભી રહ્યો નથી.

અમીનીના મોત બાદ મહિલાઓ મોટા પ્રમાણ પર વિરોધ પ્રદર્શનોમાં રસ્તા પર ઉતરી આવી હતી. ત્યારથી જ નૈતિકતા પોલીનો વિરોધ કરવા માટે હિજાબ વિનાની મહિલાઓનો વીડિયોનો સોશિયલ મીડિયા પર પૂર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઇરાનમાં મહિલાઓને પોતાના વાળોને હિજાબ અને ઢીલા કપડાથી ઢાંકવા જરૂરી છે. નિયમોનું પાલન ન કરનારી મહિલાઓને સાર્વજનિક ફટકાર, દંડ કે ધરપકડનો સામનો કરવો પડ્યો છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.