20 વર્ષ પછી ચીન ગયા ઈરાનના રાષ્ટ્રપતિ, તેમની મુલાકાતથી ભારતને કેમ છે ખતરો?

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા. ચીન પહોંચીને તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. 20 વર્ષ બાદ ઈરાનના કોઈપણ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે. ભારત આ મુલાકાત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વાસ્તવમાં ઈરાન અને ચીન બંને અમેરિકાના દુશ્મન છે. આવી સ્થિતિમાં ડ્રેગનના પ્રભાવમાં આવીને ઈરાન ભારત વિરૂદ્ધ સમજૂતી પર હસ્તાક્ષર કરવા મજબૂર બની શકે છે. ચાલાક ચીન ભારત વિરૂદ્ધ કોઈપણ દેશનો ઉપયોગ કરવાથી અચકાતું નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ ચીનના પ્રવાસે છે. બંને દેશોની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો અનેક મુદ્દાઓને લઈને પશ્ચિમી દેશોના દબાણમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 20 વર્ષ બાદ ઈરાનના કોઈ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે. ઇબ્રાહિમ રાયસીની આ મુલાકાત બંને દેશો માટે મહત્ત્વની તો છે જ, પરંતુ તેની સીધી અસર ભારત પર પણ પડે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે ભારતે તેના પર નજર રાખે.

શા માટે આ મુલાકાત ભારત મારે ખતરો બની શકે છે?

જો કે, ઈરાન અને ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે. ચીને કરાચીમાં ગ્વાદર બંદર બનાવ્યા પછી ભારતે ઈરાનમાં ચાબહાર બંદર બનાવ્યું. ત્યારે ઈરાને ભારતને મદદ કરી. જેથી ચીનને જવાબ આપી શકાય અને ભારત ચાબહાર દ્વારા મધ્ય એશિયામાં વેપાર કરી શકે. પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિની આ મુલાકાત ભારતના દૃષ્ટિકોણથી ચિંતાજનક હોઈ શકે છે. કારણ કે ચીન અને ઈરાન બંને અમેરિકા વિરોધી છે. બીજી તરફ અમેરિકા ભારતનું બહુ મોટું ભાગીદાર છે. આવી સ્થિતિમાં ચીન ઈરાનનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી શકે છે.

બીજું, ઈરાન કોઈપણ ભોગે અમેરિકાને ઘેરવા માંગે છે, જેના માટે તેને ચીન અને રશિયાની જરૂર પડશે. ભારતના અમેરિકા સાથે સારા સંબંધો છે જેને ઈરાન ઘેરવા માંગે છે. આવી સ્થિતિમાં, એવો ભય છે કે ઇરાન ન ઇચ્છતું હોય તો પણ ચીન અને પાકિસ્તાન સાથે મળીને ભારત વિરોધી જૂથ બનાવી શકે છે.

એમ તો બંને નેતાઓની મુલાકાત કોઈ નવી નથી. સપ્ટેમ્બર 2022માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી. ચીની મીડિયાનું કહેવું છે કે રાયસી 2021માં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોએ 25 વર્ષના વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને મંગળવારે પણ બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર સહમત થયા હતા. રાયસી ઈરાનની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર અને તેમના છ મંત્રીઓ સાથે ચીન પહોંચ્યા હતા.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.